યુધ્ધગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા શરૂ કરાયું ઓપરેશન કાવેરી, 3 હજાર લોકોને પરત લવાશે


  • Published By :
  • Published Date : 2023-04-24 18:29:38

ભારત સરકારે મહત્વનો નિર્ણય લેતા સુદાનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે ઓપરેશન કાવેરી શરૂ કર્યું છે. ગૃહ યુધ્ધમાં સપડાયેલા સુદાનમાં કામ કરતા 500 જેટલા ભારતીયો હાલ પોર્ટ સુદાન પહોંચ્યા છે. આ તમામ લોકોને આઈએનએસ સુમેધા દ્વારા ભારત પરત લાવવામાં આવશે.   


વિદેશમંત્રીએ કર્યું  ટ્વીટ


વિદેશ મંત્રી એસ જયશંકરે આ મામલે ટ્વીટરના માધ્યમથી વધુ જાણકારી આપતા કહ્યું કે અમે સુદાનમાં ફસાયેલા આપણા ભાઈઓની મદદ માટે પ્રતિબધ્ધ છીએ. સુદાનમાં હાલ સુરક્ષાની પરીસ્થિતી જટીલ છે. સુદાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે વિવિધ વિકલ્પો અપનાવવામાં આવી રહ્યા છે. એક સામાન્ય અનુમાન મુજબ સુદાનમાં હાલ 3 હજાર જેટલા ભારતીયો ફસાયેલા છે. આઈએનએસ સુમેધા સુદાન પહોંચી ગયું છે.


C-130J ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સ્ટેન્ડ બાય


વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ઈન્ડિયન એરફોર્સના  C-130J ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને જેદ્દાહમાં તૈનાત કર્યું છે. તે ઉપરાંત આઈએનએસ સુમેધા પણ પોર્ટ સુદાન પહોંચી રહ્યું છે. સરકારે સુપર હર્ક્યુંલસ મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને પણ સ્ટેન્ડ બાય રાખ્યું છે


સુદાનમાં ગૃહયુધ્ધના કારણે હિંસા


આફ્રિકાના દેશ સુદાનમાં સેના અને અર્ધ લશ્કરી દળો વચ્ચ લોહિયાળ સંઘર્ષ શરૂ થઈ ગયો છે. સેના અને પેરા મિલિટરી  રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) વચ્ચે દેશભરમાં ગૃહયુધ્ધ શરૂ થતા ભારતીયોની હાલત કફોડી થઈ છે. દેશની સત્તા કબજે કરવા માટે બંને સેના લડી રહી છે. ગૃહ યુધ્ધના કારણે દેશમાં અત્યાર સુધીમાં સેંકડો લોકોના મોત થયા છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.