બેંગલુરૂમાં ઓલા, ઉબેર અને રેપિડોની ઓટો ગેરકાયદે જાહેર, 3 દિવસમાં બંધ થશે સર્વિસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 16:42:17

કર્ણાટક સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગે ઓલા (Ola),ઉબેર  (Uber) અને રેપિડો (Rapido)ને એક નોટિસ ફટકારીને તેમની ઓટો સર્વિસને ગેરકાયદે જાહેર કરી છે. ટ્રાન્સપોર્ટ વિભાગે આ કંપનીઓને ત્રણ દિવસમાં તેમની ઓટો સર્વિસ બંધ કરવાનું કહ્યું છે. તે સાથે જ કેબ સર્વિસ એગ્રીગેટર્સને એક રિપોર્ટ રજૂ કરવા માટે માટે કહ્યું છે. 


શા માટે સરકારે લીધો આ કડક નિર્ણય?


અનેક મુસાફરોએ ટ્રાન્સપોર્ટ વિભાગને આ બાબતની ફરિયાદ કરી હતી કે ઓલા (Ola), ઉબેર (Uber) બે કિલોમીટરથી ઓછા અંતર માટે પણ ઓછામાં ઓછા 100 રૂપિયા ચાર્જ કરે છે. બીજી તરફ બેંગલુરૂમાં બે કિમી સુધીની મુસાફરીના ઓછામાં ઓછા 30 રૂપિયા ભાડું નક્કી છે. અને ત્યાર બાદ કિલોમીટર દીઠ 15 રૂપિયા ચાર્જ આપવાનો હોય છે. 


સરકાર કાયદેસરની કાર્યવાહી કરી શકે છે


ટ્રાન્સપોર્ટ વિભાગની નોટિસ અનુસાર, કેબ એગ્રીગેટર કંપનીઓએ વહેલી તકે તેમની ઓટો સેવાઓ બંધ કરવી પડશે. આ સાથે જ આ કંપનીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ ટેક્સીમાં મુસાફરી કરતા લોકો પાસેથી સરકાર દ્વારા આપવામાં આવેલા ભાડાથી વધુ ભાડું ન વસૂલે. ટ્રાન્સપોર્ટ વિભાગે એમ પણ કહ્યું છે કે જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.