એક તરફ પરષોત્તમ રૂપાલાનો વિવાદ તો બીજી તરફ કિરીટ પટેલનો બફાટ! ગુજરાતમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે Devanshi Joshiએ કેમ રાજા ભરતને યાદ કર્યા?


  • Published By :
  • Published Date : 2024-04-24 16:50:59

જ્યારે કોઈ વિવાદ ધીરે ધીરે શાંત થવા જઈ રહ્યો હોય, શાંત થવાને આરે હોય ત્યારે નેતાઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે વિવાદને ઉશ્કેરી શકે તેવા છે....! ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલો વિવાદ આપણે જાણીએ છીએ.. એક તરફ આ વિવાદ શાંત થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ અનેક નેતાઓ એવા નિવેદનો આપી રહ્યા છે જે વિવાદને ભડકાવાનું કામ કરી શકે છે...! ક્ષત્રિય સમાજને લઈ શરૂ થયેલો વિરોધ શાંત નથી થયો ત્યારે ભાજપના અનેક નેતાઓએ ફરી એક વખત વિવાદીત નિવેદન આપ્યું છે... 

ભાજપનો વિરોધ કરતા દેખાયો ક્ષત્રિય સમાજ   

લોકશાહીના મહાપર્વની આપણે ઉજવણી કરી રહ્યા છીએ... આપણો દેશ લોકશાહીમાં માનનારો દેશ છે તે વાતનો આપણે ગર્વ લેતા હોઈએ છીએ પરંતુ અનેક વખત નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનોને સાંભળતા લાગે કે જાણે લોકશાહીની મજાક બની રહી છે... પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈ આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો. પરષોત્તમ રૂપાલા સામે શરૂ થયેલો વિવાદ ધીમે ધીમે ભાજપના વિરોધમાં પરિવર્તિત થઈ રહ્યો છે.. ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે...


કિરીટ પટેલે આપ્યું વિવાદાસ્પદ નિવેદન

આ વિવાદને શાંત કરવા માટે ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું.. રાજા અને રાણીને લઈ આપવામાં આવેલા નિવેદન બાદ તેમણે માફી પણ માગી... સવાલ એ થાય કે આવું બોલવું જ શું કામ છે કે જેને કારણે માફી માગવાની નોબત આવે..? મહત્વનું છે કે રાજ્યમાં હમણાં જે પરસ્થિતિ છે તેમાં આ પ્રકારનું નિવેદન આપવું આગમાં ઘી નાખવાનું કામ કરી શકે છે. નેતા જે પણ ઉપદ્દેશ સાથે બોલ્યા હોય પરંતુ તેમનું નિવેદન રાજ્યની પરિસ્થિતિને બગાડી શકે છે...!


અનેક ઉદાહરણો છે આપણી સામે જેમાં.... 

આપણે ત્યાં, આપણા ઈતિહાસમાં એવી કહાણીઓ મળી આવે છે જેમાં રાજા માટે પુત્ર નહીં પરંતુ પ્રજા સર્વોપરી હતી. રાજાનો પુત્ર રાજા જ હોવો જોઈએ તે વાતને વખોડી નાખે તેવા અનેક ઉદાહરણો આપણી સામે છે.. તેમાનું એક ઉદાહરણ રાજા ભરતનું છે... આ વાતને લઈ મળતા ઉલ્લેખ પ્રમાણે રાજા દુષ્યંત અને શકુંતલાના પુત્ર રાજા ભરતને પોતાના પુત્રોથી અસંતોષ હતો.. જેને કારણે તેમણે તેમને મારી નાખ્યા.. અને મરૂતોને પ્રસન્ન કરીને બૃહસ્પતિના ભારદ્વાજને દત્તક લીધા.. ભારદ્વાજના પુત્ર વિતથને રાજા ભરતના ગાદીના વારસ બનાવ્યા હતા..    આપણે ત્યાં એવી અનેક ઘટનાઓ બની જેણે આપણા ઈતિહાસને કલંકિત કરી છે.. આપણી જનતાએ જે ઘટના ઘટી છે તેનો સ્વીકાર કર્યો છે.. 


આપણે ત્યાં બોલવાની સ્વતંત્રતા છે એનો મતલબ એ નથી થતો કે... 

આજે આપણે લોકશાહીમાં જીવીએ છીએ... વાણી સ્વતંત્રતાનો અધિકાર આપણને મળ્યો છે તેનો મતલબ એ નથી થતો કે બેફામ રીતે પહેલા બોલવાનું અને પછી માફી માગી લેવાની...ત્યારે સવાલ એ થાય કે ક્ષત્રિય સમાજ ઉદારતા બતાવે તો એનો મતલબ એ તો નથી થતો કે કંઈક પર નિવેદન આપવાનું અને છેલ્લે માફી માગી લેવાની...!        



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે