ફરી એક વખત રાહુલ ગાંધી ટ્રકમાં થયા સવાર! મુસાફરી દરમિયાન રાહુલ ગાંધીએ જાણી ટ્રક ડ્રાઈવરની કમાણી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-13 15:33:26

છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી સામાન્ય માણસો સાથે સંવાદ કરી રહ્યા છે. ભારતમાં તો સામાન્ય જનતાની સાથે વાત કરતા અનેક વખત દેખાયા છે ત્યારે અમેરિકામાં પણ ત્યાંના સામાન્ય લોકો સાથે વાતો કરતા દેખાયા છે. ફરી એક વખત રાહુલ ગાંધીએ ટ્રકમાં મુસાફરી કરી છે. વોશિંગ્ટનથી ન્યુયોર્ક સુધીની સફર ટ્રકમાં કરી હતી. મુસાફરીનો વીડિયો સામે આવ્યો છે જેમાં તેમણે ટ્રક ડાઈવરો સાથે વાત કરી હતી જેમાં તે મહિનામાં કેટલું કમાઈ લે અંગે પ્રશ્ન પૂછ્યો હતો. સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીએ પોતે આ વીડિયો શેર કર્યો છે.

 



અમેરિકામાં રાહુલ ગાંધીએ કરી ટ્રક મુસાફરી!

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ હાલ અમેરિકાના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેમણે અનેક વખત ભારતની કેન્દ્ર સરકાર પર તેમજ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. અનેક મુદ્દાઓને લઈ વિદેશની ધરતી પર તેમણે ચર્ચા કરી છે. અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકો સાથે વાત કરી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ટ્રકમાં રાહુલ ગાંધી મુસાફરી કરી રહ્યા છે. વોશિંગ્ટનથી ન્યુયોર્ક સુધીની 190 કિલોમીટરની મુસાફરી ટ્રકમાં કરી હતી. પોતાની સફર દરમિયાન તેમણે ડ્રાઈવરોને માસિક કમાણી અંગે પણ પ્રશ્નો પૂછી રહ્યા છે. ડ્રાઈવરની કમાણી અંગે જાણીને તેઓ પણ ચોંકી ગયા છે. 


ડ્રાઈવરોની કમાણી સાંભળી ચોંકી ઉઠ્યા રાહુલ ગાંધી!

ટ્રક મુસાફરી દરમિયાન રાહુલ ગાંધી ડ્રાઈવર સાથે વાતચીત કરતા નજરે પડે છે. ડ્રાઈવર તેજિન્દર ગિલે રાહુલ ગાંધીને જવાબ આપતા કહ્યું તે જો તમે અમેરિકામાં ગાડી ચલાવો છો તો એક મહિનામાં 4 લાખ રુપિયા સરળતાથી કમાઈ શકે છે. ભારત અનુસાર તમે એક મહિનામાં 8 લાખ કમાઈ શકો છો. આ જવાબ સાંભળીને રાહુલ ગાંધી પણ દંગ રહી ગયા હતા. 


ભારતમાં પણ રાહુલ ગાંધીએ કરી હતી ટ્રક મુસાફરી!

મહત્વનું છે કે ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી સતત ચર્ચામાં રહ્યા છે. યાત્રા દરમિયાન આપવામાં આવેલા નિવેદનોને કારણે તે હેડલાઈન્સમાં રહેતા હતા. થોડા સમય પહેલા ભારતમાં પણ તેમણે ટ્રકમાં મુસાફરી કરી હતી. અંબાલાથી ચંડીગઢ ટ્રકમાં બેસી પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓ આ વીડિયોને ટ્વિટ કરી રહ્યા છે. ચંદીગઢની યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ટ્રકને શ્રી મંજી સાહિબ ગુરૂદ્વારા પર રોકાવડાઈ હતી. ત્યારે વિદેશની ધરતી પર પણ ટ્રકની મુસાફરી કરી હતી. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.