પઠાણ ફિલ્મનો વધી રહ્યો છે વિરોધ, ફિલ્મને લઈ કાલીચરણ મહારાજે આપ્યું નિવેદન


  • Published By :
  • Published Date : 2022-12-19 11:29:39

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને લઈ વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. અનેક લોકોએ આ ફિલ્મને લઈ પોતાની પ્રતિક્રિયા આપી છે. ત્યારે મહાત્મા ગાંધી પર વિવાદીત નિવેદન આપનાર કાલીચરણ મહારાજે પઠાણ ફિલ્મ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. નિવેદન આપતા કાલીચરણે કહ્યું કે જે ફિલ્મ ધર્મ વિરોધી હોય તેવી ફિલ્મોનો વિરોધ થવો જોઈએ. આવી ફિલ્મોનો બહિષ્કાર કરવો જોઈએ, જે ધર્મ વિરૂદ્ધ છે અને આવી ફિલ્મોના ડાયરેક્ટર્સને ભિખારી બનાવી દેવા જોઈએ.

Controversial Statement Of Kalicharan In Sant Samagam Of Aligarh - Hindus  Unite For Hindu Nation, Vote On The Basis Of Religion | Kalicharan  Controversy: અલીગઢના સંત સમાગમમાં કાલીચરણનું વિવાદાસ્પદ નિવેદન ...


કાલીચરણ મહારાજે આપી પ્રતિક્રિયા 

આવનાર વર્ષમાં શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું એક ગીત પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે. પરંતુ આ ગીતમાં દિપીકા પાદુકોણના કપડાના કલરને લઈ વિવાદ છેડાઈ ગયો છે. અને દર્શકે આ ફિલ્મને બોયકોટ કરવાની માગ કરી રહ્યા છે. આ ફિલ્મને લઈ અનેક નિવેદનો પણ સામે આવ્યા છે. આ ફિલ્મનો વિરોધ અનેક સંતો, મહંતો પણ કરી રહ્યા છે. ત્યારે કાલીચરણ મહારાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. અને આ વિવાદીત ફિલ્મનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. 

હિન્દુત્વ સાથે ખરાબ કરવાનું બોલિવૂડે નક્કી કર્યું છે, શાહરુખ અને દીપુડીની  ફિલ્મ રિલીઝ થવા દઈશું નહીં' | Pathan Movie Song Controversy: Rajbha Gadhvi  said Bollywood has ...


હિંદુ વિરોધી ફિલ્મ બનાવતા ડાયરેક્ટરને ભિખારી બનાવી દો - કાલીચરણ 

પોતાના નિવેદનમાં કાલીચરણ મહારાજે કહ્યું કે આવી ફિલ્મોનો બહિષ્કાર થવો જોઈએ, જે ધર્મ વિરૂદ્ધ છે. અને આવી ફિલ્મ બનાવનાર ડાયરેક્ટર્સને ભિખારી બનાવી દેવા જોઈએ, ઉપરાંત તેમણે કહ્યું કે હું તમામ હિન્દુઓને અપીલ કરૂ છું કે હિન્દુ ધર્મનું અપમાન કરનાર જેટલા પણ ધર્મ દ્રોહી ફિલ્મ બનાવી રહ્યા છે, તેમનો બહિષ્કાર કરવો જોઈએ. અને તમામને સબર શિખવાડવો જોઈએ કે ધર્મનું અપમાન કરનારને કેવી સજા મળે છે.   


અનેક સંતોએ આપી છે પઠાણ ફિલ્મને લઈ પ્રતિક્રિયા 

આ પહેલા હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણીએ પણ આ ફિલ્મને લઈ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આ ભગવા રંગનું અપમાન ભારત સહન નહીં કરે. આ ભગવા અને સનાતન ધર્મનું અપમાન છે. ઉપરાંત અયોધ્યાના મહંત રાજુદાસે પણ આનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે થિયેટરમાં પઠાણ ફિલ્મ લાગી હોય તેને ફૂંકી મારવાની હાંકલ કરી છે.   


રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.