OTT પર વધતી અશ્લીલતા અને ગાળાગાળી મુદ્દે સરકારનું આકરૂ વલણ, શું કહ્યું મંત્રી અનુરાગ ઠાકુરે? જાણો


  • Published By :
  • Published Date : 2023-03-20 20:59:32

OTT પ્લેટફોર્મ પર આવતા કન્ટેન્ટમાં અશ્લીલતાની ફરિયાદો અંગે કેન્દ્ર સરકારે કડક વલણ અખત્યાર કર્યું છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરેએ કહ્યું કે સર્જનાત્મકતાના નામે અપશબ્દો સહન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે જો નિયમોમાં કોઈ ફેરફાર કરવાની જરૂર પડશે તો મંત્રાલય તે દિશામાં પણ વિચાર કરશે. આવી સ્થિતિમાં, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સરકાર ટૂંક સમયમાં OTT કન્ટેન્ટને લગતા નિયમોમાં સુધારો કરી શકે છે. આમ હવે સ્ટ્રીમિંગ સર્વિસ આપતી  Netflix, Hotstar, Amazon Prime અને Zee Videoની મુશ્કેલી વધી શકે.


અશ્લીલતા અને અપશબ્દોની ફરિયાદો મળી


કેન્દ્રીય માહિતી પ્રસારણ અને રમતગમત અને યુવા બાબતોના મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે નાગપુરમાં જણાવ્યું હતું કે OTT પ્લેટફોર્મ પર વધતી અશ્લીલતા અને અપશબ્દોની ફરિયાદો અંગે સરકાર ગંભીર છે. તેમણે કહ્યું કે સર્જનાત્મકતાના નામે અપમાનજનક ભાષાને સાંખી લેવામાં આવશે નહીં. જો આ અંગેના નિયમોમાં કોઈ ફેરફાર કરવાની જરૂર પડશે તો મંત્રાલય તે દિશામાં પણ વિચાર કરશે. કારણ કે આ પ્લેટફોર્મને સર્જનાત્મકતા માટે સ્વતંત્રતા આપવામાં આવી હતી, અપશબ્દો અને અશ્લીલતા માટે નહીં.


નિયમોમાં ફેરફાર અંગે સરકાર નિર્ણય લેશે


કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જ્યારે સરકારના સ્તર પર આ વાત આવે છે, ત્યારે નિયમો અનુસાર વિભાગીય સમિતિની રચના કરવામાં આવે છે. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોમાં, ફરિયાદો સતત વધવા લાગી છે અને વિભાગ તેને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યું છે. જો અમારે આ અંગે નિયમોમાં ફેરફાર કરવો પડશે, તો પણ અમે ખૂબ ગંભીરતાથી વિચારીશું.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.