વધુ એક કંપની કરશે 2000 કર્મચારીઓને ઘરભેગા, જાણો કઈ કંપનીએ લીધો આ નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-02-22 12:25:34

મોટી મોટી કંપનીઓ આજકાલ કર્મચારીઓની છટણી કરી રહી છે. વિશ્વભરની કંપનીઓ પોતાના કર્મચારીઓને ઘરભેગા કરી રહી છે. ત્યારે આ લિસ્ટમાં વધુ એક મોટી કંપની McKinseyનું નામ ઉમેરાઈ શકે છે.  McKinsey કંપનીમાં 45000 જેટલા લોકો કામ કરે છે જેમાંથી 2000 જેટલા કર્મચારીઓને છૂટા કરવામાં આવે તો એક રિપોર્ટ સામે આવ્યો છે.  McKinsey એક કન્સલટિંગ ફર્મ છે જે પોતાના કસ્ટમરને પોતાના ગોલ પર પહોંચવા માટે મદદ કરે છે. 


McKinsey ફર્મ કરશે કર્મચારીઓની હકાલપટ્ટી

વિશ્વભરમાં મોટી કંપનીઓ તેમના કર્મચારીઓની હકાલપટ્ટી સતત કરી રહી છે. મોટી મોટી કંપનીઓ પોતાના કર્મચારીઓને ઘરભેગા કરી રહી છે. અત્યાર સુધીમાં ટ્વિટર, ફેસબુક, મેટા, એમેઝોન, ડિઝ્ની લિંકડીન જેવી કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરભેગા કરી દીધા છે. ત્યારે હવે આ લિસ્ટમાં વધુ એક કંપનીના નામનો સમાવેશ થવા જઈ રહ્યો છે.  McKinsey તેના કસ્ટમર્સ માટે સ્ટાફ કટિંગના પ્લાનવાળી ફર્મ છે. કંપની એવા લોકોને ઘરભેગા કરશે જેમનું ક્લાઈન્ટ સાથે કોઈ લેવા દેવા નથી.


આ અગાઉ અનેક કંપનીએ કર્મચારીઓને કર્યા છે ઘરભેગા 

આ કંપનીમાં 45000 જેટલા કર્મચારીઓ કામ કરે છે. એક રિપોર્ટ અનુસાર 2000 જેટલા કર્મચારીની કંપની છટણી કરવાની છે. છેલ્લા થોડા સમયમાં કંપનીએ સારો ગ્રોથ કર્યો છે. પાંચ વર્ષ પહેલા આ કંપનીમાં 28000 જેટલા કર્મચારીઓ કામ કરતા હતા જે વધી છે. હાલ કર્મચારીઓની સંખ્યા 45000 થઈ ગઈ છે. 2012માં માત્ર 17000 કર્મચારીઓ જ કંપનીમાં હતા. કંપનીના અધિકારીએ જણાવ્યું કે કસ્ટમર્સ સાથે ડીલ કરનાર લોકોની ભરતી કંપની કરતી રહેશે. હાલ પણ આ પ્રક્રિયા ચાલી રહી છે.     




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.