પઠાણ ફિલ્મનો વધી રહ્યો છે વિરોધ, ફિલ્મને લઈ કાલીચરણ મહારાજે આપ્યું નિવેદન


  • Published By :
  • Published Date : 2022-12-19 11:29:39

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને લઈ વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. અનેક લોકોએ આ ફિલ્મને લઈ પોતાની પ્રતિક્રિયા આપી છે. ત્યારે મહાત્મા ગાંધી પર વિવાદીત નિવેદન આપનાર કાલીચરણ મહારાજે પઠાણ ફિલ્મ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. નિવેદન આપતા કાલીચરણે કહ્યું કે જે ફિલ્મ ધર્મ વિરોધી હોય તેવી ફિલ્મોનો વિરોધ થવો જોઈએ. આવી ફિલ્મોનો બહિષ્કાર કરવો જોઈએ, જે ધર્મ વિરૂદ્ધ છે અને આવી ફિલ્મોના ડાયરેક્ટર્સને ભિખારી બનાવી દેવા જોઈએ.

Controversial Statement Of Kalicharan In Sant Samagam Of Aligarh - Hindus  Unite For Hindu Nation, Vote On The Basis Of Religion | Kalicharan  Controversy: અલીગઢના સંત સમાગમમાં કાલીચરણનું વિવાદાસ્પદ નિવેદન ...


કાલીચરણ મહારાજે આપી પ્રતિક્રિયા 

આવનાર વર્ષમાં શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું એક ગીત પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે. પરંતુ આ ગીતમાં દિપીકા પાદુકોણના કપડાના કલરને લઈ વિવાદ છેડાઈ ગયો છે. અને દર્શકે આ ફિલ્મને બોયકોટ કરવાની માગ કરી રહ્યા છે. આ ફિલ્મને લઈ અનેક નિવેદનો પણ સામે આવ્યા છે. આ ફિલ્મનો વિરોધ અનેક સંતો, મહંતો પણ કરી રહ્યા છે. ત્યારે કાલીચરણ મહારાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. અને આ વિવાદીત ફિલ્મનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. 

હિન્દુત્વ સાથે ખરાબ કરવાનું બોલિવૂડે નક્કી કર્યું છે, શાહરુખ અને દીપુડીની  ફિલ્મ રિલીઝ થવા દઈશું નહીં' | Pathan Movie Song Controversy: Rajbha Gadhvi  said Bollywood has ...


હિંદુ વિરોધી ફિલ્મ બનાવતા ડાયરેક્ટરને ભિખારી બનાવી દો - કાલીચરણ 

પોતાના નિવેદનમાં કાલીચરણ મહારાજે કહ્યું કે આવી ફિલ્મોનો બહિષ્કાર થવો જોઈએ, જે ધર્મ વિરૂદ્ધ છે. અને આવી ફિલ્મ બનાવનાર ડાયરેક્ટર્સને ભિખારી બનાવી દેવા જોઈએ, ઉપરાંત તેમણે કહ્યું કે હું તમામ હિન્દુઓને અપીલ કરૂ છું કે હિન્દુ ધર્મનું અપમાન કરનાર જેટલા પણ ધર્મ દ્રોહી ફિલ્મ બનાવી રહ્યા છે, તેમનો બહિષ્કાર કરવો જોઈએ. અને તમામને સબર શિખવાડવો જોઈએ કે ધર્મનું અપમાન કરનારને કેવી સજા મળે છે.   


અનેક સંતોએ આપી છે પઠાણ ફિલ્મને લઈ પ્રતિક્રિયા 

આ પહેલા હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણીએ પણ આ ફિલ્મને લઈ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આ ભગવા રંગનું અપમાન ભારત સહન નહીં કરે. આ ભગવા અને સનાતન ધર્મનું અપમાન છે. ઉપરાંત અયોધ્યાના મહંત રાજુદાસે પણ આનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે થિયેટરમાં પઠાણ ફિલ્મ લાગી હોય તેને ફૂંકી મારવાની હાંકલ કરી છે.   


સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે LCBના દરોડામાં ખુબ મોટાપાયે વિદેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે. પાટડીના જરવલા ગામની સીમમાં આ ગેરકયદેસર વિદેશી દારૂનો જથ્થો ટ્રેકટરની ટ્રોલીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેના લીધે, સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા SP પ્રેમસુખ ડેલુંની સૂચના મુજબ અલગ અલગ ટિમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની આ કામગીરીમાં હવે સ્થળ પર હાજર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.

ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે