'ઉંચી ઉંચી વાદીઓ' પછી ઓએમજી-2નું બીજું ગીત થયું રિલીઝ, ગીત સાંભળી તમે પણ થઈ જશો મંત્રમુગ્ધ!


  • Published By :
  • Published Date : 2023-07-27 16:47:00

ઓએમજી 2 ફિલ્મને લઈ અક્ષય કુમાર ચર્ચામાં રહી રહ્યા છે. થોડા સમય પહેલા ફિલ્મનું પહેલું ગીત ઉંચી ઉંચી વાદી રિલીઝ થયું હતું ત્યારે આજે ફરી એક ગીત રિલીઝ થયું છે. હર હર મહાદેવ ગીત એટલે કે ફિલ્મનું બીજું ગીત રિલીઝ થતાં સોશિયલ મીડિયા પર ફિલ્મ તેમજ અક્ષય કુમાર ટ્રેન્ડ થઈ રહ્યા છે. આ સોન્ગમાં અક્ષય કુમાર માથા પર ભસ્મ લગાવી શિવ તાંડવ કરતા દેખાઈ રહ્યા છે. મહત્વનું છે કે ઓ માય ગોડ ફિલ્મમાં કૃષ્ણ ભગવાનની ભૂમિકામાં અક્ષય કુમાર દેખાયા હતા ત્યારે આ ફિલ્મની સિક્વલમાં મહાદેવનો રોલ તે ભજવી રહ્યા છે.  

ગીતમાં અક્ષયકુમાર કરી રહ્યા છે શિવતાંડવ નૃત્ય 

અનેક વર્ષો પહેલા અક્ષય કુમાર અને પરેશ રાવલની ફિલ્મ ઓમાય ગોડ આવી હતી. તે ફિલ્મને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો હતો. બોક્સઓફિસમાં પણ સારી કમાણી કરી હતી. ત્યારે અનેક વર્ષો પછી ફિલ્મની સિક્વલ આવી રહી છે. 11 ઓગસ્ટના રોજ સિનેમાંઘરોમાં ફિલ્મ રિલીઝ થવાની છે. અક્ષય કુમાર આ ફિલ્મમાં મહાદેવ શિવનો રોલ નિભાવી રહ્યા છે, ફિલ્મનું આજે બીજું ગીત રિલીઝ થયું છે. ગીતમાં અક્ષય કુમારની એનર્જી દેખાઈ રહી છે. હર હર મહાદેવ ગીતની શરૂઆતમાં અક્ષય કુમાર સિંહાસન પર બેઠા છે અને તેની આસપાસ શિવભક્તોની ઉભેલા દેખાય છે. 

અક્ષય કુમારના ફેન્સને ખૂબ પસંદ આવ્યું ગીત  

દર્શકોને આ ફિલ્મનું ગીત ખૂબ પસંદ આવી રહ્યું છે. ગીતમાં પંકજ ત્રિપાઠીની પણ ઝલક જોવા મળે છે. સોંગ રિલીઝ થતાં જ ફિલ્મને સારો રિસ્પોન્સ મળી ગયો  છે. યુઝર્સને તે ગીત ખૂબ પસંદ આવ્યું હતું, મહત્વનું છે આ ફિલ્મને લઈ વિવાદ છેડાઈ ગયો છે. ટીઝરમાં બતાવવામાં આવેલા દ્રશ્યોને લઈ વિવાદ છેડાઈ ગયો હતો.  



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.