વડોદરામાં રખડતા ઢોરના હુમલાને કારણે ગયો વૃદ્ધાનો જીવ, પશુપાલકની પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-03-04 12:36:52

રખડતા પશુઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. અનેક લોકો રખડતા પશુઓની અડફેટે આવતા મોતને ભેટતા હોય છે. અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં રખડતા પશુઓએ નિર્દોષ લોકોને પોતાના લપેટામાં લઈ લીધા હોય છે. ત્યારે વડોદરામાં ગઈ કાલે રખડતા પશુએ એક વૃદ્ધ મહિલાને પોતાની અડફેટે લઈ લીધી હતી. મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળ પર જ વૃદ્ધાનું મોત નિપજ્યું હતું, જેને કારણે સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી ઉઠી છે. ઘટના અંગે વૃદ્ધાના પુત્રએ પોલીસ ફરિયાદ કરી હતી જે બાદ પોલીસે મનુષ્ય વધનો ગુન્હો નોંધી પશુપાલકની ધરપકડ કરી છે. 


ટકોર બાદ પણ નથી કરાઈ કડક કાર્યવાહી 

રખડતા પશુઓનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે. રસ્તા પર ચાલતા લોકો તેમજ વાહનચાલકો રખડતા પશુઓનો શિકાર બની રહ્યા છે. હાઈકોર્ટ દ્વારા આ વાતને લઈ સરકારને ટકોર કરી હતી અને આ અંગે પગલા લેવામાં આવે તેવી વાત કહેવામાં આવી. પરંતુ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. રખડતા ગાય તેમજ રખડતા શ્વાનને કારણે લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. 


પશુપાલકની પોલીસે કરી ધરપકડ 

ત્યારે વડોદરામાં રખડતા પશુને કારણે એક વૃદ્ધાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પંચરત્ન સોસોયટી પાસે આ ઘટના બની હતી જ્યાં ગાયોના ટોળાએ વૃદ્ધાને પોતાની અડફેટમાં લઈ લીધી હતી. ગંભીર રીતે વૃદ્ધા ઘાયલ થઈ હતી. અને ત્યાં જ મહિલા મોતને ભેટી હતી. વૃદ્ધાનું મોત થતા પરિવારમાં શોકની સાથે સાથે રોષની લાગણી પણ વ્યાપી ઉઠી હતી. મહિલાના પુત્રએ આ ઘટના અંગે પોલીસ ફરિયાદ પણ કરી હતી. પોલીસે મનુષ્ય વધનો ગુન્હો નોંધી પશુપાલકની ધરપકડ કરી છે. આ સિવાય અનેક એવા કિસ્સાઓ છે જેમાં  રખડતાં પશુના હુમલાને કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.