દિલ્હીમાં બનેલી ઘટના પર સીએમ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સાધ્યું એલજી પર નિશાન! મહિલાઓની સુરક્ષા અંગે એલજીને સીએમના પ્રશ્ન!


  • Published By :
  • Published Date : 2023-05-29 15:54:59

દિલ્હીમાં બનેલી હત્યાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધી છે. 20 વર્ષના સાહિલે 16 વર્ષની સાક્ષી પર જીવલેણ હુમલો કર્યો હતો. ચપ્પુના ઘા મારી તેને ઘાયલ કરી હતી તે ઉપરાંત પથ્થરથી હુમલો કર્યો હતો. ત્યારે આ વાતને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.  આ વાતને લઈ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એલજી પર નિશાન સાધ્યું હતું. આ ઘટનાને લઈ સીએમ કેજરીવાલે ટ્વિટ કર્યું હતું તે સિવાય દિલ્હીના શિક્ષણમંત્રીએ પણ મહિલાઓની સુરક્ષાને લઈ સવાલ ઉઠાવ્યા છે.


અરવિંદ કેજરીવાલે એલજી પર સાધ્યું નિશાન!

દિલ્હીમાં મુખ્યમંત્રી અને એલજી વચ્ચે ચાલતા વિવાદ અંગે બધા જાણે છે. ત્યારે દિલ્હીમાં સગીરાની થયેલી નિર્મમ હત્યાને લઈ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એલજી પર નિશાન સાધ્યું છે. ટ્વિટ કરી કેજરીવાલે લખ્યું કે દિલ્હીમાં ખુલ્લેઆમ એક સગીરાની બેરહમીથી હત્યા કરી દેવામાં આવે છે. આ બેહદ દુખદ છે અને દુર્ભાગ્યપૂર્ણ છે. અપરાધી બેખોફ બની રહ્યા છે, પોલીસનો કોઈ ડર જ નથી. એલજી સાહેબ કાયદો વ્યવસ્થા જાણવી તમારી જવાબદારી છે, કંઈક કરો. દિલ્હીના લોકોની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે. 


મહિલાની સુરક્ષા પર ધ્યાન આપવા શિક્ષામંત્રીની અપીલ!

અરવિંદ કેજરીવાલ સિવાય દિલ્હીના શિક્ષામંત્રી આતિશીએ પણ ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું કે આ ખોફનાક હત્યા જોઈ રૂંવાડા ઉભા થઈ જાય. હું ઉપરાજ્યપાલને યાદ કરાવા માગું છું કે સંવિધાને તેમને દિલ્હીના લોકોની સુરક્ષાની જવાબદારી આપી છે. પરંતુ તે પોતાનો આખો સમય સીએમ અરવિંદ કેજરીવાલના કામને રોકવામાં લગાવે છે. દિલ્હીની મહિલાઓની સુરક્ષા પર ધ્યાન આપે. આજે દિલ્હીની મહિલા બિલકુલ સુરક્ષિત નથી



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.