મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર અનેક રાજનેતાઓએ કર્યા બાપુને યાદ, રાજઘાટ જઈ અર્પી પુષ્પાંજલિ


  • Published By :
  • Published Date : 2023-01-30 16:24:25

મહાત્મા ગાંધીની આજે 75મીં પુણ્યતિથી છે. પુણ્યતિથીના દિવસે અનેક નેતાઓએ ગાંધી બાપુને યાદ કર્યા હતા. તે ઉપરાંત વડાપ્રધાન મોદી, રાજનાથ સિંહ સહિતના નેતાઓએ રાજઘાટ જઈ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દેશની આઝાદીમાં મહાત્મા ગાંધીના યોગદાનને યાદ કરવા આ દિવસને શહીદ દિવસ તરીકે ઉજવામાં આવે છે.

  

રાજઘાટ જઈ બાપુને આપી પુષ્પાંજલિ

30 જાન્યુઆરી 1948ના રોજ મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. તેમના મોતથી દેશમાં શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. આજે ગાંધી બાપુની 75મી પૂણ્યતિથી છે. બાપુને અનેક રાજનેતાઓએ યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ગાંધીજીના બલિદાનને યાદ કરવા 30 જાન્યુઆરીના રોજ શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજઘાટ ખાતે જઈ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન મોદી, રાજનાથ સિંહ સહિતના નેતાઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.  


ટ્વિટ કરી પીએમ મોદીએ કર્યા બાપુને યાદ 

તે સિવાય પીએમ મોદીએ ટ્વિટ કરીને પણ બાપુને યાદ કર્યા હતા. ટ્વિટમાં તેમણે લખ્યું કે હું બાપુને તેમની પુણ્યતિથી પર તેમને નમન કરું છું અને તેમના વિચારોને યાદ કરું છું. હું બધા લોકોને પણ શ્રદ્ધાંજલી અર્પણ કરું છું જે દેશ માટે શહીદ થયા છે. તેમના બલિદાનને કયારેય પણ ભૂલી ન શકાય. તે સિવાય અમિત શાહે પણ બાપુને યાદ કર્યા હતા. 


અમિત શાહે તેમજ અરવિંદ કેજરીવાલે બાપુને આપી શ્રદ્ધાંજલિ 

શાહે ટ્વિટ કરતા લખ્યું કે સ્વદેશી અને સ્વાવલંબનના માર્ગ પર ચાલી દેશને આત્મનિર્ભર બનાવાની પ્રેરણા આપવા વાળા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથી પર તેમને કોટી-કોટી વંદન. તે સિવાય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરી બાપુને યાદ કર્યા હતા. કેજરીવાલે લખ્યું કે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેમને કોટિ-કોટિ નમન. બાપુએ સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાની શીખ આપી હતી, તેમના દ્વારા બતાવામાં આવેલા માર્ગ પર ચાલતા દેશની સેવા કરવી એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે.          



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.