યુધ્ધગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા શરૂ કરાયું ઓપરેશન કાવેરી, 3 હજાર લોકોને પરત લવાશે


  • Published By :
  • Published Date : 2023-04-24 18:29:38

ભારત સરકારે મહત્વનો નિર્ણય લેતા સુદાનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે ઓપરેશન કાવેરી શરૂ કર્યું છે. ગૃહ યુધ્ધમાં સપડાયેલા સુદાનમાં કામ કરતા 500 જેટલા ભારતીયો હાલ પોર્ટ સુદાન પહોંચ્યા છે. આ તમામ લોકોને આઈએનએસ સુમેધા દ્વારા ભારત પરત લાવવામાં આવશે.   


વિદેશમંત્રીએ કર્યું  ટ્વીટ


વિદેશ મંત્રી એસ જયશંકરે આ મામલે ટ્વીટરના માધ્યમથી વધુ જાણકારી આપતા કહ્યું કે અમે સુદાનમાં ફસાયેલા આપણા ભાઈઓની મદદ માટે પ્રતિબધ્ધ છીએ. સુદાનમાં હાલ સુરક્ષાની પરીસ્થિતી જટીલ છે. સુદાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે વિવિધ વિકલ્પો અપનાવવામાં આવી રહ્યા છે. એક સામાન્ય અનુમાન મુજબ સુદાનમાં હાલ 3 હજાર જેટલા ભારતીયો ફસાયેલા છે. આઈએનએસ સુમેધા સુદાન પહોંચી ગયું છે.


C-130J ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સ્ટેન્ડ બાય


વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ઈન્ડિયન એરફોર્સના  C-130J ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને જેદ્દાહમાં તૈનાત કર્યું છે. તે ઉપરાંત આઈએનએસ સુમેધા પણ પોર્ટ સુદાન પહોંચી રહ્યું છે. સરકારે સુપર હર્ક્યુંલસ મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને પણ સ્ટેન્ડ બાય રાખ્યું છે


સુદાનમાં ગૃહયુધ્ધના કારણે હિંસા


આફ્રિકાના દેશ સુદાનમાં સેના અને અર્ધ લશ્કરી દળો વચ્ચ લોહિયાળ સંઘર્ષ શરૂ થઈ ગયો છે. સેના અને પેરા મિલિટરી  રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) વચ્ચે દેશભરમાં ગૃહયુધ્ધ શરૂ થતા ભારતીયોની હાલત કફોડી થઈ છે. દેશની સત્તા કબજે કરવા માટે બંને સેના લડી રહી છે. ગૃહ યુધ્ધના કારણે દેશમાં અત્યાર સુધીમાં સેંકડો લોકોના મોત થયા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.