'મન કી બાત કાર્યક્રમ'ને 100 એપિસોડ પૂરા થવા પર મોદી સરકાર જાહેર કરશે 100 રૂપિયાનો સિક્કો! સરકારે આપી આ અંગે જાણકારી!


  • Published By :
  • Published Date : 2023-04-21 10:55:04

મહિનાના અંતિમ રવિવારે રેડિયો પર વડાપ્રધાન મોદી મન કી બાત કાર્યક્રમ કરે છે. રેડિયોના માધ્યમથી પોતાની વાત લોકો સુધી પહોંચાડે છે. ત્યારે 30 એપ્રિલે મન કી બાત કાર્યક્રમના 100 એપિસોડ પૂરા થવાના છે. તેને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા 100 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવશે. સિક્કા પર લખવામાં આવ્યું હશું 'મન કી બાત 100'. તે સિવાય માઈક પણ બનાવામાં આવ્યું હશે અને 2023 પણ સિક્કા પર લખવામાં આવ્યું હશે.        

Image

100માં એપિસોડને લઈ ભાજપ દ્વારા કરવામાં આવી છે વિશેષ તૈયારી!

ઓક્ટોબર 2014 થી પ્રથમ વખત વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રની શરૂઆત કરી હતી. ત્યારે 30 એપ્રિલે આ મન કી બાત કાર્યક્રમને 100 એપિસોડ પૂરા થવા જઈ રહ્યા છે. 100 એપિસોડ પૂરા થતા 100 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવવાનો છે. આ સિક્કાની વાત કરીએ તો સિક્કાની ગોળાઈ 44 મિલીમીટરની હશે. રજત, તાંબુ, નિકલ અને જસતનું મિશ્રણનો ઉપયોગ આ સિક્કાને બનાવવા માટે કરવામાં આવ્યો છે. સોમાં એપિસોડનું પ્રસારણ લાખો લોકો જોવે તેવી વ્યવસ્થા ભાજપ દ્વારા કરવામાં આવી છે.એક લાખ જેટલા બૂથ પર આનું પ્રસારણ કરવામાં આવે તેવી યોજના ભાજપ દ્વારા કરવામાં આવી છે. 

પૂર્વ PM અટલજીના સન્માનમાં પીએમ મોદીએ લોન્ચ કર્યો 100 રૂપિયાનો સ્મારક સિક્કો

News & Views :: મોદી સરકારે બહાર પાડ્યો 100 રૂપિયાનો સિક્કો, જાણો બાકી  સિક્કાથી કઈ રીતે છે અલગ

આની પહેલા પણ બહાર પાડવામાં આવ્યો છે 100 રૂપિયાનો સિક્કો! 

આ પ્રથમ વખત નથી જ્યારે 100 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવશે. આની પહેલા અનેક વખત 100 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપૈયીને યાદ કરવા થોડા વર્ષો પહેલા મોદી સરકારે 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. તે ઉપરાંત રાજમાતા વિજયારાજે સિંધિયાની જન્મ શતાબ્દી પર પણ 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. તે સિવાય પણ અનેક ખાસ દિવસો તેમજ મોકાઓ પર 100 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે.   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.