PM મોદીના જન્મદિવસ પર કોંગ્રેસે કટાક્ષ સાથે વિરોધ નોંધાવ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 18:36:06

અનેક મુદ્દાઓ પર ઘેરવા કેન્દ્ર સરકારને ઘેરવા રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. વડાપ્રધાનના જન્મદિવસ પર વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે તો કોંગ્રેસ તેમના જન્મદિવસને રાષ્ટ્રીય બેરોજગારી દિવસ તરીકે ઉજવી રહી છે. વધતી બેરોજગારીને લઈ કોંગ્રેસે વડાપ્રધાન પર નિશાન સાધતા કહ્યું કે મોદીજી, ફોટો પાડવામાંથી અને ફોટો પડાવવામાંથી ઉંચા આવે તો બેરોજગાર યુવાનોની સમસ્યાઓ પર ધ્યાન આપે.  

Congress Slams Bjp After They Shared Photo Of Rahul Gandhi Wearing A  Designer T-shirt | Bharat Jodo Yatra: बीजेपी ने राहुल गांधी की टी-शर्ट को  लेकर कसा तंज, कांग्रेस ने पलटवार करते


રાહુલ ગાંધીએ ભાજપ પર સાધ્યું નિશાન

7મી સપ્ટેમ્બરથી રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. પોતાની યાત્રા દરમિયાન કેન્દ્ર સરકારને અનેક પ્રશ્નો પર ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે કોલ્લમ ખાતે રેલી દરમિયાન રાહુલ ગાંધીએ દેશમાં વધી રહેલી બેરોજગારી મુદ્દે ભાજપની સરકાર પર નિશાન સાધ્યું છે. પોતાના સંબોધન વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે વિશ્વના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ આ દેશના એક નેતાના ઘનિષ્ઠ છે.

 

વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી પર કોંગ્રેસનો પ્રહાર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભાજપ અનેક કાર્યક્રમો કરી તેમના જન્મદિવસની ઉજવણી કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસે રાષ્ટ્રીય બેરોજગારી દિવસની ઉજવણી કરી હતી. ચિત્તાની ફોટોગ્રાફી કરી રહેલા વડાપ્રધાન મોદી પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે. કોંગ્રેસે લખ્યું કે મોદીજી, ફોટો પાડવામાંથી અને ફોટો પડાવવામાંથી ઉંચા આવે તો બેરોજગાર યુવાનોની સમસ્યાઓ પર ધ્યાન આપે.

  



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.