વિપક્ષની એકતા બેઠક! આ રાજકીય પાર્ટીના નેતાઓ બેઠકમાં થશે સામેલ, પટના પહોંચ્યા અનેક દિગ્ગજ નેતાઓ,જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-23 09:05:17

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ભાજપ પર અનેક વખત અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા છે. ત્યારે આવનારી લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષ એક થાય તે માટે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક બિહારની રાજધાની પટનામાં આયોજીત કરવામાં આવી છે અને આ બેઠકમાં સામેલ થવા અનેક રાજકીય પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં અંદાજીત 17 રાજકીય પક્ષના દિગ્ગજ નેતાઓ હાજર રહી શકે છે.  મહત્વનું છે આ બેઠક પહેલા અરવિંદ કેજરીવાલે શરત મૂકી છે. બેઠકને લઈ અનેક નેતાઓ પટના પહોંચી ગયા છે. 


અનેક રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ થશે બેઠકમાં સામેલ 

2024માં લોકસભાની ચૂંટણી થવાની છે. ભાજપ દ્વારા ચૂંટણી લક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે વિપક્ષ એક થઈ ચૂંટણી લડે તે માટે અનેક રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ પ્રયાસ કરી રહ્યા છે. બિહારના પટનામાં આજે વિપક્ષી દળોની બેઠક થવાની છે જેમાં 17 જેટલી પાર્ટીના નેતાઓ હાજર રહેશે અને આગામી લોકસભાની ચૂંટણી કેવી રીતે જીતવી તે અંગે રણનીતિ ઘડી તેમજ ચર્ચામાં કરવામાં આવી શકે છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને થવા વાળીઆ બેઠકમાં જનતા દળ યુનાઈટેડના નિતીશ કુમાર, રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવ, કોંગ્રેસ તરફથી આ બેઠકમાં સામેલ થવા રાહુલ ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગે આવશે. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, તે સિવાય શિવસેના તરફથી ઉદ્ધવ ઠાકરે, પીડીપીના મહબૂબા મૂફ્તી તેમજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર, ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જી આ બેઠકમાં હાજર રહેશે તેવી માહિતી સામે આવી છે. મમતા બેનર્જીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેઓ લાલુ પ્રસાદને પગે લાગી રહ્યા છે.  

અરવિંદ કેજરીવાલે બેઠક પહેલા મૂકી શરત!

વિપક્ષી એકતાની બેઠક પહેલા વિરોધના સૂર પણ ઉઠ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બેઠક પહેલા શરત મૂકી છે કે આ બેઠકમાં કેન્દ્રના વટહુકમ અંગે પણ ચર્ચામાં કરવામાં આવે. મુખ્યમંત્રીએ તમામ પક્ષોને આ અંગે પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે લખ્યું કે દિલ્હીનો વટહુકમ એક પ્રયોગ છે, જો તે સફળ થશે તો કેન્દ્ર સરકાર બિન ભાજપ રાજ્યો માટે સમાન વટહુકમ લાવીને રાજ્ય સરકારોની સત્તા છીનવી લેશે. મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલે આ મુદ્દે અનેક રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરી તેમનું સમર્થન મેળવવાની કોશિશ કરી છે. ત્યારે જોવું રહ્યું કે ભાજપ સામે લડવા માટે વિપક્ષો શું રણનીતિ બનાવે છે.   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.