વડોદરામાં રખડતા ઢોરના હુમલાને કારણે ગયો વૃદ્ધાનો જીવ, પશુપાલકની પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-03-04 12:36:52

રખડતા પશુઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. અનેક લોકો રખડતા પશુઓની અડફેટે આવતા મોતને ભેટતા હોય છે. અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં રખડતા પશુઓએ નિર્દોષ લોકોને પોતાના લપેટામાં લઈ લીધા હોય છે. ત્યારે વડોદરામાં ગઈ કાલે રખડતા પશુએ એક વૃદ્ધ મહિલાને પોતાની અડફેટે લઈ લીધી હતી. મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળ પર જ વૃદ્ધાનું મોત નિપજ્યું હતું, જેને કારણે સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી ઉઠી છે. ઘટના અંગે વૃદ્ધાના પુત્રએ પોલીસ ફરિયાદ કરી હતી જે બાદ પોલીસે મનુષ્ય વધનો ગુન્હો નોંધી પશુપાલકની ધરપકડ કરી છે. 


ટકોર બાદ પણ નથી કરાઈ કડક કાર્યવાહી 

રખડતા પશુઓનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે. રસ્તા પર ચાલતા લોકો તેમજ વાહનચાલકો રખડતા પશુઓનો શિકાર બની રહ્યા છે. હાઈકોર્ટ દ્વારા આ વાતને લઈ સરકારને ટકોર કરી હતી અને આ અંગે પગલા લેવામાં આવે તેવી વાત કહેવામાં આવી. પરંતુ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. રખડતા ગાય તેમજ રખડતા શ્વાનને કારણે લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. 


પશુપાલકની પોલીસે કરી ધરપકડ 

ત્યારે વડોદરામાં રખડતા પશુને કારણે એક વૃદ્ધાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પંચરત્ન સોસોયટી પાસે આ ઘટના બની હતી જ્યાં ગાયોના ટોળાએ વૃદ્ધાને પોતાની અડફેટમાં લઈ લીધી હતી. ગંભીર રીતે વૃદ્ધા ઘાયલ થઈ હતી. અને ત્યાં જ મહિલા મોતને ભેટી હતી. વૃદ્ધાનું મોત થતા પરિવારમાં શોકની સાથે સાથે રોષની લાગણી પણ વ્યાપી ઉઠી હતી. મહિલાના પુત્રએ આ ઘટના અંગે પોલીસ ફરિયાદ પણ કરી હતી. પોલીસે મનુષ્ય વધનો ગુન્હો નોંધી પશુપાલકની ધરપકડ કરી છે. આ સિવાય અનેક એવા કિસ્સાઓ છે જેમાં  રખડતાં પશુના હુમલાને કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.