વધુ એક કંપની કરશે 2000 કર્મચારીઓને ઘરભેગા, જાણો કઈ કંપનીએ લીધો આ નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-02-22 12:25:34

મોટી મોટી કંપનીઓ આજકાલ કર્મચારીઓની છટણી કરી રહી છે. વિશ્વભરની કંપનીઓ પોતાના કર્મચારીઓને ઘરભેગા કરી રહી છે. ત્યારે આ લિસ્ટમાં વધુ એક મોટી કંપની McKinseyનું નામ ઉમેરાઈ શકે છે.  McKinsey કંપનીમાં 45000 જેટલા લોકો કામ કરે છે જેમાંથી 2000 જેટલા કર્મચારીઓને છૂટા કરવામાં આવે તો એક રિપોર્ટ સામે આવ્યો છે.  McKinsey એક કન્સલટિંગ ફર્મ છે જે પોતાના કસ્ટમરને પોતાના ગોલ પર પહોંચવા માટે મદદ કરે છે. 


McKinsey ફર્મ કરશે કર્મચારીઓની હકાલપટ્ટી

વિશ્વભરમાં મોટી કંપનીઓ તેમના કર્મચારીઓની હકાલપટ્ટી સતત કરી રહી છે. મોટી મોટી કંપનીઓ પોતાના કર્મચારીઓને ઘરભેગા કરી રહી છે. અત્યાર સુધીમાં ટ્વિટર, ફેસબુક, મેટા, એમેઝોન, ડિઝ્ની લિંકડીન જેવી કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરભેગા કરી દીધા છે. ત્યારે હવે આ લિસ્ટમાં વધુ એક કંપનીના નામનો સમાવેશ થવા જઈ રહ્યો છે.  McKinsey તેના કસ્ટમર્સ માટે સ્ટાફ કટિંગના પ્લાનવાળી ફર્મ છે. કંપની એવા લોકોને ઘરભેગા કરશે જેમનું ક્લાઈન્ટ સાથે કોઈ લેવા દેવા નથી.


આ અગાઉ અનેક કંપનીએ કર્મચારીઓને કર્યા છે ઘરભેગા 

આ કંપનીમાં 45000 જેટલા કર્મચારીઓ કામ કરે છે. એક રિપોર્ટ અનુસાર 2000 જેટલા કર્મચારીની કંપની છટણી કરવાની છે. છેલ્લા થોડા સમયમાં કંપનીએ સારો ગ્રોથ કર્યો છે. પાંચ વર્ષ પહેલા આ કંપનીમાં 28000 જેટલા કર્મચારીઓ કામ કરતા હતા જે વધી છે. હાલ કર્મચારીઓની સંખ્યા 45000 થઈ ગઈ છે. 2012માં માત્ર 17000 કર્મચારીઓ જ કંપનીમાં હતા. કંપનીના અધિકારીએ જણાવ્યું કે કસ્ટમર્સ સાથે ડીલ કરનાર લોકોની ભરતી કંપની કરતી રહેશે. હાલ પણ આ પ્રક્રિયા ચાલી રહી છે.     




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.