ક્રૂડ ઓઈલ 9 ટકા ઘટ્યું, શું દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળશે


  • Published By :
  • Published Date : 2023-01-05 13:46:14

દુનિયાભરમાં વિવિધ વસ્તુઓની માંગ ઘટી રહી છે અને તેના કારણે નિકાશને પણ ફટકો પડ્યો છે.. જો કે હવે સમાન્ય માણસ, ઉદ્યોગ, ધંધા અને પરિવહન માટે અનિવાર્ય મનાતા ક્રુડ ઓઈલની માગમાં પણ ઘટાડો નોંધાયો છે. 


વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ 9 ટકા ઘટ્યું


વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ફ્યુચર્સ માર્ચ બાદ બે દિવસના ઘટાડા બાદ 73 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયું હતું. ચીનમાં કોવિડ-19ના કેસમાં વધારો થયા બાદ દુનિયાભરમાં કમોડિટીના સૌથી મોટા આયાતકાર દેશનું અર્થતંત્ર ડામાડોળ થયું છે. 


ક્રૂડ માર્કેટમાં મંદીના સંકેત


બજારમાં નિકટના ભવિષ્યમાં પુરતા પુરવઠાના સંકેતો મળી રહ્યા છે. કુલ મળીને ક્રૂડ બજારમાં તે મંદીના સંકેત છે. મહત્વની બાબત એ છે કે યુક્રેન યુધ્ધના પગલે રશિયાના ક્રૂડ પર પ્રતિબંધ છતાં આવી સ્થિતી સર્જાઈ છે. 


શું પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટશે


વિશ્વમાં મંદીની આશંકા, યુક્રેન યુધ્ધ, ચીન, જાપાન, સિંગાપોર અને થાઈલેન્ડમાં વધેલુ કોરોના સંક્રમણ સહિતના કારણોને લઈને ક્રૂડની માગ 9 ટકા ઘટી છે. જો  કે તેના કારણે ઘર આંગણે પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વર્ષ 2023માં 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી મોદી સરકાર મતદારોને રિઝવવા માટે  ભાવ ઘટાડે તો નવાઈ નહીં.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .