વિપક્ષની એકતા બેઠક! આ રાજકીય પાર્ટીના નેતાઓ બેઠકમાં થશે સામેલ, પટના પહોંચ્યા અનેક દિગ્ગજ નેતાઓ,જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-23 09:05:17

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ભાજપ પર અનેક વખત અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા છે. ત્યારે આવનારી લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષ એક થાય તે માટે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક બિહારની રાજધાની પટનામાં આયોજીત કરવામાં આવી છે અને આ બેઠકમાં સામેલ થવા અનેક રાજકીય પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં અંદાજીત 17 રાજકીય પક્ષના દિગ્ગજ નેતાઓ હાજર રહી શકે છે.  મહત્વનું છે આ બેઠક પહેલા અરવિંદ કેજરીવાલે શરત મૂકી છે. બેઠકને લઈ અનેક નેતાઓ પટના પહોંચી ગયા છે. 


અનેક રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ થશે બેઠકમાં સામેલ 

2024માં લોકસભાની ચૂંટણી થવાની છે. ભાજપ દ્વારા ચૂંટણી લક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે વિપક્ષ એક થઈ ચૂંટણી લડે તે માટે અનેક રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ પ્રયાસ કરી રહ્યા છે. બિહારના પટનામાં આજે વિપક્ષી દળોની બેઠક થવાની છે જેમાં 17 જેટલી પાર્ટીના નેતાઓ હાજર રહેશે અને આગામી લોકસભાની ચૂંટણી કેવી રીતે જીતવી તે અંગે રણનીતિ ઘડી તેમજ ચર્ચામાં કરવામાં આવી શકે છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને થવા વાળીઆ બેઠકમાં જનતા દળ યુનાઈટેડના નિતીશ કુમાર, રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવ, કોંગ્રેસ તરફથી આ બેઠકમાં સામેલ થવા રાહુલ ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગે આવશે. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, તે સિવાય શિવસેના તરફથી ઉદ્ધવ ઠાકરે, પીડીપીના મહબૂબા મૂફ્તી તેમજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર, ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જી આ બેઠકમાં હાજર રહેશે તેવી માહિતી સામે આવી છે. મમતા બેનર્જીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેઓ લાલુ પ્રસાદને પગે લાગી રહ્યા છે.  

અરવિંદ કેજરીવાલે બેઠક પહેલા મૂકી શરત!

વિપક્ષી એકતાની બેઠક પહેલા વિરોધના સૂર પણ ઉઠ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બેઠક પહેલા શરત મૂકી છે કે આ બેઠકમાં કેન્દ્રના વટહુકમ અંગે પણ ચર્ચામાં કરવામાં આવે. મુખ્યમંત્રીએ તમામ પક્ષોને આ અંગે પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે લખ્યું કે દિલ્હીનો વટહુકમ એક પ્રયોગ છે, જો તે સફળ થશે તો કેન્દ્ર સરકાર બિન ભાજપ રાજ્યો માટે સમાન વટહુકમ લાવીને રાજ્ય સરકારોની સત્તા છીનવી લેશે. મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલે આ મુદ્દે અનેક રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરી તેમનું સમર્થન મેળવવાની કોશિશ કરી છે. ત્યારે જોવું રહ્યું કે ભાજપ સામે લડવા માટે વિપક્ષો શું રણનીતિ બનાવે છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.