ઓડિશા ટ્રેન અકસ્માત અપડેટ: દુર્ઘટના અંગે CBI કરી રહી છે તપાસ! બહાનાગા સ્ટેશન પર હવે નહીં રોકાય ટ્રેન! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-10 19:22:23

ગયા અઠવાડિએ ઓડિશામાં ગંભીર ટ્રેન અકસ્માત સર્જાયો હતો. ત્રણ ટ્રેનો વચ્ચે ટક્કર થતાં 200થી વધારે લોકોના મોત થયા હતા જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતા. ત્યારે આ મામલે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ટ્રેન દુર્ઘટના અંગે તપાસ કરવામાં સીબીઆઈ લાગી છે ત્યારે તપાસને ધ્યાનમાં રાખી બહાનાગા સ્ટેશનને સીલ કરી દેવામાં આવ્યું છે. જ્યાં સુધી આગામી આદેશ નહીં આવે ત્યાં સુધી આ સ્ટેશન પર કોઈ પેસેન્જર ટ્રેન અથવા તો માલગાડી નહીં રોકાય. મહત્વનું છે કે આ નિર્ણય બાદ આ સ્ટેશન પર કોઈ પણ ટ્રેન નહીં ઉભી રહી શકે. મળતી માહિતી અનુસાર શાળામાં મૃતદેહો રાખવામાં આવ્યા હતા તેને તોડી દેવામાં આવી છે. 



દુર્ઘટનામાં થયા હતા 288 જેટલા લોકોના મોત! 

ઓડિશામાં ત્રિપ્પલ ટ્રેન અકસ્માતે દેશવાસીઓને હચમચાવી દીધા હતા. દુર્ઘટનામાં 200થી વધારે લોકોના મોત થયા હતા જ્યારે મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સારવાર માટે હોસ્પિટલ તેમને ખસેડવામાં આવ્યા હતા. બ્લડને લઈ કમી ન થાય તે માટે અનેક લોકો રક્તદાન કરવા પણ પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ પહોંચી ગયા અને અનેક કલાકો સુધી ત્યાં રોકાયા હતા. શનિવાર બપોરે ખુદ પીએમ મોદીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી ઉપરાંત ઈજાગ્રસ્તોની પણ મુલાકાત લીધી હતી. 


બહાનાગા રેલવે સ્ટેશન પર નહીં રોકાય ટ્રેન!

ટ્રેન અકસ્માત મામલે તપાસ કરવા સીબીઆઈની ટીમ ત્યાં પહોંચી ગઈ છે. ઉંડાણથી તપાસ કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જે મુજબ બહાનાગા સ્ટેશનને સીલ કરી દેવામાં આવ્યું છે. આ સ્ટેશન પર ટ્રેન નહીં રોકાય ભલે તે માલગાડી હોય કે પછી પેસેન્ડર ટ્રેન હોય. રેલવે અધિકારી ચૌધરીએ જણાવ્યું કે તપાસ દરમિયાન CBIએ સ્ટેશનમાં હાજર તમામ દસ્તાવેજો તપાસ્યા. લોગ બુક, રિલે પેનલ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે.       




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.