OTT પર વધતી અશ્લીલતા અને ગાળાગાળી મુદ્દે સરકારનું આકરૂ વલણ, શું કહ્યું મંત્રી અનુરાગ ઠાકુરે? જાણો


  • Published By :
  • Published Date : 2023-03-20 20:59:32

OTT પ્લેટફોર્મ પર આવતા કન્ટેન્ટમાં અશ્લીલતાની ફરિયાદો અંગે કેન્દ્ર સરકારે કડક વલણ અખત્યાર કર્યું છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરેએ કહ્યું કે સર્જનાત્મકતાના નામે અપશબ્દો સહન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે જો નિયમોમાં કોઈ ફેરફાર કરવાની જરૂર પડશે તો મંત્રાલય તે દિશામાં પણ વિચાર કરશે. આવી સ્થિતિમાં, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સરકાર ટૂંક સમયમાં OTT કન્ટેન્ટને લગતા નિયમોમાં સુધારો કરી શકે છે. આમ હવે સ્ટ્રીમિંગ સર્વિસ આપતી  Netflix, Hotstar, Amazon Prime અને Zee Videoની મુશ્કેલી વધી શકે.


અશ્લીલતા અને અપશબ્દોની ફરિયાદો મળી


કેન્દ્રીય માહિતી પ્રસારણ અને રમતગમત અને યુવા બાબતોના મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે નાગપુરમાં જણાવ્યું હતું કે OTT પ્લેટફોર્મ પર વધતી અશ્લીલતા અને અપશબ્દોની ફરિયાદો અંગે સરકાર ગંભીર છે. તેમણે કહ્યું કે સર્જનાત્મકતાના નામે અપમાનજનક ભાષાને સાંખી લેવામાં આવશે નહીં. જો આ અંગેના નિયમોમાં કોઈ ફેરફાર કરવાની જરૂર પડશે તો મંત્રાલય તે દિશામાં પણ વિચાર કરશે. કારણ કે આ પ્લેટફોર્મને સર્જનાત્મકતા માટે સ્વતંત્રતા આપવામાં આવી હતી, અપશબ્દો અને અશ્લીલતા માટે નહીં.


નિયમોમાં ફેરફાર અંગે સરકાર નિર્ણય લેશે


કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જ્યારે સરકારના સ્તર પર આ વાત આવે છે, ત્યારે નિયમો અનુસાર વિભાગીય સમિતિની રચના કરવામાં આવે છે. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોમાં, ફરિયાદો સતત વધવા લાગી છે અને વિભાગ તેને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યું છે. જો અમારે આ અંગે નિયમોમાં ફેરફાર કરવો પડશે, તો પણ અમે ખૂબ ગંભીરતાથી વિચારીશું.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.