બેંગલુરૂમાં ઓલા, ઉબેર અને રેપિડોની ઓટો ગેરકાયદે જાહેર, 3 દિવસમાં બંધ થશે સર્વિસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 16:42:17

કર્ણાટક સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગે ઓલા (Ola),ઉબેર  (Uber) અને રેપિડો (Rapido)ને એક નોટિસ ફટકારીને તેમની ઓટો સર્વિસને ગેરકાયદે જાહેર કરી છે. ટ્રાન્સપોર્ટ વિભાગે આ કંપનીઓને ત્રણ દિવસમાં તેમની ઓટો સર્વિસ બંધ કરવાનું કહ્યું છે. તે સાથે જ કેબ સર્વિસ એગ્રીગેટર્સને એક રિપોર્ટ રજૂ કરવા માટે માટે કહ્યું છે. 


શા માટે સરકારે લીધો આ કડક નિર્ણય?


અનેક મુસાફરોએ ટ્રાન્સપોર્ટ વિભાગને આ બાબતની ફરિયાદ કરી હતી કે ઓલા (Ola), ઉબેર (Uber) બે કિલોમીટરથી ઓછા અંતર માટે પણ ઓછામાં ઓછા 100 રૂપિયા ચાર્જ કરે છે. બીજી તરફ બેંગલુરૂમાં બે કિમી સુધીની મુસાફરીના ઓછામાં ઓછા 30 રૂપિયા ભાડું નક્કી છે. અને ત્યાર બાદ કિલોમીટર દીઠ 15 રૂપિયા ચાર્જ આપવાનો હોય છે. 


સરકાર કાયદેસરની કાર્યવાહી કરી શકે છે


ટ્રાન્સપોર્ટ વિભાગની નોટિસ અનુસાર, કેબ એગ્રીગેટર કંપનીઓએ વહેલી તકે તેમની ઓટો સેવાઓ બંધ કરવી પડશે. આ સાથે જ આ કંપનીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ ટેક્સીમાં મુસાફરી કરતા લોકો પાસેથી સરકાર દ્વારા આપવામાં આવેલા ભાડાથી વધુ ભાડું ન વસૂલે. ટ્રાન્સપોર્ટ વિભાગે એમ પણ કહ્યું છે કે જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે