ફરી એક વખત કોંગેસે વડાપ્રધાન મોદી પર કર્યા પ્રહાર, જયરામ રમેશે કહ્યું વડાપ્રધાનની આત્મમુગ્ધતા ચરમસીમાએ છે


  • Published By :
  • Published Date : 2023-03-09 15:21:39

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચને નિહાળવા ભારતના વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થથી એલ્બાનીઝ અમદાવાદ આવ્યા હતા. સ્ટેડિયમમાં ઉપસ્થિત રહી બંને દેશોના પીએમએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. વડાપ્રધાનને મોમેન્ટો આપવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આપવામાં આવેલા મોમેન્ટોને લઈ કોંગ્રેસે પ્રહાર કર્યા છે. કોંગ્રેસે ટ્વિટ કરતા લખ્યું કે વડાપ્રધાનની આત્મમુગ્ઘતા ચરમસીમાએ.

 

કોંગ્રેસે કર્યા શાબ્દિક પ્રહાર 

કોંગ્રેસ દ્વારા અનેક મુદ્દાઓને લઈ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવામાં આવતા હોય છે. અનેક વખત કોંગ્રેસ આક્રામક રુપમાં દેખાતી હોય છે. થોડા દિવસ પહેલા રાહુલ ગાંધી બ્રિટનના પ્રવાસે હતા ત્યાં તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. ત્યારે આજે ફરી એક વખત કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ રહી છે. મેચમાં ભાગ લેવા ઓસ્ટ્રેલિયા અને ભારતના વડાપ્રધાન ગુજરાત આવ્યા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને પીએમોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


આત્મમુગ્ધતાની પરાકાષ્ઠા છે - જયરામ રમેશ 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મિત્રતાને 75 વર્ષ પૂર્ણ થવા પર ખાસ ડિઝાઈન કરેલી કારમાં આખા મેદાનમાં ફરી દર્શકોનું અભિવાદન ઝીલ્યું હતું. તે ઉપરાંત બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ દ્વારા એક આર્ટવર્ક ભેટ આપી હતી. જેમાં નરેન્દ્ર મોદીનો ફોટો હતો. આ વાતને લઈ કોંગ્રેસ દ્વારા પ્રહાર કરવામાં આવ્યો હતા. કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વિટ કર્યું કે પોતાના જીવનકાળ દરમિયાન જે સ્ટેડિયમનું નામ પોતાના નામ પર રાખ્યું છે તેમાં લેપ ઓફ ઓનર લઈ રહ્યા છે. આ આત્મ મુગ્ધતાની પરાકાષ્ઠા છે. ત્યારે આ વાતનો જવાબ ભાજપ દ્વારા પણ આપવામાં આવ્યો છે.     

  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.