ઈરાનમાં હિજાબના નિયમોનો વિરોધ, સ્વતંત્ર ભારતમાં હિજાબ પહેરાવવા નિવેદનો અપાય છે


  • Published By :
  • Published Date : 2022-10-27 16:56:11

પોતાના હકો માટે લડવાનો બધાને અધિકાર હોવો જોઈએ.. પછી તે ભારત હોય કે વિશ્વનો કોઈ પણ દેશ હોય... વિવિધ દેશના વિવિધ બંધારણ છે... જેમાં પોતાના દેશને ચલાવવા માટેના નિયમો લખવામાં આવ્યા છે.. ઈરાનના નિયમો સામે એક બાજુ મહિલાઓ માથા પરથી હિજાબ હટાવી વિરોધ કરી રહી છે.. આ હિજાબના વિવાદમાં 200થી વધુ લોકોના મોત પણ થયા છે અને બીજી બાજુ સ્વતંત્ર ભારતમાં મહિલાઓને હિજાબ પહેરાવવા માટે પ્રેરિત કરતો ઓવેસીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.... AIMIM પાર્ટીના અસદ્દુદિન ઓવૈસીનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.... તેઓ પત્રકાર પરિષદ સંબોધી કહી રહ્યા છે કે મારા જીવનમાં અથવા મારા મર્યા પછી હિજાબ પહેરવાવાળી બાળકી ભારતની પ્રધાનમંત્રી બને તેવું મારી ઈચ્છા છે...... આવો ફરીથી સાંભલીએ તેમણે શું કહ્યું.. 


ઈરાનમાં વિરોધ અને ભારતમાં હિજાબવાળી મહિલાને પ્રધાનમંત્રી બનાવાની ઈચ્છા

એક બાજુ ઈરાનમાં હિજાબ મામલે મહિલાઓ સંઘર્ષ કરી રહી છે ત્યારે ઔવેસી સાહેબ નિવેદન આપી રહ્યા છે કે  મારા જીવનમાં અથવા મારા મર્યા પછી હિજાબ પહેરવાવાળી બાળકી ભારતની પ્રધાનમંત્રી બને... આ નિવેદન તેમણે એટલા માટે આપ્યું હતું કારણ કે સોશિયલ મીડિયામાં અલ્પસંખ્યક વ્યક્તિ પ્રધાનમંત્રી બને તેવી ચર્ચાઓ ચાલી રહી છે..... 


ઈરાનમાં હિજાબનો શું વિરોધ છે 

ઈરાનમાં મહસા અમીનીના મોત બાદ આ વિરોધ શરૂ થયો છે. 22 વર્ષની અમીનીને 1 સપ્ટેમ્બરે મોરેલિટી પોલીસે ધરપકડ કરી હતી કારણ કે તેમણે હિજાબના નિયમોને માન્યા નહોતા.. પોલીસે તેમના માર માર્યો હતો... અમીનીના માથામાં દંડો વાગતા તેનું મોત થયું હતું... આ ઘટનાએ લોકોને રોષથી ભરી દીદા હતા અને હિજાબ સામે પ્રદર્શનો શરૂ થઈ ગયા હતા... ઈરાન પોલીસનું આ મામલે માનવું હતું કે અમીનીનું મોત હાર્ટ એટેકથી થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રદર્શનમાં 200થી વદુ લોકોના મોત થઈ ગયા છે..


પહેલા તો એ સમજી લઈએ કે હિજાબ શું છે અને આ હિજાબ આવ્યો ક્યાંથી 

હિજાબ અરબ શબ્દ છે જેનો અર્થ થાય છે અવરોધ, અથવા દિવાલ.. હિજાબ મુસ્લિમ મહિલાઓને સાર્વજનીક જગ્યાઓ પર ચહેરો ઢાંકવાનું એક વસ્ત્ર છે.. સાતમી સદીમાં ઈસ્લામમાં હિજાબ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું હતું. કુરાનમાં મુસ્લીમ મહિલાને સાધારણ કપડા પહેરવાની વાત કરવામાં આવી છે.. ધીમે ધીમે મહિલાઓ હિજાબ પહેરવા લાગી અને અનેક દેશોની અંદર ચહેરો ઢાંકવાની શરૂઆત થઈ અને ચહેરો ઢાંકવા માટે વિવિધ કપડાઓ બહાર આવવા લાગ્યા.. શરિયા અનુસાર તમામ રીતો માન્ય છે. ભારતમાં મુસ્લિમ મહિલા નકાબ, બુર્કા અને સ્કાફ પહેરે છે.







સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.