ફરી એક વખત વધ્યા ખાદ્યતેલના ભાવ, સીંગતેલના ભાવમાં કરાયો આટલો વધારો


  • Published By :
  • Published Date : 2023-01-20 12:25:34

વધતી મોંઘવારીને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. મોંઘવારીને કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ત્યારે ફરી એક વખત મોંઘવારીનો માર સહન કરવા તૈયાર થવું પડશે કારણ કે સીંગતેલના ભાવમાં વધારો થયો છે. ગુજરાતમાં બે દિવસમાં રૂ.30નો વધારો કરવામાં આવ્યો છે. ખાદ્યતેલના ભાવ વધતા સીંગતેલના ડબ્બાનો ભાવ 2720 પર પહોંચ્યો છે. સીંગતેલની સાથે કપાસિયા તેલના ભાવમાં 5 રુપિયાનો વધારો કરાયો છે. 

ખાદ્યતેલ હવે થશે સસ્તા, મંજૂર કર્યા 11000 કરોડ, જાણો શું છે પીએમ મોદીનો  મેગા પ્લાન | Now cooking oil will be cheaper, approved 11000 crores, know  what is PM Modi's mega plan - Gujarati Oneindia


30 રુપિયાનો થયો ભાવવધારો

મધ્યમ વર્ગના પરિવારોને વધતી મોંઘવારીને કારણે અનેક વખત સહન કરવાનો વારો આવે છે. અનેક વખત ભાવ વધતા વસ્તુઓ પર કાપ મૂકવો પડે છે. ત્યારે મોંઘવારીનો વધુ એક ઝટકો લાગે તેવા સમાચાર આવ્યા છે. બે દિવસમાં સીંગતેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો કરાયો છે. એક સાથે 30 રુપિયાનો વધારો થતા આની સીધી અસર ગૃહિણીના બજેટ પર પડે છે. સીંગતેલની સાથે કપાસિયા તેલના ભાવ પણ વધારવામાં આવ્યા છે.


કપાસિયા તેલમાં પણ કરાયો ભાવવધારો 

હાલ મગફળીની સિઝન પૂરબહારમાં ખીલી છે. મગફળીના મબલક આવક થઈ રહી છે. તે બધા વચ્ચે સીંગતેલના ભાવમાં વધારો થયો છે. 30 રુપિયાનો વધારો થતા એક ડબ્બાની કિંમત 2700ને પાર પહોંચી છે. હાલ સીંગતેલનો ભાવ 2720 પર પહોંચ્યો છે. થોડા સમયથી તેલના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી પરંતુ બે દિવસમાં જ 30 રુપિયાનો જંગી ભાવ વધારો કરવામાં આવ્યો છે.   



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.