પઠાણ ફિલ્મનો વધી રહ્યો છે વિરોધ, ફિલ્મને લઈ કાલીચરણ મહારાજે આપ્યું નિવેદન


  • Published By :
  • Published Date : 2022-12-19 11:29:39

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને લઈ વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. અનેક લોકોએ આ ફિલ્મને લઈ પોતાની પ્રતિક્રિયા આપી છે. ત્યારે મહાત્મા ગાંધી પર વિવાદીત નિવેદન આપનાર કાલીચરણ મહારાજે પઠાણ ફિલ્મ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. નિવેદન આપતા કાલીચરણે કહ્યું કે જે ફિલ્મ ધર્મ વિરોધી હોય તેવી ફિલ્મોનો વિરોધ થવો જોઈએ. આવી ફિલ્મોનો બહિષ્કાર કરવો જોઈએ, જે ધર્મ વિરૂદ્ધ છે અને આવી ફિલ્મોના ડાયરેક્ટર્સને ભિખારી બનાવી દેવા જોઈએ.

Controversial Statement Of Kalicharan In Sant Samagam Of Aligarh - Hindus  Unite For Hindu Nation, Vote On The Basis Of Religion | Kalicharan  Controversy: અલીગઢના સંત સમાગમમાં કાલીચરણનું વિવાદાસ્પદ નિવેદન ...


કાલીચરણ મહારાજે આપી પ્રતિક્રિયા 

આવનાર વર્ષમાં શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું એક ગીત પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે. પરંતુ આ ગીતમાં દિપીકા પાદુકોણના કપડાના કલરને લઈ વિવાદ છેડાઈ ગયો છે. અને દર્શકે આ ફિલ્મને બોયકોટ કરવાની માગ કરી રહ્યા છે. આ ફિલ્મને લઈ અનેક નિવેદનો પણ સામે આવ્યા છે. આ ફિલ્મનો વિરોધ અનેક સંતો, મહંતો પણ કરી રહ્યા છે. ત્યારે કાલીચરણ મહારાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. અને આ વિવાદીત ફિલ્મનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. 

હિન્દુત્વ સાથે ખરાબ કરવાનું બોલિવૂડે નક્કી કર્યું છે, શાહરુખ અને દીપુડીની  ફિલ્મ રિલીઝ થવા દઈશું નહીં' | Pathan Movie Song Controversy: Rajbha Gadhvi  said Bollywood has ...


હિંદુ વિરોધી ફિલ્મ બનાવતા ડાયરેક્ટરને ભિખારી બનાવી દો - કાલીચરણ 

પોતાના નિવેદનમાં કાલીચરણ મહારાજે કહ્યું કે આવી ફિલ્મોનો બહિષ્કાર થવો જોઈએ, જે ધર્મ વિરૂદ્ધ છે. અને આવી ફિલ્મ બનાવનાર ડાયરેક્ટર્સને ભિખારી બનાવી દેવા જોઈએ, ઉપરાંત તેમણે કહ્યું કે હું તમામ હિન્દુઓને અપીલ કરૂ છું કે હિન્દુ ધર્મનું અપમાન કરનાર જેટલા પણ ધર્મ દ્રોહી ફિલ્મ બનાવી રહ્યા છે, તેમનો બહિષ્કાર કરવો જોઈએ. અને તમામને સબર શિખવાડવો જોઈએ કે ધર્મનું અપમાન કરનારને કેવી સજા મળે છે.   


અનેક સંતોએ આપી છે પઠાણ ફિલ્મને લઈ પ્રતિક્રિયા 

આ પહેલા હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણીએ પણ આ ફિલ્મને લઈ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આ ભગવા રંગનું અપમાન ભારત સહન નહીં કરે. આ ભગવા અને સનાતન ધર્મનું અપમાન છે. ઉપરાંત અયોધ્યાના મહંત રાજુદાસે પણ આનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે થિયેટરમાં પઠાણ ફિલ્મ લાગી હોય તેને ફૂંકી મારવાની હાંકલ કરી છે.   


જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.