મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર અનેક રાજનેતાઓએ કર્યા બાપુને યાદ, રાજઘાટ જઈ અર્પી પુષ્પાંજલિ


  • Published By :
  • Published Date : 2023-01-30 16:24:25

મહાત્મા ગાંધીની આજે 75મીં પુણ્યતિથી છે. પુણ્યતિથીના દિવસે અનેક નેતાઓએ ગાંધી બાપુને યાદ કર્યા હતા. તે ઉપરાંત વડાપ્રધાન મોદી, રાજનાથ સિંહ સહિતના નેતાઓએ રાજઘાટ જઈ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દેશની આઝાદીમાં મહાત્મા ગાંધીના યોગદાનને યાદ કરવા આ દિવસને શહીદ દિવસ તરીકે ઉજવામાં આવે છે.

  

રાજઘાટ જઈ બાપુને આપી પુષ્પાંજલિ

30 જાન્યુઆરી 1948ના રોજ મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. તેમના મોતથી દેશમાં શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. આજે ગાંધી બાપુની 75મી પૂણ્યતિથી છે. બાપુને અનેક રાજનેતાઓએ યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ગાંધીજીના બલિદાનને યાદ કરવા 30 જાન્યુઆરીના રોજ શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજઘાટ ખાતે જઈ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન મોદી, રાજનાથ સિંહ સહિતના નેતાઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.  


ટ્વિટ કરી પીએમ મોદીએ કર્યા બાપુને યાદ 

તે સિવાય પીએમ મોદીએ ટ્વિટ કરીને પણ બાપુને યાદ કર્યા હતા. ટ્વિટમાં તેમણે લખ્યું કે હું બાપુને તેમની પુણ્યતિથી પર તેમને નમન કરું છું અને તેમના વિચારોને યાદ કરું છું. હું બધા લોકોને પણ શ્રદ્ધાંજલી અર્પણ કરું છું જે દેશ માટે શહીદ થયા છે. તેમના બલિદાનને કયારેય પણ ભૂલી ન શકાય. તે સિવાય અમિત શાહે પણ બાપુને યાદ કર્યા હતા. 


અમિત શાહે તેમજ અરવિંદ કેજરીવાલે બાપુને આપી શ્રદ્ધાંજલિ 

શાહે ટ્વિટ કરતા લખ્યું કે સ્વદેશી અને સ્વાવલંબનના માર્ગ પર ચાલી દેશને આત્મનિર્ભર બનાવાની પ્રેરણા આપવા વાળા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથી પર તેમને કોટી-કોટી વંદન. તે સિવાય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરી બાપુને યાદ કર્યા હતા. કેજરીવાલે લખ્યું કે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેમને કોટિ-કોટિ નમન. બાપુએ સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાની શીખ આપી હતી, તેમના દ્વારા બતાવામાં આવેલા માર્ગ પર ચાલતા દેશની સેવા કરવી એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે.          



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.