ફરી એક વખત કોંગેસે વડાપ્રધાન મોદી પર કર્યા પ્રહાર, જયરામ રમેશે કહ્યું વડાપ્રધાનની આત્મમુગ્ધતા ચરમસીમાએ છે


  • Published By :
  • Published Date : 2023-03-09 15:21:39

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચને નિહાળવા ભારતના વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થથી એલ્બાનીઝ અમદાવાદ આવ્યા હતા. સ્ટેડિયમમાં ઉપસ્થિત રહી બંને દેશોના પીએમએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. વડાપ્રધાનને મોમેન્ટો આપવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આપવામાં આવેલા મોમેન્ટોને લઈ કોંગ્રેસે પ્રહાર કર્યા છે. કોંગ્રેસે ટ્વિટ કરતા લખ્યું કે વડાપ્રધાનની આત્મમુગ્ઘતા ચરમસીમાએ.

 

કોંગ્રેસે કર્યા શાબ્દિક પ્રહાર 

કોંગ્રેસ દ્વારા અનેક મુદ્દાઓને લઈ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવામાં આવતા હોય છે. અનેક વખત કોંગ્રેસ આક્રામક રુપમાં દેખાતી હોય છે. થોડા દિવસ પહેલા રાહુલ ગાંધી બ્રિટનના પ્રવાસે હતા ત્યાં તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. ત્યારે આજે ફરી એક વખત કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ રહી છે. મેચમાં ભાગ લેવા ઓસ્ટ્રેલિયા અને ભારતના વડાપ્રધાન ગુજરાત આવ્યા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને પીએમોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


આત્મમુગ્ધતાની પરાકાષ્ઠા છે - જયરામ રમેશ 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મિત્રતાને 75 વર્ષ પૂર્ણ થવા પર ખાસ ડિઝાઈન કરેલી કારમાં આખા મેદાનમાં ફરી દર્શકોનું અભિવાદન ઝીલ્યું હતું. તે ઉપરાંત બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ દ્વારા એક આર્ટવર્ક ભેટ આપી હતી. જેમાં નરેન્દ્ર મોદીનો ફોટો હતો. આ વાતને લઈ કોંગ્રેસ દ્વારા પ્રહાર કરવામાં આવ્યો હતા. કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વિટ કર્યું કે પોતાના જીવનકાળ દરમિયાન જે સ્ટેડિયમનું નામ પોતાના નામ પર રાખ્યું છે તેમાં લેપ ઓફ ઓનર લઈ રહ્યા છે. આ આત્મ મુગ્ધતાની પરાકાષ્ઠા છે. ત્યારે આ વાતનો જવાબ ભાજપ દ્વારા પણ આપવામાં આવ્યો છે.     

  



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.