કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે ચાલતી ખેંચતાણ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય, કહ્યું 'અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફરનો અધિકાર દિલ્હી સરકાર પાસે હોવો જોઈએ'


  • Published By :
  • Published Date : 2023-05-11 12:47:48

દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલતા વિવાદ પર સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હી વિધાનસભાના સદસ્ય બીજા ધારાસભ્યોની જેમ જ ચૂંટાયીને આવ્યા છે. દિલ્હી સરકાર દિલ્હીમાં અધિકારીઓની બદલી અને પોસ્ટિંગને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ત્યારે પાંચ જજોની બેન્ચે આ મામલે નિર્ણય સંભળાવ્યો છે. જજોએ કહ્યું કે જસ્ટિસ ભૂષણના 2019ના નિર્ણયથી સહમત નથી. દિલ્હી સરકારને સંયુક્ત સચિવ સ્તરથી ઉપરના અધિકારીઓ પર કોઈ સત્તા નથી. એનસીટીડી સંપૂર્ણ રાજ્ય ન હોવા છતાં, તેની પાસે કાયદો ઘડવાની સત્તા છે.

વહીવટી સેવાઓને લઈ સુપ્રીમ કોર્ટે કર્યો મહત્વનો નિર્ણય!

કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે ચાલતો વિવાદ જગ જાહેર છે. વહીવટી સેવાઓને લઈને બંને વચ્ચે ખેંચતાણ ચાલતી હતી. ત્યારે આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે ચુકાદો સંભળાવતા કહ્યું કે આ સર્વસંમતિથી લેવાયેલ નિર્ણય છે. નિર્ણયને સંભળાવતા જજોએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્યો બંને પાસે કાયદો ઘડવાની સત્તા છે, પરંતુ કેન્દ્ર સરકારે એટલી બધી પણ દખલગીરી ન કરવી જોઈએ કે તે રાજ્ય સરકારનું કામ પોતાના હાથમાં લઈ લે.

 

ઉપરાજ્યપાલ દિલ્હી સરકારની સલાહ પર કામ કરશે - સુપ્રીમ કોર્ટ 

ઉપરાંત એવું પણ જણાવ્યું કે જો કોઈપણ અધિકારીને લાગે છે કે સરકાર તેના પર અંકુશ રાખી શકતી નથી તો તેની જવાબદારી ઘટી જશે અને તેના કામ પર અસર પડશે. ઉપરાજ્યપાલે દિલ્હી સરકારની સલાહ પર જ કામ કરવાનું રહેશે. મહત્વનું છે કે આ મામલે ચૂકાદો 18 જાન્યુઆરીથી આરક્ષિત રાખવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી સીજેઆઈ ઉપરાંત જસ્ટિસ એમઆર શાહ, જસ્ટિસ કૃષ્ણ મુરારી, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાનો સમાવેશ થાય છે.     


અધિકારીઓની ટ્રાન્સફર, પોસ્ટિંગનો અધિકાર દિલ્હી સરકાર પાસે રહેશે!

આ મામલાનો નિર્ણય સંભળાવતા સીજેઆઈએ કહ્યું કે જો ચૂંટાયેલી સરકારને તેના અધિકારીઓને નિયંત્રિત કરવાનો અધિકાર નથી, તો તે જવાબદારીના સિદ્ધાંતને નિરર્થક બનાવી દેશે. એટલા માટે ટ્રાન્સફર, પોસ્ટિંગનો અધિકાર સરકાર પાસે રહેશે. તે જ સમયે, એલજીએ વહીવટના કામમાં સરકારની સલાહનું પાલન કરવું જોઈએ. 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.