યુધ્ધગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા શરૂ કરાયું ઓપરેશન કાવેરી, 3 હજાર લોકોને પરત લવાશે


  • Published By :
  • Published Date : 2023-04-24 18:29:38

ભારત સરકારે મહત્વનો નિર્ણય લેતા સુદાનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે ઓપરેશન કાવેરી શરૂ કર્યું છે. ગૃહ યુધ્ધમાં સપડાયેલા સુદાનમાં કામ કરતા 500 જેટલા ભારતીયો હાલ પોર્ટ સુદાન પહોંચ્યા છે. આ તમામ લોકોને આઈએનએસ સુમેધા દ્વારા ભારત પરત લાવવામાં આવશે.   


વિદેશમંત્રીએ કર્યું  ટ્વીટ


વિદેશ મંત્રી એસ જયશંકરે આ મામલે ટ્વીટરના માધ્યમથી વધુ જાણકારી આપતા કહ્યું કે અમે સુદાનમાં ફસાયેલા આપણા ભાઈઓની મદદ માટે પ્રતિબધ્ધ છીએ. સુદાનમાં હાલ સુરક્ષાની પરીસ્થિતી જટીલ છે. સુદાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે વિવિધ વિકલ્પો અપનાવવામાં આવી રહ્યા છે. એક સામાન્ય અનુમાન મુજબ સુદાનમાં હાલ 3 હજાર જેટલા ભારતીયો ફસાયેલા છે. આઈએનએસ સુમેધા સુદાન પહોંચી ગયું છે.


C-130J ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સ્ટેન્ડ બાય


વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ઈન્ડિયન એરફોર્સના  C-130J ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને જેદ્દાહમાં તૈનાત કર્યું છે. તે ઉપરાંત આઈએનએસ સુમેધા પણ પોર્ટ સુદાન પહોંચી રહ્યું છે. સરકારે સુપર હર્ક્યુંલસ મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને પણ સ્ટેન્ડ બાય રાખ્યું છે


સુદાનમાં ગૃહયુધ્ધના કારણે હિંસા


આફ્રિકાના દેશ સુદાનમાં સેના અને અર્ધ લશ્કરી દળો વચ્ચ લોહિયાળ સંઘર્ષ શરૂ થઈ ગયો છે. સેના અને પેરા મિલિટરી  રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) વચ્ચે દેશભરમાં ગૃહયુધ્ધ શરૂ થતા ભારતીયોની હાલત કફોડી થઈ છે. દેશની સત્તા કબજે કરવા માટે બંને સેના લડી રહી છે. ગૃહ યુધ્ધના કારણે દેશમાં અત્યાર સુધીમાં સેંકડો લોકોના મોત થયા છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.