બેંગલુરૂમાં ઓલા, ઉબેર અને રેપિડોની ઓટો ગેરકાયદે જાહેર, 3 દિવસમાં બંધ થશે સર્વિસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 16:42:17

કર્ણાટક સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગે ઓલા (Ola),ઉબેર  (Uber) અને રેપિડો (Rapido)ને એક નોટિસ ફટકારીને તેમની ઓટો સર્વિસને ગેરકાયદે જાહેર કરી છે. ટ્રાન્સપોર્ટ વિભાગે આ કંપનીઓને ત્રણ દિવસમાં તેમની ઓટો સર્વિસ બંધ કરવાનું કહ્યું છે. તે સાથે જ કેબ સર્વિસ એગ્રીગેટર્સને એક રિપોર્ટ રજૂ કરવા માટે માટે કહ્યું છે. 


શા માટે સરકારે લીધો આ કડક નિર્ણય?


અનેક મુસાફરોએ ટ્રાન્સપોર્ટ વિભાગને આ બાબતની ફરિયાદ કરી હતી કે ઓલા (Ola), ઉબેર (Uber) બે કિલોમીટરથી ઓછા અંતર માટે પણ ઓછામાં ઓછા 100 રૂપિયા ચાર્જ કરે છે. બીજી તરફ બેંગલુરૂમાં બે કિમી સુધીની મુસાફરીના ઓછામાં ઓછા 30 રૂપિયા ભાડું નક્કી છે. અને ત્યાર બાદ કિલોમીટર દીઠ 15 રૂપિયા ચાર્જ આપવાનો હોય છે. 


સરકાર કાયદેસરની કાર્યવાહી કરી શકે છે


ટ્રાન્સપોર્ટ વિભાગની નોટિસ અનુસાર, કેબ એગ્રીગેટર કંપનીઓએ વહેલી તકે તેમની ઓટો સેવાઓ બંધ કરવી પડશે. આ સાથે જ આ કંપનીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ ટેક્સીમાં મુસાફરી કરતા લોકો પાસેથી સરકાર દ્વારા આપવામાં આવેલા ભાડાથી વધુ ભાડું ન વસૂલે. ટ્રાન્સપોર્ટ વિભાગે એમ પણ કહ્યું છે કે જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.