ઓડિશા ટ્રેન અકસ્માત અપડેટ: દુર્ઘટના અંગે CBI કરી રહી છે તપાસ! બહાનાગા સ્ટેશન પર હવે નહીં રોકાય ટ્રેન! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-10 19:22:23

ગયા અઠવાડિએ ઓડિશામાં ગંભીર ટ્રેન અકસ્માત સર્જાયો હતો. ત્રણ ટ્રેનો વચ્ચે ટક્કર થતાં 200થી વધારે લોકોના મોત થયા હતા જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતા. ત્યારે આ મામલે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ટ્રેન દુર્ઘટના અંગે તપાસ કરવામાં સીબીઆઈ લાગી છે ત્યારે તપાસને ધ્યાનમાં રાખી બહાનાગા સ્ટેશનને સીલ કરી દેવામાં આવ્યું છે. જ્યાં સુધી આગામી આદેશ નહીં આવે ત્યાં સુધી આ સ્ટેશન પર કોઈ પેસેન્જર ટ્રેન અથવા તો માલગાડી નહીં રોકાય. મહત્વનું છે કે આ નિર્ણય બાદ આ સ્ટેશન પર કોઈ પણ ટ્રેન નહીં ઉભી રહી શકે. મળતી માહિતી અનુસાર શાળામાં મૃતદેહો રાખવામાં આવ્યા હતા તેને તોડી દેવામાં આવી છે. 



દુર્ઘટનામાં થયા હતા 288 જેટલા લોકોના મોત! 

ઓડિશામાં ત્રિપ્પલ ટ્રેન અકસ્માતે દેશવાસીઓને હચમચાવી દીધા હતા. દુર્ઘટનામાં 200થી વધારે લોકોના મોત થયા હતા જ્યારે મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સારવાર માટે હોસ્પિટલ તેમને ખસેડવામાં આવ્યા હતા. બ્લડને લઈ કમી ન થાય તે માટે અનેક લોકો રક્તદાન કરવા પણ પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ પહોંચી ગયા અને અનેક કલાકો સુધી ત્યાં રોકાયા હતા. શનિવાર બપોરે ખુદ પીએમ મોદીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી ઉપરાંત ઈજાગ્રસ્તોની પણ મુલાકાત લીધી હતી. 


બહાનાગા રેલવે સ્ટેશન પર નહીં રોકાય ટ્રેન!

ટ્રેન અકસ્માત મામલે તપાસ કરવા સીબીઆઈની ટીમ ત્યાં પહોંચી ગઈ છે. ઉંડાણથી તપાસ કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જે મુજબ બહાનાગા સ્ટેશનને સીલ કરી દેવામાં આવ્યું છે. આ સ્ટેશન પર ટ્રેન નહીં રોકાય ભલે તે માલગાડી હોય કે પછી પેસેન્ડર ટ્રેન હોય. રેલવે અધિકારી ચૌધરીએ જણાવ્યું કે તપાસ દરમિયાન CBIએ સ્ટેશનમાં હાજર તમામ દસ્તાવેજો તપાસ્યા. લોગ બુક, રિલે પેનલ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે.       




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.