ક્રૂડ ઓઈલ 9 ટકા ઘટ્યું, શું દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળશે


  • Published By :
  • Published Date : 2023-01-05 13:46:14

દુનિયાભરમાં વિવિધ વસ્તુઓની માંગ ઘટી રહી છે અને તેના કારણે નિકાશને પણ ફટકો પડ્યો છે.. જો કે હવે સમાન્ય માણસ, ઉદ્યોગ, ધંધા અને પરિવહન માટે અનિવાર્ય મનાતા ક્રુડ ઓઈલની માગમાં પણ ઘટાડો નોંધાયો છે. 


વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ 9 ટકા ઘટ્યું


વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ફ્યુચર્સ માર્ચ બાદ બે દિવસના ઘટાડા બાદ 73 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયું હતું. ચીનમાં કોવિડ-19ના કેસમાં વધારો થયા બાદ દુનિયાભરમાં કમોડિટીના સૌથી મોટા આયાતકાર દેશનું અર્થતંત્ર ડામાડોળ થયું છે. 


ક્રૂડ માર્કેટમાં મંદીના સંકેત


બજારમાં નિકટના ભવિષ્યમાં પુરતા પુરવઠાના સંકેતો મળી રહ્યા છે. કુલ મળીને ક્રૂડ બજારમાં તે મંદીના સંકેત છે. મહત્વની બાબત એ છે કે યુક્રેન યુધ્ધના પગલે રશિયાના ક્રૂડ પર પ્રતિબંધ છતાં આવી સ્થિતી સર્જાઈ છે. 


શું પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટશે


વિશ્વમાં મંદીની આશંકા, યુક્રેન યુધ્ધ, ચીન, જાપાન, સિંગાપોર અને થાઈલેન્ડમાં વધેલુ કોરોના સંક્રમણ સહિતના કારણોને લઈને ક્રૂડની માગ 9 ટકા ઘટી છે. જો  કે તેના કારણે ઘર આંગણે પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વર્ષ 2023માં 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી મોદી સરકાર મતદારોને રિઝવવા માટે  ભાવ ઘટાડે તો નવાઈ નહીં.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.