'ઉંચી ઉંચી વાદીઓ' પછી ઓએમજી-2નું બીજું ગીત થયું રિલીઝ, ગીત સાંભળી તમે પણ થઈ જશો મંત્રમુગ્ધ!


  • Published By :
  • Published Date : 2023-07-27 16:47:00

ઓએમજી 2 ફિલ્મને લઈ અક્ષય કુમાર ચર્ચામાં રહી રહ્યા છે. થોડા સમય પહેલા ફિલ્મનું પહેલું ગીત ઉંચી ઉંચી વાદી રિલીઝ થયું હતું ત્યારે આજે ફરી એક ગીત રિલીઝ થયું છે. હર હર મહાદેવ ગીત એટલે કે ફિલ્મનું બીજું ગીત રિલીઝ થતાં સોશિયલ મીડિયા પર ફિલ્મ તેમજ અક્ષય કુમાર ટ્રેન્ડ થઈ રહ્યા છે. આ સોન્ગમાં અક્ષય કુમાર માથા પર ભસ્મ લગાવી શિવ તાંડવ કરતા દેખાઈ રહ્યા છે. મહત્વનું છે કે ઓ માય ગોડ ફિલ્મમાં કૃષ્ણ ભગવાનની ભૂમિકામાં અક્ષય કુમાર દેખાયા હતા ત્યારે આ ફિલ્મની સિક્વલમાં મહાદેવનો રોલ તે ભજવી રહ્યા છે.  

ગીતમાં અક્ષયકુમાર કરી રહ્યા છે શિવતાંડવ નૃત્ય 

અનેક વર્ષો પહેલા અક્ષય કુમાર અને પરેશ રાવલની ફિલ્મ ઓમાય ગોડ આવી હતી. તે ફિલ્મને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો હતો. બોક્સઓફિસમાં પણ સારી કમાણી કરી હતી. ત્યારે અનેક વર્ષો પછી ફિલ્મની સિક્વલ આવી રહી છે. 11 ઓગસ્ટના રોજ સિનેમાંઘરોમાં ફિલ્મ રિલીઝ થવાની છે. અક્ષય કુમાર આ ફિલ્મમાં મહાદેવ શિવનો રોલ નિભાવી રહ્યા છે, ફિલ્મનું આજે બીજું ગીત રિલીઝ થયું છે. ગીતમાં અક્ષય કુમારની એનર્જી દેખાઈ રહી છે. હર હર મહાદેવ ગીતની શરૂઆતમાં અક્ષય કુમાર સિંહાસન પર બેઠા છે અને તેની આસપાસ શિવભક્તોની ઉભેલા દેખાય છે. 

અક્ષય કુમારના ફેન્સને ખૂબ પસંદ આવ્યું ગીત  

દર્શકોને આ ફિલ્મનું ગીત ખૂબ પસંદ આવી રહ્યું છે. ગીતમાં પંકજ ત્રિપાઠીની પણ ઝલક જોવા મળે છે. સોંગ રિલીઝ થતાં જ ફિલ્મને સારો રિસ્પોન્સ મળી ગયો  છે. યુઝર્સને તે ગીત ખૂબ પસંદ આવ્યું હતું, મહત્વનું છે આ ફિલ્મને લઈ વિવાદ છેડાઈ ગયો છે. ટીઝરમાં બતાવવામાં આવેલા દ્રશ્યોને લઈ વિવાદ છેડાઈ ગયો હતો.  



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.