ઈરાનમાં હિજાબના નિયમોનો વિરોધ, સ્વતંત્ર ભારતમાં હિજાબ પહેરાવવા નિવેદનો અપાય છે


  • Published By :
  • Published Date : 2022-10-27 16:56:11

પોતાના હકો માટે લડવાનો બધાને અધિકાર હોવો જોઈએ.. પછી તે ભારત હોય કે વિશ્વનો કોઈ પણ દેશ હોય... વિવિધ દેશના વિવિધ બંધારણ છે... જેમાં પોતાના દેશને ચલાવવા માટેના નિયમો લખવામાં આવ્યા છે.. ઈરાનના નિયમો સામે એક બાજુ મહિલાઓ માથા પરથી હિજાબ હટાવી વિરોધ કરી રહી છે.. આ હિજાબના વિવાદમાં 200થી વધુ લોકોના મોત પણ થયા છે અને બીજી બાજુ સ્વતંત્ર ભારતમાં મહિલાઓને હિજાબ પહેરાવવા માટે પ્રેરિત કરતો ઓવેસીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.... AIMIM પાર્ટીના અસદ્દુદિન ઓવૈસીનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.... તેઓ પત્રકાર પરિષદ સંબોધી કહી રહ્યા છે કે મારા જીવનમાં અથવા મારા મર્યા પછી હિજાબ પહેરવાવાળી બાળકી ભારતની પ્રધાનમંત્રી બને તેવું મારી ઈચ્છા છે...... આવો ફરીથી સાંભલીએ તેમણે શું કહ્યું.. 


ઈરાનમાં વિરોધ અને ભારતમાં હિજાબવાળી મહિલાને પ્રધાનમંત્રી બનાવાની ઈચ્છા

એક બાજુ ઈરાનમાં હિજાબ મામલે મહિલાઓ સંઘર્ષ કરી રહી છે ત્યારે ઔવેસી સાહેબ નિવેદન આપી રહ્યા છે કે  મારા જીવનમાં અથવા મારા મર્યા પછી હિજાબ પહેરવાવાળી બાળકી ભારતની પ્રધાનમંત્રી બને... આ નિવેદન તેમણે એટલા માટે આપ્યું હતું કારણ કે સોશિયલ મીડિયામાં અલ્પસંખ્યક વ્યક્તિ પ્રધાનમંત્રી બને તેવી ચર્ચાઓ ચાલી રહી છે..... 


ઈરાનમાં હિજાબનો શું વિરોધ છે 

ઈરાનમાં મહસા અમીનીના મોત બાદ આ વિરોધ શરૂ થયો છે. 22 વર્ષની અમીનીને 1 સપ્ટેમ્બરે મોરેલિટી પોલીસે ધરપકડ કરી હતી કારણ કે તેમણે હિજાબના નિયમોને માન્યા નહોતા.. પોલીસે તેમના માર માર્યો હતો... અમીનીના માથામાં દંડો વાગતા તેનું મોત થયું હતું... આ ઘટનાએ લોકોને રોષથી ભરી દીદા હતા અને હિજાબ સામે પ્રદર્શનો શરૂ થઈ ગયા હતા... ઈરાન પોલીસનું આ મામલે માનવું હતું કે અમીનીનું મોત હાર્ટ એટેકથી થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રદર્શનમાં 200થી વદુ લોકોના મોત થઈ ગયા છે..


પહેલા તો એ સમજી લઈએ કે હિજાબ શું છે અને આ હિજાબ આવ્યો ક્યાંથી 

હિજાબ અરબ શબ્દ છે જેનો અર્થ થાય છે અવરોધ, અથવા દિવાલ.. હિજાબ મુસ્લિમ મહિલાઓને સાર્વજનીક જગ્યાઓ પર ચહેરો ઢાંકવાનું એક વસ્ત્ર છે.. સાતમી સદીમાં ઈસ્લામમાં હિજાબ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું હતું. કુરાનમાં મુસ્લીમ મહિલાને સાધારણ કપડા પહેરવાની વાત કરવામાં આવી છે.. ધીમે ધીમે મહિલાઓ હિજાબ પહેરવા લાગી અને અનેક દેશોની અંદર ચહેરો ઢાંકવાની શરૂઆત થઈ અને ચહેરો ઢાંકવા માટે વિવિધ કપડાઓ બહાર આવવા લાગ્યા.. શરિયા અનુસાર તમામ રીતો માન્ય છે. ભારતમાં મુસ્લિમ મહિલા નકાબ, બુર્કા અને સ્કાફ પહેરે છે.







રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .