ફરી એક વખત કોંગેસે વડાપ્રધાન મોદી પર કર્યા પ્રહાર, જયરામ રમેશે કહ્યું વડાપ્રધાનની આત્મમુગ્ધતા ચરમસીમાએ છે


  • Published By :
  • Published Date : 2023-03-09 15:21:39

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચને નિહાળવા ભારતના વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થથી એલ્બાનીઝ અમદાવાદ આવ્યા હતા. સ્ટેડિયમમાં ઉપસ્થિત રહી બંને દેશોના પીએમએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. વડાપ્રધાનને મોમેન્ટો આપવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આપવામાં આવેલા મોમેન્ટોને લઈ કોંગ્રેસે પ્રહાર કર્યા છે. કોંગ્રેસે ટ્વિટ કરતા લખ્યું કે વડાપ્રધાનની આત્મમુગ્ઘતા ચરમસીમાએ.

 

કોંગ્રેસે કર્યા શાબ્દિક પ્રહાર 

કોંગ્રેસ દ્વારા અનેક મુદ્દાઓને લઈ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવામાં આવતા હોય છે. અનેક વખત કોંગ્રેસ આક્રામક રુપમાં દેખાતી હોય છે. થોડા દિવસ પહેલા રાહુલ ગાંધી બ્રિટનના પ્રવાસે હતા ત્યાં તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. ત્યારે આજે ફરી એક વખત કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ રહી છે. મેચમાં ભાગ લેવા ઓસ્ટ્રેલિયા અને ભારતના વડાપ્રધાન ગુજરાત આવ્યા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને પીએમોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


આત્મમુગ્ધતાની પરાકાષ્ઠા છે - જયરામ રમેશ 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મિત્રતાને 75 વર્ષ પૂર્ણ થવા પર ખાસ ડિઝાઈન કરેલી કારમાં આખા મેદાનમાં ફરી દર્શકોનું અભિવાદન ઝીલ્યું હતું. તે ઉપરાંત બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ દ્વારા એક આર્ટવર્ક ભેટ આપી હતી. જેમાં નરેન્દ્ર મોદીનો ફોટો હતો. આ વાતને લઈ કોંગ્રેસ દ્વારા પ્રહાર કરવામાં આવ્યો હતા. કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વિટ કર્યું કે પોતાના જીવનકાળ દરમિયાન જે સ્ટેડિયમનું નામ પોતાના નામ પર રાખ્યું છે તેમાં લેપ ઓફ ઓનર લઈ રહ્યા છે. આ આત્મ મુગ્ધતાની પરાકાષ્ઠા છે. ત્યારે આ વાતનો જવાબ ભાજપ દ્વારા પણ આપવામાં આવ્યો છે.     

  



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.