'ઉંચી ઉંચી વાદીઓ' પછી ઓએમજી-2નું બીજું ગીત થયું રિલીઝ, ગીત સાંભળી તમે પણ થઈ જશો મંત્રમુગ્ધ!


  • Published By :
  • Published Date : 2023-07-27 16:47:00

ઓએમજી 2 ફિલ્મને લઈ અક્ષય કુમાર ચર્ચામાં રહી રહ્યા છે. થોડા સમય પહેલા ફિલ્મનું પહેલું ગીત ઉંચી ઉંચી વાદી રિલીઝ થયું હતું ત્યારે આજે ફરી એક ગીત રિલીઝ થયું છે. હર હર મહાદેવ ગીત એટલે કે ફિલ્મનું બીજું ગીત રિલીઝ થતાં સોશિયલ મીડિયા પર ફિલ્મ તેમજ અક્ષય કુમાર ટ્રેન્ડ થઈ રહ્યા છે. આ સોન્ગમાં અક્ષય કુમાર માથા પર ભસ્મ લગાવી શિવ તાંડવ કરતા દેખાઈ રહ્યા છે. મહત્વનું છે કે ઓ માય ગોડ ફિલ્મમાં કૃષ્ણ ભગવાનની ભૂમિકામાં અક્ષય કુમાર દેખાયા હતા ત્યારે આ ફિલ્મની સિક્વલમાં મહાદેવનો રોલ તે ભજવી રહ્યા છે.  

ગીતમાં અક્ષયકુમાર કરી રહ્યા છે શિવતાંડવ નૃત્ય 

અનેક વર્ષો પહેલા અક્ષય કુમાર અને પરેશ રાવલની ફિલ્મ ઓમાય ગોડ આવી હતી. તે ફિલ્મને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો હતો. બોક્સઓફિસમાં પણ સારી કમાણી કરી હતી. ત્યારે અનેક વર્ષો પછી ફિલ્મની સિક્વલ આવી રહી છે. 11 ઓગસ્ટના રોજ સિનેમાંઘરોમાં ફિલ્મ રિલીઝ થવાની છે. અક્ષય કુમાર આ ફિલ્મમાં મહાદેવ શિવનો રોલ નિભાવી રહ્યા છે, ફિલ્મનું આજે બીજું ગીત રિલીઝ થયું છે. ગીતમાં અક્ષય કુમારની એનર્જી દેખાઈ રહી છે. હર હર મહાદેવ ગીતની શરૂઆતમાં અક્ષય કુમાર સિંહાસન પર બેઠા છે અને તેની આસપાસ શિવભક્તોની ઉભેલા દેખાય છે. 

અક્ષય કુમારના ફેન્સને ખૂબ પસંદ આવ્યું ગીત  

દર્શકોને આ ફિલ્મનું ગીત ખૂબ પસંદ આવી રહ્યું છે. ગીતમાં પંકજ ત્રિપાઠીની પણ ઝલક જોવા મળે છે. સોંગ રિલીઝ થતાં જ ફિલ્મને સારો રિસ્પોન્સ મળી ગયો  છે. યુઝર્સને તે ગીત ખૂબ પસંદ આવ્યું હતું, મહત્વનું છે આ ફિલ્મને લઈ વિવાદ છેડાઈ ગયો છે. ટીઝરમાં બતાવવામાં આવેલા દ્રશ્યોને લઈ વિવાદ છેડાઈ ગયો હતો.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.