ઓલિમ્પિક મેડલ વિજેતા રેસલર સાક્ષી મલિકે સંન્યાસની કરી જાહેરાત, WFIની ચૂંટણીના પરિણામોથી હતી નિરાશ


  • Published By :
  • Published Date : 2023-12-21 18:41:58

રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ની ચૂંટણીમાં પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહે એકતરફી જીત મેળવી છે. પ્રમુખ પદ માટેની સ્પર્ધા કોમનવેલ્થ ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા અનિતા શ્યોરણ સામે હતી. આ જીતને પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની જીત તરીકે જોવામાં આવી રહી છે. ચૂંટણી પરિણામો સામે આવ્યા બાદ ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતનાર કુસ્તીબાજ સાક્ષી મલિકે કુસ્તી છોડવાનો નિર્ણય લીધો છે.


સાક્ષીએ રડતી આંખે કરી નિવૃતીની જાહેરાત


બજરંગ પુનિયા અને બબીતા ​​ફોગાટ સાથે સાક્ષી મલિકે બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કર્યો હતો. પરંતુ હવે બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના મિત્ર ચૂંટણી જીત્યા બાદ સાક્ષીએ કુસ્તી છોડવાનો નિર્ણય કર્યો છે. મીડિયા સાથે વાત કરતી વખતે સાક્ષીએ  રડતી આંખે કહ્યું- અમે 40 દિવસ સુધી રસ્તા પર સૂતા રહ્યા અને દેશના ઘણા ભાગોમાંથી ઘણા લોકો અમને સપોર્ટ કરવા આવ્યા હતા. પરંતું હવે જો બ્રિજભૂષણ સિંહના બિઝનેસ પાર્ટનર અને નજીકના સહયોગી WFIના પ્રમુખ રહેશે એટલે હવે હું મારી કુસ્તી છોડી રહી છું. હવે હું તમને ત્યાં ક્યારેય જોવા નહીં મળું.

 

બ્રિજભૂષણ શરણ સિંહ પર આરોપ શું હતો?


18 જાન્યુઆરીએ ભારતીય કુશ્તીના ત્રણ મોટા કુસ્તીબાજો, બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને બબીતા ​​ફોગટે બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું . તે ની સાથે જ બીજા ઘણા યુવા કુસ્તીબાજો જોડાયા હતા. કુસ્તીબાજોએ તત્કાલિન રેસલિંગ ફેડરેશનના પ્રમુખ પર જાતીય સતામણી અને છેડતીના આરોપો લગાવ્યા હતા. રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે મુલાકાત કર્યા બાદ કુસ્તીબાજોએ 21 જાન્યુઆરીએ તેમના ધરણા સમાપ્ત કરી દીધા હતા.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .