'ઉંચી ઉંચી વાદીઓ' પછી ઓએમજી-2નું બીજું ગીત થયું રિલીઝ, ગીત સાંભળી તમે પણ થઈ જશો મંત્રમુગ્ધ!


  • Published By :
  • Published Date : 2023-07-27 16:47:00

ઓએમજી 2 ફિલ્મને લઈ અક્ષય કુમાર ચર્ચામાં રહી રહ્યા છે. થોડા સમય પહેલા ફિલ્મનું પહેલું ગીત ઉંચી ઉંચી વાદી રિલીઝ થયું હતું ત્યારે આજે ફરી એક ગીત રિલીઝ થયું છે. હર હર મહાદેવ ગીત એટલે કે ફિલ્મનું બીજું ગીત રિલીઝ થતાં સોશિયલ મીડિયા પર ફિલ્મ તેમજ અક્ષય કુમાર ટ્રેન્ડ થઈ રહ્યા છે. આ સોન્ગમાં અક્ષય કુમાર માથા પર ભસ્મ લગાવી શિવ તાંડવ કરતા દેખાઈ રહ્યા છે. મહત્વનું છે કે ઓ માય ગોડ ફિલ્મમાં કૃષ્ણ ભગવાનની ભૂમિકામાં અક્ષય કુમાર દેખાયા હતા ત્યારે આ ફિલ્મની સિક્વલમાં મહાદેવનો રોલ તે ભજવી રહ્યા છે.  

ગીતમાં અક્ષયકુમાર કરી રહ્યા છે શિવતાંડવ નૃત્ય 

અનેક વર્ષો પહેલા અક્ષય કુમાર અને પરેશ રાવલની ફિલ્મ ઓમાય ગોડ આવી હતી. તે ફિલ્મને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો હતો. બોક્સઓફિસમાં પણ સારી કમાણી કરી હતી. ત્યારે અનેક વર્ષો પછી ફિલ્મની સિક્વલ આવી રહી છે. 11 ઓગસ્ટના રોજ સિનેમાંઘરોમાં ફિલ્મ રિલીઝ થવાની છે. અક્ષય કુમાર આ ફિલ્મમાં મહાદેવ શિવનો રોલ નિભાવી રહ્યા છે, ફિલ્મનું આજે બીજું ગીત રિલીઝ થયું છે. ગીતમાં અક્ષય કુમારની એનર્જી દેખાઈ રહી છે. હર હર મહાદેવ ગીતની શરૂઆતમાં અક્ષય કુમાર સિંહાસન પર બેઠા છે અને તેની આસપાસ શિવભક્તોની ઉભેલા દેખાય છે. 

અક્ષય કુમારના ફેન્સને ખૂબ પસંદ આવ્યું ગીત  

દર્શકોને આ ફિલ્મનું ગીત ખૂબ પસંદ આવી રહ્યું છે. ગીતમાં પંકજ ત્રિપાઠીની પણ ઝલક જોવા મળે છે. સોંગ રિલીઝ થતાં જ ફિલ્મને સારો રિસ્પોન્સ મળી ગયો  છે. યુઝર્સને તે ગીત ખૂબ પસંદ આવ્યું હતું, મહત્વનું છે આ ફિલ્મને લઈ વિવાદ છેડાઈ ગયો છે. ટીઝરમાં બતાવવામાં આવેલા દ્રશ્યોને લઈ વિવાદ છેડાઈ ગયો હતો.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી