ફરી એક વખત વધ્યા ખાદ્યતેલના ભાવ, સીંગતેલના ભાવમાં કરાયો આટલો વધારો


  • Published By :
  • Published Date : 2023-01-20 12:25:34

વધતી મોંઘવારીને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. મોંઘવારીને કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ત્યારે ફરી એક વખત મોંઘવારીનો માર સહન કરવા તૈયાર થવું પડશે કારણ કે સીંગતેલના ભાવમાં વધારો થયો છે. ગુજરાતમાં બે દિવસમાં રૂ.30નો વધારો કરવામાં આવ્યો છે. ખાદ્યતેલના ભાવ વધતા સીંગતેલના ડબ્બાનો ભાવ 2720 પર પહોંચ્યો છે. સીંગતેલની સાથે કપાસિયા તેલના ભાવમાં 5 રુપિયાનો વધારો કરાયો છે. 

ખાદ્યતેલ હવે થશે સસ્તા, મંજૂર કર્યા 11000 કરોડ, જાણો શું છે પીએમ મોદીનો  મેગા પ્લાન | Now cooking oil will be cheaper, approved 11000 crores, know  what is PM Modi's mega plan - Gujarati Oneindia


30 રુપિયાનો થયો ભાવવધારો

મધ્યમ વર્ગના પરિવારોને વધતી મોંઘવારીને કારણે અનેક વખત સહન કરવાનો વારો આવે છે. અનેક વખત ભાવ વધતા વસ્તુઓ પર કાપ મૂકવો પડે છે. ત્યારે મોંઘવારીનો વધુ એક ઝટકો લાગે તેવા સમાચાર આવ્યા છે. બે દિવસમાં સીંગતેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો કરાયો છે. એક સાથે 30 રુપિયાનો વધારો થતા આની સીધી અસર ગૃહિણીના બજેટ પર પડે છે. સીંગતેલની સાથે કપાસિયા તેલના ભાવ પણ વધારવામાં આવ્યા છે.


કપાસિયા તેલમાં પણ કરાયો ભાવવધારો 

હાલ મગફળીની સિઝન પૂરબહારમાં ખીલી છે. મગફળીના મબલક આવક થઈ રહી છે. તે બધા વચ્ચે સીંગતેલના ભાવમાં વધારો થયો છે. 30 રુપિયાનો વધારો થતા એક ડબ્બાની કિંમત 2700ને પાર પહોંચી છે. હાલ સીંગતેલનો ભાવ 2720 પર પહોંચ્યો છે. થોડા સમયથી તેલના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી પરંતુ બે દિવસમાં જ 30 રુપિયાનો જંગી ભાવ વધારો કરવામાં આવ્યો છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.