Gujaratમાં 5 વર્ષથી સતત બનતી દુર્ઘટનાઓમાં આપણાં બાળકોનો ભોગ લેવાયો, શું સરકાર સમજી શકશે એ માતાની પીડા જેણે પોતાનું સંતાન ગુમાવ્યું છે?


  • Published By :
  • Published Date : 2024-05-26 08:37:31

કહેવાય છે કે બાળકો ઈશ્વરને પ્યારા હોય છે... બાળકોને ઈશ્વરનું રૂપ માનવામાં આવે છે..  જ્યારે ફૂલ જેવા માસુમ બાળકો મોતને ભેટે છે ત્યારે આપણે માત્ર પ્રાર્થના કરી શકીએ છીએ કે હે ઈશ્વર તું બાળકને પોતાના ચરણોમાં રાખશે.. તેની સંભાળ  રાખજે.. પરંતુ જ્યારે માનવસર્જીત દુર્ઘટનામાં માસુમ અને નિર્દોષ બાળક મુત્યુ પામે છે ત્યારે શું ઈશ્વરને પણ એ ગમતું હશે? શું ઈશ્વરને ગુસ્સો નહીં આવતો હોય? કદાચ આવતો હશે..! માનવસર્જીત લાપરવાહીને ઘણી વખત કુદરતી આફત ગણાવી દેવામાં આવે છે ત્યારે.!  

કોઈની લાપરવાહીને કારણે જાય છે માસુમોના જીવ

ગુજરાતમાં છેલ્લા થોડા વર્ષોમાં એટલી બધી દુર્ઘટના સર્જાઈ છે જેમાં બાળકો કાળનો કોળિયો બન્યા છે.. માત્ર બાળકોના નામ બદલાય છે, જગ્યા બદલાય છે પરંતુ નથી બદલાતી તો તે છે માતા પિતાની પીડા.. જે લોકો માતા પિતા હશે તે સારી રીતે સમજી શકશે આવી દુર્ઘટના થાય ત્યારે શું વિતતી હોય છે.. આપણે એક દુર્ઘટનાના દુ:ખમાંથી બહાર નથી આવી શક્તા ત્યાં તો બીજી દુર્ઘટના આવી સર્જાઈ જતી હોય છે લાપરવાહીને કારણે... કોઈ વખત સેફ્ટીના સાધનો ના હોવાને કારણે તો કોઈ વખત તંત્રની લાપરવાહીને કારણે.. એ પછી સુરત તક્ષશિલા અગ્નિકાંડ હોય કે પછી મોરબી ઝુલતા પુલની દુર્ઘટના હોય..



હરણી બોટ કાંડ હોય કે પછી તક્ષશિલા અગ્નિકાંડ... 

સુરત તક્ષશિલા અગ્નિકાંડને સર્જાયે ભલે પાંચ વર્ષ થઈ ગયા હોય પરંતુ તે બાદ પણ પરિસ્થિતિમાં કોઈ બદલાવ નથી આવ્યો.. દુર્ઘટના સર્જાઈ તે બાદ એક્શન લેવાયા માત્ર, પરંતુ થોડા દિવસ બાદ આ ઘટના ભૂલાઈ ગઈ આપણને.. ફાયર સેફ્ટીની વાતો ભૂલાઈ ગઈ, તપાસની વાતો ભૂલાઈ ગઈ.. અનેક બાળકોના જીવ તેમાં ગયા હતા... અગ્નિ કાંડને કારણે તો અનેક બાળકોના જીવ ગયા છે પરંતુ પાણીને કારણે પણ બાળકો મોતને ભેટ્યા છે. હરણી બોટ કાંડ આજે પણ યાદ આવે છે.. ક્ષમતા કરતા વધારે અને સેફ્ટી વગર બાળકોને બેસાડી દેવાયા હતા.. બોટ ઉંઘી થઈ ગઈ અને નાના બાળકોના મોત થઈ ગયા..


તહેવાર ફેરવાઈ ગયો હતો માતમમાં 

તે સિવાય મોરબીમાં બનેલી મોટી હોનારત કોણ ભૂલી શકે? તહેવારની મજા માતમમાં ફેરવાઈ ગઈ હતી.. ખુશી માટે નિકળેલા લોકો લાશ બનીને ઘરે આવ્યા. બ્રિજ તૂટી પડ્યો અને લોકો મોતને ભેટ્યા.. તે સિવાય કાંકરિયામાં બનેલી રાઈડ દુર્ઘટના હોય.. બાળકોના જીવની માણસોના જીવની જાણે  કદર જ નથી તેવું લાગે છે.. તે સિવાય પણ અનેક દુર્ઘટનાઓ એવી છે જેમાં માસુમ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે બીજાના પાપને કારણે...



ના અપેક્ષા છે ના આશા છે...     

બાળકને જ્યારે નાનું કંઈક વાગી જાય છે ત્યારે બાળક કરતા વધારે દુ:ખ તેના માતાને સૌથી વધારે થાય છે. રાજકોટમાં બાળક જ્યારે આગમાં બળતા હશે ત્યારે સૌથી વધારે તેણે પોતાની માતાને યાદ કરી હશે.. જ્યારે ઠેસ વાગે છે ત્યારે મોં માંથી માતાનું નામ ઉચ્ચારાય છે. ત્યારે તે બાળક પર શું વિતી હશે તેની કલ્પના જ્યારે કરીએ ત્યારે કંપારી છૂટી જાય છે. એ માતાની પીડા આપણને ક્યારે નહીં સમજાય જેણે આવી દુર્ઘટનામાં પોતાના સંતાનને ગુમાવ્યા છે. આજે પણ માતા પોતાના બાળકની રાહ જોશે કે તેનું બાળક આવશે અને તેને ભેટી પડશે.. પરંતુ અફસોસ મૃત્યુ પામેલા લોકો પાછા નથી આવતા.. 5 વર્ષથી આપણાં બાળકોનો ભોગ લેવાઈ રહ્યો છે.. હવે ના ગુસ્સો છે ના અપેક્ષા છે...



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.