Vadodara હરણી લેક દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગેની તપાસ કરવા માટે અપાયો આદેશ, તપાસનો ધમધમાટ તો શરૂ થયો પરંતુ પરિણામ શું આવશે?


  • Published By :
  • Published Date : 2024-01-19 09:39:41

ગઈકાલે વડોદરામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ. બેદરકારીને કારણે અનેક માસુમોના જીવ ગયા છે. પિકનીક માટે ગયેલું બાળક પાછું જ ન આવે તો તે માતા-પિતાની પિડા શું હશે તે આપણે નહીં જાણી શકીએ. આપણને કદાચ આ વાત સામાન્ય લાગી શકે કે આવી ઘટનાઓ તો બનતી રહે છે, કરોડોની વસ્તીમાં કોઈ મરે તો આપણને વધારે દુખ નથી થતું. આપણી સંવદેનશીલતા મરી પરવારી છે. પરંતુ જે માતા પિતાએ  પોતાના વ્હાલ સોયાને ગુમાવ્યા છે તે જ આ પીડાની અનુભુતી કરી શકશે. બોટ પલટી જવાને કારણે 11 જેટલા માસુમો તેમજ શિક્ષકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 

Image


10 દિવસની અંદર તપાસ અંગેનો રિપોર્ટ આપવા કરાયો આદેશ! 

ઘટનાની જાણ થતાં જ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, પીએમઓ ઓફિસ, સહિતના નેતાઓ દ્વારા આ ઘટના અંગે દુખ વ્યક્ત કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી તેમજ  ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચી ગયા હતા. દર વખતની જેમ આ ઘટના અંગે પણ તપાસ કરવામાં આવશે. વડોદરા જિલ્લા મેજીસ્ટ્રેટને આ અંગેની તપાસ સોંપવામાં આવી છે. 10 દિવસની અંદર રાજ્ય સરકારને રિપોર્ટ સોંપવાનો આદેશ અપાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. એવી પણ માહિતી સામે આવી છે કે પાંચ લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Image


સહાય આપવાથી થોડી પાછા આવશે મૃતકો?  

આ ઘટના બાદ પીએમઓ દ્વારા મૃતકો તેમજ ઘાયલોને સહાય આપવાની જાહેરાત કરી હતી. 2 લાખ વળતરની જાહેરાત મૃતકોના પરિવારજનોને આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે. તે ઉપરાંત રાજ્ય સરકારે પણ મૃતકોના પરિવારને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વડોદરા પહોંચ્યા હતા. હોસ્પિટલની મુલાકાત લીધી હતી, સંવેદના વ્યક્ત કરી, સહાય આપવાની જાહેરાત કરી પરંતુ શું સહાય આપવાથી, સંવેદના પાઠવાથી પરિવારને પોતાનું બાળક મળી જશે? 


જો આપણે ઈતિહાસમાંથી નહીં શીખીએ તો

તક્ષશિલા કાંડ હોય, કાંકરિયામાં તૂટી પડેલી રાઈડની દુર્ઘટના હોય કે પછી મોરબીમાં બનેલી કરૂણાંતિકા હોય તેમાં માત્ર આંકડાઓ બદલાયા છે પરંતુ તે બાદની પરિસ્થિતિ નથી સુધરી! માનવમાં રહેલી સંવેદનશીલતા પણ મરી પરવારી હોય તેવું લાગી રહ્યું છે. આપણે ઈતિહાસમાંથી નથી શીખતા તેને કારણે જ આવી દુર્ઘટનાઓ વર્તમાનમાં પણ જોવી પડે છે. મહત્વનું છે કે હવે પણ જો આપણે આવી દુર્ઘટનાઓમાંથી નહીં શીખીએ તો ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ બનતી રહેશે!      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.