ફરી એક વખત કોંગેસે વડાપ્રધાન મોદી પર કર્યા પ્રહાર, જયરામ રમેશે કહ્યું વડાપ્રધાનની આત્મમુગ્ધતા ચરમસીમાએ છે


  • Published By :
  • Published Date : 2023-03-09 15:21:39

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચને નિહાળવા ભારતના વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થથી એલ્બાનીઝ અમદાવાદ આવ્યા હતા. સ્ટેડિયમમાં ઉપસ્થિત રહી બંને દેશોના પીએમએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. વડાપ્રધાનને મોમેન્ટો આપવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આપવામાં આવેલા મોમેન્ટોને લઈ કોંગ્રેસે પ્રહાર કર્યા છે. કોંગ્રેસે ટ્વિટ કરતા લખ્યું કે વડાપ્રધાનની આત્મમુગ્ઘતા ચરમસીમાએ.

 

કોંગ્રેસે કર્યા શાબ્દિક પ્રહાર 

કોંગ્રેસ દ્વારા અનેક મુદ્દાઓને લઈ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવામાં આવતા હોય છે. અનેક વખત કોંગ્રેસ આક્રામક રુપમાં દેખાતી હોય છે. થોડા દિવસ પહેલા રાહુલ ગાંધી બ્રિટનના પ્રવાસે હતા ત્યાં તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. ત્યારે આજે ફરી એક વખત કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ રહી છે. મેચમાં ભાગ લેવા ઓસ્ટ્રેલિયા અને ભારતના વડાપ્રધાન ગુજરાત આવ્યા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને પીએમોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


આત્મમુગ્ધતાની પરાકાષ્ઠા છે - જયરામ રમેશ 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મિત્રતાને 75 વર્ષ પૂર્ણ થવા પર ખાસ ડિઝાઈન કરેલી કારમાં આખા મેદાનમાં ફરી દર્શકોનું અભિવાદન ઝીલ્યું હતું. તે ઉપરાંત બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ દ્વારા એક આર્ટવર્ક ભેટ આપી હતી. જેમાં નરેન્દ્ર મોદીનો ફોટો હતો. આ વાતને લઈ કોંગ્રેસ દ્વારા પ્રહાર કરવામાં આવ્યો હતા. કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વિટ કર્યું કે પોતાના જીવનકાળ દરમિયાન જે સ્ટેડિયમનું નામ પોતાના નામ પર રાખ્યું છે તેમાં લેપ ઓફ ઓનર લઈ રહ્યા છે. આ આત્મ મુગ્ધતાની પરાકાષ્ઠા છે. ત્યારે આ વાતનો જવાબ ભાજપ દ્વારા પણ આપવામાં આવ્યો છે.     

  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે