ઓમિક્રોનનો વેરિયેન્ટ BF.7 એક સાથે 18 લોકોને સંક્રમિત કરવા સક્ષમ


  • Published By :
  • Published Date : 2022-12-23 20:10:57

ચીનમાં ફેલાયેલા કોરોના સંક્રમણ માટે જવાબદાર ઓમિક્રોનના વેરિયેન્ટ  BF.7થી સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ છે. અત્યંત સંક્રામક આ વેરિયેન્ટ એક સાથે 18 લોકોને સંક્રમિત કરી શકે છે. વળી તેના લક્ષણો પણ જલદીથી સમજી શકાય તેમ નથી


વેરિયેન્ટના લક્ષણો પકડાતા નથી


મીડિયા રિપોર્ટ મુજબ Omicron BF.7 વેરિઅન્ટનું R મૂલ્ય 10 થી 18.6 છે. આનો અર્થ એ છે કે આ નવા પ્રકારથી સંક્રમિત એક વ્યક્તિ લગભગ 18-19 લોકોને ચેપ લગાવી શકે છે. દુનિયાના ઘણા દેશો પછી ભારતમાં પણ તેના કેસ જોવા મળ્યા છે. ઠંડીમાં Omicron BF.7 ના લક્ષણો ઝડપથી પકડાતા નથી, કારણ કે શરદી અને કોરોના સંક્રમણના લક્ષણો મોટે ભાગે સમાન હોય છે. તેથી, આ લક્ષણોને બિલકુલ અવગણશો નહીં અને તરત જ ડૉક્ટર પાસે જાઓ અને ટેસ્ટ કરાવો.


ઓમિક્રોનના 130 સબ-વેરિઅન્ટ 


ચીનની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર વાઈરલ ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના વડા ઝુ વેન્બોના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ મહિનામાં ઓમિક્રોનના 130 સબ-વેરિઅન્ટ ચીનમાં જોવા મળ્યા છે. જેમાંથી 50 પેટા પ્રકારો ચેપના ક્લસ્ટરની રચના માટે જવાબદાર છે. ચીનના પ્રતિષ્ઠિત મીડિયા ચાઈના ડેઈલી દ્વારા આ માહિતી આપવામાં આવી છે.


બૂસ્ટર ડોઝ રક્ષણાત્મક કવચ છે


AIIMSના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કોવિડ બૂસ્ટર ડોઝને રક્ષણાત્મક કવચ તરીકે ગણાવ્યું છે. તેમનું માનવું છે કે તેનો બુસ્ટર ડોઝ લઈને Omicron BF.7 વેરિઅન્ટને રોકી શકાય છે. કારણ કે, ચીનમાં ઝીરો કોવિડ પોલિસીના કારણે લોકો રોગપ્રતિકારક શક્તિ વિકસાવી શક્યા નથી અને હવે તેઓ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે