રાહુલ ગાંધીનું સાંસદ પદ જવા પર US સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ લોકતંત્રને લઈ કહી મોટી વાત, જાણો શું કહ્યું વેદાંત પટેલે....


  • Published By :
  • Published Date : 2023-03-28 10:21:15

થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ્દ કરવામાં આવ્યું હતું. મોદી સરનેમ પર આપેલા નિવેદનને લઈ સુરતની કોર્ટે તેમને સજા અને દંડ ફટકાર્યો હતો. જે બાદ માત્ર અમુક કલાકોની અંદર જ રાહુલ ગાંધીને સંસદ માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે દેશના નહીં પરંતુ વિદેશના મંત્રીઓ પણ નિવેદન આપી રહ્યા છે. વિદેશી મીડિયા પણ આ મામલે ધ્યાન રાખી રહી હતી. ત્યારે અમેરિકાના ડેપ્યુટી પ્રિંસિપલ સ્પોક્સપર્સન વેદાંત પટેલે આ અંગે પ્રતિક્રિયા આપી છે.

     

શું કહ્યું વેદાંત પટેલે?

વેદાંત પટેલે આ અંગે નિવેદન આપતા કહ્યું કે કાયદો અને ન્યાય તંત્રનું સન્માન કોઈ પણ લોકતંત્રની આધારશિલા છે.અમે ભારતની અદાલતમાં રાહુલ ગાંધીનો  મામલો જોઈ રહ્યા હતા. ભારત સાથે વાતચીતમાં અને લોકતાંત્રિક મૂલ્યોનું મહત્વ, માનવાધિકારોની સુરક્ષા અને અભિવ્યક્તિની આઝાદી પર જોર આપી રહ્યા છે. કારણ કે એ જ કડી છે જે બંને દેશોના લોકતંત્રને મજબૂત કરે છે. 


આ મામલે શું થઈ કાર્યવાહી? 

ઉલ્લેખનીય છે કે 2019માં મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી. જે બાદ તેમની વિરૂદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. સુરતની કોર્ટમાં આ કેસને લઈ સુનાવણી દાખલ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા ઉપરાંત સજા પણ ફટકારી હતી. જે બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત સરકારી બંગલો ખાલી કરવા પણ રાહુલ ગાંધીને નોટિસ મોકલી દેવામાં  આવી છે. મળતી માહિતી અનુસાર 22 એપ્રિલ 2023 સુધી રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કરી દેવો પડશે. 


આ મામલે કોંગ્રેસ જોવા મળી શકે છે આક્રામક 

આ મુદ્દાને લઈ કોંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે. દેશભરમાં આ મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ઉપરાંત સંસદમાં પણ કોંગ્રેસના સાંસદો કાળા કપડા પહેરીને આવ્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો. ઉપરાંત આવનાર સમયમાં પણ કોંગ્રેસ આ મુદ્દાને લઈ વિરોધ કરી શકે છે તેવી માહિતી મળી રહી છે.     



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.