કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે ચાલતી ખેંચતાણ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય, કહ્યું 'અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફરનો અધિકાર દિલ્હી સરકાર પાસે હોવો જોઈએ'


  • Published By :
  • Published Date : 2023-05-11 12:47:48

દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલતા વિવાદ પર સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હી વિધાનસભાના સદસ્ય બીજા ધારાસભ્યોની જેમ જ ચૂંટાયીને આવ્યા છે. દિલ્હી સરકાર દિલ્હીમાં અધિકારીઓની બદલી અને પોસ્ટિંગને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ત્યારે પાંચ જજોની બેન્ચે આ મામલે નિર્ણય સંભળાવ્યો છે. જજોએ કહ્યું કે જસ્ટિસ ભૂષણના 2019ના નિર્ણયથી સહમત નથી. દિલ્હી સરકારને સંયુક્ત સચિવ સ્તરથી ઉપરના અધિકારીઓ પર કોઈ સત્તા નથી. એનસીટીડી સંપૂર્ણ રાજ્ય ન હોવા છતાં, તેની પાસે કાયદો ઘડવાની સત્તા છે.

વહીવટી સેવાઓને લઈ સુપ્રીમ કોર્ટે કર્યો મહત્વનો નિર્ણય!

કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે ચાલતો વિવાદ જગ જાહેર છે. વહીવટી સેવાઓને લઈને બંને વચ્ચે ખેંચતાણ ચાલતી હતી. ત્યારે આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે ચુકાદો સંભળાવતા કહ્યું કે આ સર્વસંમતિથી લેવાયેલ નિર્ણય છે. નિર્ણયને સંભળાવતા જજોએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્યો બંને પાસે કાયદો ઘડવાની સત્તા છે, પરંતુ કેન્દ્ર સરકારે એટલી બધી પણ દખલગીરી ન કરવી જોઈએ કે તે રાજ્ય સરકારનું કામ પોતાના હાથમાં લઈ લે.

 

ઉપરાજ્યપાલ દિલ્હી સરકારની સલાહ પર કામ કરશે - સુપ્રીમ કોર્ટ 

ઉપરાંત એવું પણ જણાવ્યું કે જો કોઈપણ અધિકારીને લાગે છે કે સરકાર તેના પર અંકુશ રાખી શકતી નથી તો તેની જવાબદારી ઘટી જશે અને તેના કામ પર અસર પડશે. ઉપરાજ્યપાલે દિલ્હી સરકારની સલાહ પર જ કામ કરવાનું રહેશે. મહત્વનું છે કે આ મામલે ચૂકાદો 18 જાન્યુઆરીથી આરક્ષિત રાખવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી સીજેઆઈ ઉપરાંત જસ્ટિસ એમઆર શાહ, જસ્ટિસ કૃષ્ણ મુરારી, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાનો સમાવેશ થાય છે.     


અધિકારીઓની ટ્રાન્સફર, પોસ્ટિંગનો અધિકાર દિલ્હી સરકાર પાસે રહેશે!

આ મામલાનો નિર્ણય સંભળાવતા સીજેઆઈએ કહ્યું કે જો ચૂંટાયેલી સરકારને તેના અધિકારીઓને નિયંત્રિત કરવાનો અધિકાર નથી, તો તે જવાબદારીના સિદ્ધાંતને નિરર્થક બનાવી દેશે. એટલા માટે ટ્રાન્સફર, પોસ્ટિંગનો અધિકાર સરકાર પાસે રહેશે. તે જ સમયે, એલજીએ વહીવટના કામમાં સરકારની સલાહનું પાલન કરવું જોઈએ. 




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.