કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે ચાલતી ખેંચતાણ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય, કહ્યું 'અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફરનો અધિકાર દિલ્હી સરકાર પાસે હોવો જોઈએ'


  • Published By :
  • Published Date : 2023-05-11 12:47:48

દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલતા વિવાદ પર સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હી વિધાનસભાના સદસ્ય બીજા ધારાસભ્યોની જેમ જ ચૂંટાયીને આવ્યા છે. દિલ્હી સરકાર દિલ્હીમાં અધિકારીઓની બદલી અને પોસ્ટિંગને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ત્યારે પાંચ જજોની બેન્ચે આ મામલે નિર્ણય સંભળાવ્યો છે. જજોએ કહ્યું કે જસ્ટિસ ભૂષણના 2019ના નિર્ણયથી સહમત નથી. દિલ્હી સરકારને સંયુક્ત સચિવ સ્તરથી ઉપરના અધિકારીઓ પર કોઈ સત્તા નથી. એનસીટીડી સંપૂર્ણ રાજ્ય ન હોવા છતાં, તેની પાસે કાયદો ઘડવાની સત્તા છે.

વહીવટી સેવાઓને લઈ સુપ્રીમ કોર્ટે કર્યો મહત્વનો નિર્ણય!

કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે ચાલતો વિવાદ જગ જાહેર છે. વહીવટી સેવાઓને લઈને બંને વચ્ચે ખેંચતાણ ચાલતી હતી. ત્યારે આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે ચુકાદો સંભળાવતા કહ્યું કે આ સર્વસંમતિથી લેવાયેલ નિર્ણય છે. નિર્ણયને સંભળાવતા જજોએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્યો બંને પાસે કાયદો ઘડવાની સત્તા છે, પરંતુ કેન્દ્ર સરકારે એટલી બધી પણ દખલગીરી ન કરવી જોઈએ કે તે રાજ્ય સરકારનું કામ પોતાના હાથમાં લઈ લે.

 

ઉપરાજ્યપાલ દિલ્હી સરકારની સલાહ પર કામ કરશે - સુપ્રીમ કોર્ટ 

ઉપરાંત એવું પણ જણાવ્યું કે જો કોઈપણ અધિકારીને લાગે છે કે સરકાર તેના પર અંકુશ રાખી શકતી નથી તો તેની જવાબદારી ઘટી જશે અને તેના કામ પર અસર પડશે. ઉપરાજ્યપાલે દિલ્હી સરકારની સલાહ પર જ કામ કરવાનું રહેશે. મહત્વનું છે કે આ મામલે ચૂકાદો 18 જાન્યુઆરીથી આરક્ષિત રાખવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી સીજેઆઈ ઉપરાંત જસ્ટિસ એમઆર શાહ, જસ્ટિસ કૃષ્ણ મુરારી, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાનો સમાવેશ થાય છે.     


અધિકારીઓની ટ્રાન્સફર, પોસ્ટિંગનો અધિકાર દિલ્હી સરકાર પાસે રહેશે!

આ મામલાનો નિર્ણય સંભળાવતા સીજેઆઈએ કહ્યું કે જો ચૂંટાયેલી સરકારને તેના અધિકારીઓને નિયંત્રિત કરવાનો અધિકાર નથી, તો તે જવાબદારીના સિદ્ધાંતને નિરર્થક બનાવી દેશે. એટલા માટે ટ્રાન્સફર, પોસ્ટિંગનો અધિકાર સરકાર પાસે રહેશે. તે જ સમયે, એલજીએ વહીવટના કામમાં સરકારની સલાહનું પાલન કરવું જોઈએ. 




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.