'મન કી બાત કાર્યક્રમ'ને 100 એપિસોડ પૂરા થવા પર મોદી સરકાર જાહેર કરશે 100 રૂપિયાનો સિક્કો! સરકારે આપી આ અંગે જાણકારી!


  • Published By :
  • Published Date : 2023-04-21 10:55:04

મહિનાના અંતિમ રવિવારે રેડિયો પર વડાપ્રધાન મોદી મન કી બાત કાર્યક્રમ કરે છે. રેડિયોના માધ્યમથી પોતાની વાત લોકો સુધી પહોંચાડે છે. ત્યારે 30 એપ્રિલે મન કી બાત કાર્યક્રમના 100 એપિસોડ પૂરા થવાના છે. તેને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા 100 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવશે. સિક્કા પર લખવામાં આવ્યું હશું 'મન કી બાત 100'. તે સિવાય માઈક પણ બનાવામાં આવ્યું હશે અને 2023 પણ સિક્કા પર લખવામાં આવ્યું હશે.        

Image

100માં એપિસોડને લઈ ભાજપ દ્વારા કરવામાં આવી છે વિશેષ તૈયારી!

ઓક્ટોબર 2014 થી પ્રથમ વખત વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રની શરૂઆત કરી હતી. ત્યારે 30 એપ્રિલે આ મન કી બાત કાર્યક્રમને 100 એપિસોડ પૂરા થવા જઈ રહ્યા છે. 100 એપિસોડ પૂરા થતા 100 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવવાનો છે. આ સિક્કાની વાત કરીએ તો સિક્કાની ગોળાઈ 44 મિલીમીટરની હશે. રજત, તાંબુ, નિકલ અને જસતનું મિશ્રણનો ઉપયોગ આ સિક્કાને બનાવવા માટે કરવામાં આવ્યો છે. સોમાં એપિસોડનું પ્રસારણ લાખો લોકો જોવે તેવી વ્યવસ્થા ભાજપ દ્વારા કરવામાં આવી છે.એક લાખ જેટલા બૂથ પર આનું પ્રસારણ કરવામાં આવે તેવી યોજના ભાજપ દ્વારા કરવામાં આવી છે. 

પૂર્વ PM અટલજીના સન્માનમાં પીએમ મોદીએ લોન્ચ કર્યો 100 રૂપિયાનો સ્મારક સિક્કો

News & Views :: મોદી સરકારે બહાર પાડ્યો 100 રૂપિયાનો સિક્કો, જાણો બાકી  સિક્કાથી કઈ રીતે છે અલગ

આની પહેલા પણ બહાર પાડવામાં આવ્યો છે 100 રૂપિયાનો સિક્કો! 

આ પ્રથમ વખત નથી જ્યારે 100 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવશે. આની પહેલા અનેક વખત 100 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપૈયીને યાદ કરવા થોડા વર્ષો પહેલા મોદી સરકારે 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. તે ઉપરાંત રાજમાતા વિજયારાજે સિંધિયાની જન્મ શતાબ્દી પર પણ 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. તે સિવાય પણ અનેક ખાસ દિવસો તેમજ મોકાઓ પર 100 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.