ફરી એક વખત વધ્યા ખાદ્યતેલના ભાવ, સીંગતેલના ભાવમાં કરાયો આટલો વધારો


  • Published By :
  • Published Date : 2023-01-20 12:25:34

વધતી મોંઘવારીને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. મોંઘવારીને કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ત્યારે ફરી એક વખત મોંઘવારીનો માર સહન કરવા તૈયાર થવું પડશે કારણ કે સીંગતેલના ભાવમાં વધારો થયો છે. ગુજરાતમાં બે દિવસમાં રૂ.30નો વધારો કરવામાં આવ્યો છે. ખાદ્યતેલના ભાવ વધતા સીંગતેલના ડબ્બાનો ભાવ 2720 પર પહોંચ્યો છે. સીંગતેલની સાથે કપાસિયા તેલના ભાવમાં 5 રુપિયાનો વધારો કરાયો છે. 

ખાદ્યતેલ હવે થશે સસ્તા, મંજૂર કર્યા 11000 કરોડ, જાણો શું છે પીએમ મોદીનો  મેગા પ્લાન | Now cooking oil will be cheaper, approved 11000 crores, know  what is PM Modi's mega plan - Gujarati Oneindia


30 રુપિયાનો થયો ભાવવધારો

મધ્યમ વર્ગના પરિવારોને વધતી મોંઘવારીને કારણે અનેક વખત સહન કરવાનો વારો આવે છે. અનેક વખત ભાવ વધતા વસ્તુઓ પર કાપ મૂકવો પડે છે. ત્યારે મોંઘવારીનો વધુ એક ઝટકો લાગે તેવા સમાચાર આવ્યા છે. બે દિવસમાં સીંગતેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો કરાયો છે. એક સાથે 30 રુપિયાનો વધારો થતા આની સીધી અસર ગૃહિણીના બજેટ પર પડે છે. સીંગતેલની સાથે કપાસિયા તેલના ભાવ પણ વધારવામાં આવ્યા છે.


કપાસિયા તેલમાં પણ કરાયો ભાવવધારો 

હાલ મગફળીની સિઝન પૂરબહારમાં ખીલી છે. મગફળીના મબલક આવક થઈ રહી છે. તે બધા વચ્ચે સીંગતેલના ભાવમાં વધારો થયો છે. 30 રુપિયાનો વધારો થતા એક ડબ્બાની કિંમત 2700ને પાર પહોંચી છે. હાલ સીંગતેલનો ભાવ 2720 પર પહોંચ્યો છે. થોડા સમયથી તેલના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી પરંતુ બે દિવસમાં જ 30 રુપિયાનો જંગી ભાવ વધારો કરવામાં આવ્યો છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.