વડોદરામાં રખડતા ઢોરના હુમલાને કારણે ગયો વૃદ્ધાનો જીવ, પશુપાલકની પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-03-04 12:36:52

રખડતા પશુઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. અનેક લોકો રખડતા પશુઓની અડફેટે આવતા મોતને ભેટતા હોય છે. અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં રખડતા પશુઓએ નિર્દોષ લોકોને પોતાના લપેટામાં લઈ લીધા હોય છે. ત્યારે વડોદરામાં ગઈ કાલે રખડતા પશુએ એક વૃદ્ધ મહિલાને પોતાની અડફેટે લઈ લીધી હતી. મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળ પર જ વૃદ્ધાનું મોત નિપજ્યું હતું, જેને કારણે સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી ઉઠી છે. ઘટના અંગે વૃદ્ધાના પુત્રએ પોલીસ ફરિયાદ કરી હતી જે બાદ પોલીસે મનુષ્ય વધનો ગુન્હો નોંધી પશુપાલકની ધરપકડ કરી છે. 


ટકોર બાદ પણ નથી કરાઈ કડક કાર્યવાહી 

રખડતા પશુઓનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે. રસ્તા પર ચાલતા લોકો તેમજ વાહનચાલકો રખડતા પશુઓનો શિકાર બની રહ્યા છે. હાઈકોર્ટ દ્વારા આ વાતને લઈ સરકારને ટકોર કરી હતી અને આ અંગે પગલા લેવામાં આવે તેવી વાત કહેવામાં આવી. પરંતુ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. રખડતા ગાય તેમજ રખડતા શ્વાનને કારણે લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. 


પશુપાલકની પોલીસે કરી ધરપકડ 

ત્યારે વડોદરામાં રખડતા પશુને કારણે એક વૃદ્ધાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પંચરત્ન સોસોયટી પાસે આ ઘટના બની હતી જ્યાં ગાયોના ટોળાએ વૃદ્ધાને પોતાની અડફેટમાં લઈ લીધી હતી. ગંભીર રીતે વૃદ્ધા ઘાયલ થઈ હતી. અને ત્યાં જ મહિલા મોતને ભેટી હતી. વૃદ્ધાનું મોત થતા પરિવારમાં શોકની સાથે સાથે રોષની લાગણી પણ વ્યાપી ઉઠી હતી. મહિલાના પુત્રએ આ ઘટના અંગે પોલીસ ફરિયાદ પણ કરી હતી. પોલીસે મનુષ્ય વધનો ગુન્હો નોંધી પશુપાલકની ધરપકડ કરી છે. આ સિવાય અનેક એવા કિસ્સાઓ છે જેમાં  રખડતાં પશુના હુમલાને કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.