ઈરાનમાં હિજાબના નિયમોનો વિરોધ, સ્વતંત્ર ભારતમાં હિજાબ પહેરાવવા નિવેદનો અપાય છે


  • Published By :
  • Published Date : 2022-10-27 16:56:11

પોતાના હકો માટે લડવાનો બધાને અધિકાર હોવો જોઈએ.. પછી તે ભારત હોય કે વિશ્વનો કોઈ પણ દેશ હોય... વિવિધ દેશના વિવિધ બંધારણ છે... જેમાં પોતાના દેશને ચલાવવા માટેના નિયમો લખવામાં આવ્યા છે.. ઈરાનના નિયમો સામે એક બાજુ મહિલાઓ માથા પરથી હિજાબ હટાવી વિરોધ કરી રહી છે.. આ હિજાબના વિવાદમાં 200થી વધુ લોકોના મોત પણ થયા છે અને બીજી બાજુ સ્વતંત્ર ભારતમાં મહિલાઓને હિજાબ પહેરાવવા માટે પ્રેરિત કરતો ઓવેસીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.... AIMIM પાર્ટીના અસદ્દુદિન ઓવૈસીનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.... તેઓ પત્રકાર પરિષદ સંબોધી કહી રહ્યા છે કે મારા જીવનમાં અથવા મારા મર્યા પછી હિજાબ પહેરવાવાળી બાળકી ભારતની પ્રધાનમંત્રી બને તેવું મારી ઈચ્છા છે...... આવો ફરીથી સાંભલીએ તેમણે શું કહ્યું.. 


ઈરાનમાં વિરોધ અને ભારતમાં હિજાબવાળી મહિલાને પ્રધાનમંત્રી બનાવાની ઈચ્છા

એક બાજુ ઈરાનમાં હિજાબ મામલે મહિલાઓ સંઘર્ષ કરી રહી છે ત્યારે ઔવેસી સાહેબ નિવેદન આપી રહ્યા છે કે  મારા જીવનમાં અથવા મારા મર્યા પછી હિજાબ પહેરવાવાળી બાળકી ભારતની પ્રધાનમંત્રી બને... આ નિવેદન તેમણે એટલા માટે આપ્યું હતું કારણ કે સોશિયલ મીડિયામાં અલ્પસંખ્યક વ્યક્તિ પ્રધાનમંત્રી બને તેવી ચર્ચાઓ ચાલી રહી છે..... 


ઈરાનમાં હિજાબનો શું વિરોધ છે 

ઈરાનમાં મહસા અમીનીના મોત બાદ આ વિરોધ શરૂ થયો છે. 22 વર્ષની અમીનીને 1 સપ્ટેમ્બરે મોરેલિટી પોલીસે ધરપકડ કરી હતી કારણ કે તેમણે હિજાબના નિયમોને માન્યા નહોતા.. પોલીસે તેમના માર માર્યો હતો... અમીનીના માથામાં દંડો વાગતા તેનું મોત થયું હતું... આ ઘટનાએ લોકોને રોષથી ભરી દીદા હતા અને હિજાબ સામે પ્રદર્શનો શરૂ થઈ ગયા હતા... ઈરાન પોલીસનું આ મામલે માનવું હતું કે અમીનીનું મોત હાર્ટ એટેકથી થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રદર્શનમાં 200થી વદુ લોકોના મોત થઈ ગયા છે..


પહેલા તો એ સમજી લઈએ કે હિજાબ શું છે અને આ હિજાબ આવ્યો ક્યાંથી 

હિજાબ અરબ શબ્દ છે જેનો અર્થ થાય છે અવરોધ, અથવા દિવાલ.. હિજાબ મુસ્લિમ મહિલાઓને સાર્વજનીક જગ્યાઓ પર ચહેરો ઢાંકવાનું એક વસ્ત્ર છે.. સાતમી સદીમાં ઈસ્લામમાં હિજાબ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું હતું. કુરાનમાં મુસ્લીમ મહિલાને સાધારણ કપડા પહેરવાની વાત કરવામાં આવી છે.. ધીમે ધીમે મહિલાઓ હિજાબ પહેરવા લાગી અને અનેક દેશોની અંદર ચહેરો ઢાંકવાની શરૂઆત થઈ અને ચહેરો ઢાંકવા માટે વિવિધ કપડાઓ બહાર આવવા લાગ્યા.. શરિયા અનુસાર તમામ રીતો માન્ય છે. ભારતમાં મુસ્લિમ મહિલા નકાબ, બુર્કા અને સ્કાફ પહેરે છે.







ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.