કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે ચાલતી ખેંચતાણ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય, કહ્યું 'અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફરનો અધિકાર દિલ્હી સરકાર પાસે હોવો જોઈએ'


  • Published By :
  • Published Date : 2023-05-11 12:47:48

દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલતા વિવાદ પર સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હી વિધાનસભાના સદસ્ય બીજા ધારાસભ્યોની જેમ જ ચૂંટાયીને આવ્યા છે. દિલ્હી સરકાર દિલ્હીમાં અધિકારીઓની બદલી અને પોસ્ટિંગને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ત્યારે પાંચ જજોની બેન્ચે આ મામલે નિર્ણય સંભળાવ્યો છે. જજોએ કહ્યું કે જસ્ટિસ ભૂષણના 2019ના નિર્ણયથી સહમત નથી. દિલ્હી સરકારને સંયુક્ત સચિવ સ્તરથી ઉપરના અધિકારીઓ પર કોઈ સત્તા નથી. એનસીટીડી સંપૂર્ણ રાજ્ય ન હોવા છતાં, તેની પાસે કાયદો ઘડવાની સત્તા છે.

વહીવટી સેવાઓને લઈ સુપ્રીમ કોર્ટે કર્યો મહત્વનો નિર્ણય!

કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે ચાલતો વિવાદ જગ જાહેર છે. વહીવટી સેવાઓને લઈને બંને વચ્ચે ખેંચતાણ ચાલતી હતી. ત્યારે આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે ચુકાદો સંભળાવતા કહ્યું કે આ સર્વસંમતિથી લેવાયેલ નિર્ણય છે. નિર્ણયને સંભળાવતા જજોએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્યો બંને પાસે કાયદો ઘડવાની સત્તા છે, પરંતુ કેન્દ્ર સરકારે એટલી બધી પણ દખલગીરી ન કરવી જોઈએ કે તે રાજ્ય સરકારનું કામ પોતાના હાથમાં લઈ લે.

 

ઉપરાજ્યપાલ દિલ્હી સરકારની સલાહ પર કામ કરશે - સુપ્રીમ કોર્ટ 

ઉપરાંત એવું પણ જણાવ્યું કે જો કોઈપણ અધિકારીને લાગે છે કે સરકાર તેના પર અંકુશ રાખી શકતી નથી તો તેની જવાબદારી ઘટી જશે અને તેના કામ પર અસર પડશે. ઉપરાજ્યપાલે દિલ્હી સરકારની સલાહ પર જ કામ કરવાનું રહેશે. મહત્વનું છે કે આ મામલે ચૂકાદો 18 જાન્યુઆરીથી આરક્ષિત રાખવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી સીજેઆઈ ઉપરાંત જસ્ટિસ એમઆર શાહ, જસ્ટિસ કૃષ્ણ મુરારી, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાનો સમાવેશ થાય છે.     


અધિકારીઓની ટ્રાન્સફર, પોસ્ટિંગનો અધિકાર દિલ્હી સરકાર પાસે રહેશે!

આ મામલાનો નિર્ણય સંભળાવતા સીજેઆઈએ કહ્યું કે જો ચૂંટાયેલી સરકારને તેના અધિકારીઓને નિયંત્રિત કરવાનો અધિકાર નથી, તો તે જવાબદારીના સિદ્ધાંતને નિરર્થક બનાવી દેશે. એટલા માટે ટ્રાન્સફર, પોસ્ટિંગનો અધિકાર સરકાર પાસે રહેશે. તે જ સમયે, એલજીએ વહીવટના કામમાં સરકારની સલાહનું પાલન કરવું જોઈએ. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.