PM મોદીના જન્મદિવસ પર કોંગ્રેસે કટાક્ષ સાથે વિરોધ નોંધાવ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 18:36:06

અનેક મુદ્દાઓ પર ઘેરવા કેન્દ્ર સરકારને ઘેરવા રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. વડાપ્રધાનના જન્મદિવસ પર વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે તો કોંગ્રેસ તેમના જન્મદિવસને રાષ્ટ્રીય બેરોજગારી દિવસ તરીકે ઉજવી રહી છે. વધતી બેરોજગારીને લઈ કોંગ્રેસે વડાપ્રધાન પર નિશાન સાધતા કહ્યું કે મોદીજી, ફોટો પાડવામાંથી અને ફોટો પડાવવામાંથી ઉંચા આવે તો બેરોજગાર યુવાનોની સમસ્યાઓ પર ધ્યાન આપે.  

Congress Slams Bjp After They Shared Photo Of Rahul Gandhi Wearing A  Designer T-shirt | Bharat Jodo Yatra: बीजेपी ने राहुल गांधी की टी-शर्ट को  लेकर कसा तंज, कांग्रेस ने पलटवार करते


રાહુલ ગાંધીએ ભાજપ પર સાધ્યું નિશાન

7મી સપ્ટેમ્બરથી રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. પોતાની યાત્રા દરમિયાન કેન્દ્ર સરકારને અનેક પ્રશ્નો પર ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે કોલ્લમ ખાતે રેલી દરમિયાન રાહુલ ગાંધીએ દેશમાં વધી રહેલી બેરોજગારી મુદ્દે ભાજપની સરકાર પર નિશાન સાધ્યું છે. પોતાના સંબોધન વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે વિશ્વના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ આ દેશના એક નેતાના ઘનિષ્ઠ છે.

 

વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી પર કોંગ્રેસનો પ્રહાર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભાજપ અનેક કાર્યક્રમો કરી તેમના જન્મદિવસની ઉજવણી કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસે રાષ્ટ્રીય બેરોજગારી દિવસની ઉજવણી કરી હતી. ચિત્તાની ફોટોગ્રાફી કરી રહેલા વડાપ્રધાન મોદી પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે. કોંગ્રેસે લખ્યું કે મોદીજી, ફોટો પાડવામાંથી અને ફોટો પડાવવામાંથી ઉંચા આવે તો બેરોજગાર યુવાનોની સમસ્યાઓ પર ધ્યાન આપે.

  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.