વધુ એક કંપની કરશે 2000 કર્મચારીઓને ઘરભેગા, જાણો કઈ કંપનીએ લીધો આ નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-02-22 12:25:34

મોટી મોટી કંપનીઓ આજકાલ કર્મચારીઓની છટણી કરી રહી છે. વિશ્વભરની કંપનીઓ પોતાના કર્મચારીઓને ઘરભેગા કરી રહી છે. ત્યારે આ લિસ્ટમાં વધુ એક મોટી કંપની McKinseyનું નામ ઉમેરાઈ શકે છે.  McKinsey કંપનીમાં 45000 જેટલા લોકો કામ કરે છે જેમાંથી 2000 જેટલા કર્મચારીઓને છૂટા કરવામાં આવે તો એક રિપોર્ટ સામે આવ્યો છે.  McKinsey એક કન્સલટિંગ ફર્મ છે જે પોતાના કસ્ટમરને પોતાના ગોલ પર પહોંચવા માટે મદદ કરે છે. 


McKinsey ફર્મ કરશે કર્મચારીઓની હકાલપટ્ટી

વિશ્વભરમાં મોટી કંપનીઓ તેમના કર્મચારીઓની હકાલપટ્ટી સતત કરી રહી છે. મોટી મોટી કંપનીઓ પોતાના કર્મચારીઓને ઘરભેગા કરી રહી છે. અત્યાર સુધીમાં ટ્વિટર, ફેસબુક, મેટા, એમેઝોન, ડિઝ્ની લિંકડીન જેવી કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરભેગા કરી દીધા છે. ત્યારે હવે આ લિસ્ટમાં વધુ એક કંપનીના નામનો સમાવેશ થવા જઈ રહ્યો છે.  McKinsey તેના કસ્ટમર્સ માટે સ્ટાફ કટિંગના પ્લાનવાળી ફર્મ છે. કંપની એવા લોકોને ઘરભેગા કરશે જેમનું ક્લાઈન્ટ સાથે કોઈ લેવા દેવા નથી.


આ અગાઉ અનેક કંપનીએ કર્મચારીઓને કર્યા છે ઘરભેગા 

આ કંપનીમાં 45000 જેટલા કર્મચારીઓ કામ કરે છે. એક રિપોર્ટ અનુસાર 2000 જેટલા કર્મચારીની કંપની છટણી કરવાની છે. છેલ્લા થોડા સમયમાં કંપનીએ સારો ગ્રોથ કર્યો છે. પાંચ વર્ષ પહેલા આ કંપનીમાં 28000 જેટલા કર્મચારીઓ કામ કરતા હતા જે વધી છે. હાલ કર્મચારીઓની સંખ્યા 45000 થઈ ગઈ છે. 2012માં માત્ર 17000 કર્મચારીઓ જ કંપનીમાં હતા. કંપનીના અધિકારીએ જણાવ્યું કે કસ્ટમર્સ સાથે ડીલ કરનાર લોકોની ભરતી કંપની કરતી રહેશે. હાલ પણ આ પ્રક્રિયા ચાલી રહી છે.     




ઉત્તર ગુજરાતમાં આજકાલ એક અસામાજિક તત્વનું નામ ખુબ ચર્ચામાં છે તે છે , ભાવેશ રબારી. આ એજ ભાવેશ રબારી છે કે જેના રામાધણી નામના ફાર્મ હાઉસ પર પોલીસ પર ૧૮ જેટલા અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ , આ ૧૮ જેટલા અસામાજિક તત્વોનો વરઘોડો ચાણસ્માના બજારમાં કાઢવામાં આવ્યો હતો. આ પછી , ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે. આજે ભાવેશ રબારી અને તેના સાગરીતોની સામે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે.

વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.