PM મોદીના જન્મદિવસ પર કોંગ્રેસે કટાક્ષ સાથે વિરોધ નોંધાવ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 18:36:06

અનેક મુદ્દાઓ પર ઘેરવા કેન્દ્ર સરકારને ઘેરવા રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. વડાપ્રધાનના જન્મદિવસ પર વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે તો કોંગ્રેસ તેમના જન્મદિવસને રાષ્ટ્રીય બેરોજગારી દિવસ તરીકે ઉજવી રહી છે. વધતી બેરોજગારીને લઈ કોંગ્રેસે વડાપ્રધાન પર નિશાન સાધતા કહ્યું કે મોદીજી, ફોટો પાડવામાંથી અને ફોટો પડાવવામાંથી ઉંચા આવે તો બેરોજગાર યુવાનોની સમસ્યાઓ પર ધ્યાન આપે.  

Congress Slams Bjp After They Shared Photo Of Rahul Gandhi Wearing A  Designer T-shirt | Bharat Jodo Yatra: बीजेपी ने राहुल गांधी की टी-शर्ट को  लेकर कसा तंज, कांग्रेस ने पलटवार करते


રાહુલ ગાંધીએ ભાજપ પર સાધ્યું નિશાન

7મી સપ્ટેમ્બરથી રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. પોતાની યાત્રા દરમિયાન કેન્દ્ર સરકારને અનેક પ્રશ્નો પર ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે કોલ્લમ ખાતે રેલી દરમિયાન રાહુલ ગાંધીએ દેશમાં વધી રહેલી બેરોજગારી મુદ્દે ભાજપની સરકાર પર નિશાન સાધ્યું છે. પોતાના સંબોધન વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે વિશ્વના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ આ દેશના એક નેતાના ઘનિષ્ઠ છે.

 

વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી પર કોંગ્રેસનો પ્રહાર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભાજપ અનેક કાર્યક્રમો કરી તેમના જન્મદિવસની ઉજવણી કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસે રાષ્ટ્રીય બેરોજગારી દિવસની ઉજવણી કરી હતી. ચિત્તાની ફોટોગ્રાફી કરી રહેલા વડાપ્રધાન મોદી પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે. કોંગ્રેસે લખ્યું કે મોદીજી, ફોટો પાડવામાંથી અને ફોટો પડાવવામાંથી ઉંચા આવે તો બેરોજગાર યુવાનોની સમસ્યાઓ પર ધ્યાન આપે.

  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.