એક તરફ પરષોત્તમ રૂપાલાનો વિવાદ તો બીજી તરફ કિરીટ પટેલનો બફાટ! ગુજરાતમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે Devanshi Joshiએ કેમ રાજા ભરતને યાદ કર્યા?


  • Published By :
  • Published Date : 2024-04-24 16:50:59

જ્યારે કોઈ વિવાદ ધીરે ધીરે શાંત થવા જઈ રહ્યો હોય, શાંત થવાને આરે હોય ત્યારે નેતાઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે વિવાદને ઉશ્કેરી શકે તેવા છે....! ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલો વિવાદ આપણે જાણીએ છીએ.. એક તરફ આ વિવાદ શાંત થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ અનેક નેતાઓ એવા નિવેદનો આપી રહ્યા છે જે વિવાદને ભડકાવાનું કામ કરી શકે છે...! ક્ષત્રિય સમાજને લઈ શરૂ થયેલો વિરોધ શાંત નથી થયો ત્યારે ભાજપના અનેક નેતાઓએ ફરી એક વખત વિવાદીત નિવેદન આપ્યું છે... 

ભાજપનો વિરોધ કરતા દેખાયો ક્ષત્રિય સમાજ   

લોકશાહીના મહાપર્વની આપણે ઉજવણી કરી રહ્યા છીએ... આપણો દેશ લોકશાહીમાં માનનારો દેશ છે તે વાતનો આપણે ગર્વ લેતા હોઈએ છીએ પરંતુ અનેક વખત નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનોને સાંભળતા લાગે કે જાણે લોકશાહીની મજાક બની રહી છે... પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈ આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો. પરષોત્તમ રૂપાલા સામે શરૂ થયેલો વિવાદ ધીમે ધીમે ભાજપના વિરોધમાં પરિવર્તિત થઈ રહ્યો છે.. ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે...


કિરીટ પટેલે આપ્યું વિવાદાસ્પદ નિવેદન

આ વિવાદને શાંત કરવા માટે ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું.. રાજા અને રાણીને લઈ આપવામાં આવેલા નિવેદન બાદ તેમણે માફી પણ માગી... સવાલ એ થાય કે આવું બોલવું જ શું કામ છે કે જેને કારણે માફી માગવાની નોબત આવે..? મહત્વનું છે કે રાજ્યમાં હમણાં જે પરસ્થિતિ છે તેમાં આ પ્રકારનું નિવેદન આપવું આગમાં ઘી નાખવાનું કામ કરી શકે છે. નેતા જે પણ ઉપદ્દેશ સાથે બોલ્યા હોય પરંતુ તેમનું નિવેદન રાજ્યની પરિસ્થિતિને બગાડી શકે છે...!


અનેક ઉદાહરણો છે આપણી સામે જેમાં.... 

આપણે ત્યાં, આપણા ઈતિહાસમાં એવી કહાણીઓ મળી આવે છે જેમાં રાજા માટે પુત્ર નહીં પરંતુ પ્રજા સર્વોપરી હતી. રાજાનો પુત્ર રાજા જ હોવો જોઈએ તે વાતને વખોડી નાખે તેવા અનેક ઉદાહરણો આપણી સામે છે.. તેમાનું એક ઉદાહરણ રાજા ભરતનું છે... આ વાતને લઈ મળતા ઉલ્લેખ પ્રમાણે રાજા દુષ્યંત અને શકુંતલાના પુત્ર રાજા ભરતને પોતાના પુત્રોથી અસંતોષ હતો.. જેને કારણે તેમણે તેમને મારી નાખ્યા.. અને મરૂતોને પ્રસન્ન કરીને બૃહસ્પતિના ભારદ્વાજને દત્તક લીધા.. ભારદ્વાજના પુત્ર વિતથને રાજા ભરતના ગાદીના વારસ બનાવ્યા હતા..    આપણે ત્યાં એવી અનેક ઘટનાઓ બની જેણે આપણા ઈતિહાસને કલંકિત કરી છે.. આપણી જનતાએ જે ઘટના ઘટી છે તેનો સ્વીકાર કર્યો છે.. 


આપણે ત્યાં બોલવાની સ્વતંત્રતા છે એનો મતલબ એ નથી થતો કે... 

આજે આપણે લોકશાહીમાં જીવીએ છીએ... વાણી સ્વતંત્રતાનો અધિકાર આપણને મળ્યો છે તેનો મતલબ એ નથી થતો કે બેફામ રીતે પહેલા બોલવાનું અને પછી માફી માગી લેવાની...ત્યારે સવાલ એ થાય કે ક્ષત્રિય સમાજ ઉદારતા બતાવે તો એનો મતલબ એ તો નથી થતો કે કંઈક પર નિવેદન આપવાનું અને છેલ્લે માફી માગી લેવાની...!        



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.