OTT પર વધતી અશ્લીલતા અને ગાળાગાળી મુદ્દે સરકારનું આકરૂ વલણ, શું કહ્યું મંત્રી અનુરાગ ઠાકુરે? જાણો


  • Published By :
  • Published Date : 2023-03-20 20:59:32

OTT પ્લેટફોર્મ પર આવતા કન્ટેન્ટમાં અશ્લીલતાની ફરિયાદો અંગે કેન્દ્ર સરકારે કડક વલણ અખત્યાર કર્યું છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરેએ કહ્યું કે સર્જનાત્મકતાના નામે અપશબ્દો સહન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે જો નિયમોમાં કોઈ ફેરફાર કરવાની જરૂર પડશે તો મંત્રાલય તે દિશામાં પણ વિચાર કરશે. આવી સ્થિતિમાં, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સરકાર ટૂંક સમયમાં OTT કન્ટેન્ટને લગતા નિયમોમાં સુધારો કરી શકે છે. આમ હવે સ્ટ્રીમિંગ સર્વિસ આપતી  Netflix, Hotstar, Amazon Prime અને Zee Videoની મુશ્કેલી વધી શકે.


અશ્લીલતા અને અપશબ્દોની ફરિયાદો મળી


કેન્દ્રીય માહિતી પ્રસારણ અને રમતગમત અને યુવા બાબતોના મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે નાગપુરમાં જણાવ્યું હતું કે OTT પ્લેટફોર્મ પર વધતી અશ્લીલતા અને અપશબ્દોની ફરિયાદો અંગે સરકાર ગંભીર છે. તેમણે કહ્યું કે સર્જનાત્મકતાના નામે અપમાનજનક ભાષાને સાંખી લેવામાં આવશે નહીં. જો આ અંગેના નિયમોમાં કોઈ ફેરફાર કરવાની જરૂર પડશે તો મંત્રાલય તે દિશામાં પણ વિચાર કરશે. કારણ કે આ પ્લેટફોર્મને સર્જનાત્મકતા માટે સ્વતંત્રતા આપવામાં આવી હતી, અપશબ્દો અને અશ્લીલતા માટે નહીં.


નિયમોમાં ફેરફાર અંગે સરકાર નિર્ણય લેશે


કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જ્યારે સરકારના સ્તર પર આ વાત આવે છે, ત્યારે નિયમો અનુસાર વિભાગીય સમિતિની રચના કરવામાં આવે છે. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોમાં, ફરિયાદો સતત વધવા લાગી છે અને વિભાગ તેને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યું છે. જો અમારે આ અંગે નિયમોમાં ફેરફાર કરવો પડશે, તો પણ અમે ખૂબ ગંભીરતાથી વિચારીશું.



કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...

ગુજરાતના અનેક સરહદી વિસ્તારમાં આજે પણ પાણી માટે લોકોને વલખા મારવા પડે છે. પીવાના પાણી માટે અનેક કિલોમીટર ચાલવું પડે છે. ટેન્કરના માધ્યમથી પાણી આવે છે.

લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો હતો. આપના બે નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મકિ માલવિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે તે બંને નેતાઓ આવતી કાલે ભાજપમાં જોડાઈ શકે છે...