Vadodara હરણી લેક દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગેની તપાસ કરવા માટે અપાયો આદેશ, તપાસનો ધમધમાટ તો શરૂ થયો પરંતુ પરિણામ શું આવશે?


  • Published By :
  • Published Date : 2024-01-19 09:39:41

ગઈકાલે વડોદરામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ. બેદરકારીને કારણે અનેક માસુમોના જીવ ગયા છે. પિકનીક માટે ગયેલું બાળક પાછું જ ન આવે તો તે માતા-પિતાની પિડા શું હશે તે આપણે નહીં જાણી શકીએ. આપણને કદાચ આ વાત સામાન્ય લાગી શકે કે આવી ઘટનાઓ તો બનતી રહે છે, કરોડોની વસ્તીમાં કોઈ મરે તો આપણને વધારે દુખ નથી થતું. આપણી સંવદેનશીલતા મરી પરવારી છે. પરંતુ જે માતા પિતાએ  પોતાના વ્હાલ સોયાને ગુમાવ્યા છે તે જ આ પીડાની અનુભુતી કરી શકશે. બોટ પલટી જવાને કારણે 11 જેટલા માસુમો તેમજ શિક્ષકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 

Image


10 દિવસની અંદર તપાસ અંગેનો રિપોર્ટ આપવા કરાયો આદેશ! 

ઘટનાની જાણ થતાં જ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, પીએમઓ ઓફિસ, સહિતના નેતાઓ દ્વારા આ ઘટના અંગે દુખ વ્યક્ત કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી તેમજ  ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચી ગયા હતા. દર વખતની જેમ આ ઘટના અંગે પણ તપાસ કરવામાં આવશે. વડોદરા જિલ્લા મેજીસ્ટ્રેટને આ અંગેની તપાસ સોંપવામાં આવી છે. 10 દિવસની અંદર રાજ્ય સરકારને રિપોર્ટ સોંપવાનો આદેશ અપાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. એવી પણ માહિતી સામે આવી છે કે પાંચ લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Image


સહાય આપવાથી થોડી પાછા આવશે મૃતકો?  

આ ઘટના બાદ પીએમઓ દ્વારા મૃતકો તેમજ ઘાયલોને સહાય આપવાની જાહેરાત કરી હતી. 2 લાખ વળતરની જાહેરાત મૃતકોના પરિવારજનોને આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે. તે ઉપરાંત રાજ્ય સરકારે પણ મૃતકોના પરિવારને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વડોદરા પહોંચ્યા હતા. હોસ્પિટલની મુલાકાત લીધી હતી, સંવેદના વ્યક્ત કરી, સહાય આપવાની જાહેરાત કરી પરંતુ શું સહાય આપવાથી, સંવેદના પાઠવાથી પરિવારને પોતાનું બાળક મળી જશે? 


જો આપણે ઈતિહાસમાંથી નહીં શીખીએ તો

તક્ષશિલા કાંડ હોય, કાંકરિયામાં તૂટી પડેલી રાઈડની દુર્ઘટના હોય કે પછી મોરબીમાં બનેલી કરૂણાંતિકા હોય તેમાં માત્ર આંકડાઓ બદલાયા છે પરંતુ તે બાદની પરિસ્થિતિ નથી સુધરી! માનવમાં રહેલી સંવેદનશીલતા પણ મરી પરવારી હોય તેવું લાગી રહ્યું છે. આપણે ઈતિહાસમાંથી નથી શીખતા તેને કારણે જ આવી દુર્ઘટનાઓ વર્તમાનમાં પણ જોવી પડે છે. મહત્વનું છે કે હવે પણ જો આપણે આવી દુર્ઘટનાઓમાંથી નહીં શીખીએ તો ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ બનતી રહેશે!      



લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.