દિલ્હીમાં બનેલી ઘટના પર સીએમ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સાધ્યું એલજી પર નિશાન! મહિલાઓની સુરક્ષા અંગે એલજીને સીએમના પ્રશ્ન!


  • Published By :
  • Published Date : 2023-05-29 15:54:59

દિલ્હીમાં બનેલી હત્યાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધી છે. 20 વર્ષના સાહિલે 16 વર્ષની સાક્ષી પર જીવલેણ હુમલો કર્યો હતો. ચપ્પુના ઘા મારી તેને ઘાયલ કરી હતી તે ઉપરાંત પથ્થરથી હુમલો કર્યો હતો. ત્યારે આ વાતને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.  આ વાતને લઈ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એલજી પર નિશાન સાધ્યું હતું. આ ઘટનાને લઈ સીએમ કેજરીવાલે ટ્વિટ કર્યું હતું તે સિવાય દિલ્હીના શિક્ષણમંત્રીએ પણ મહિલાઓની સુરક્ષાને લઈ સવાલ ઉઠાવ્યા છે.


અરવિંદ કેજરીવાલે એલજી પર સાધ્યું નિશાન!

દિલ્હીમાં મુખ્યમંત્રી અને એલજી વચ્ચે ચાલતા વિવાદ અંગે બધા જાણે છે. ત્યારે દિલ્હીમાં સગીરાની થયેલી નિર્મમ હત્યાને લઈ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એલજી પર નિશાન સાધ્યું છે. ટ્વિટ કરી કેજરીવાલે લખ્યું કે દિલ્હીમાં ખુલ્લેઆમ એક સગીરાની બેરહમીથી હત્યા કરી દેવામાં આવે છે. આ બેહદ દુખદ છે અને દુર્ભાગ્યપૂર્ણ છે. અપરાધી બેખોફ બની રહ્યા છે, પોલીસનો કોઈ ડર જ નથી. એલજી સાહેબ કાયદો વ્યવસ્થા જાણવી તમારી જવાબદારી છે, કંઈક કરો. દિલ્હીના લોકોની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે. 


મહિલાની સુરક્ષા પર ધ્યાન આપવા શિક્ષામંત્રીની અપીલ!

અરવિંદ કેજરીવાલ સિવાય દિલ્હીના શિક્ષામંત્રી આતિશીએ પણ ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું કે આ ખોફનાક હત્યા જોઈ રૂંવાડા ઉભા થઈ જાય. હું ઉપરાજ્યપાલને યાદ કરાવા માગું છું કે સંવિધાને તેમને દિલ્હીના લોકોની સુરક્ષાની જવાબદારી આપી છે. પરંતુ તે પોતાનો આખો સમય સીએમ અરવિંદ કેજરીવાલના કામને રોકવામાં લગાવે છે. દિલ્હીની મહિલાઓની સુરક્ષા પર ધ્યાન આપે. આજે દિલ્હીની મહિલા બિલકુલ સુરક્ષિત નથી



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.