રાહુલ ગાંંધીના નિવેદન પર ઓવૈસીએ કર્યો પલટવાર, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીને મારી નાખ્યા છે


  • Published By :
  • Published Date : 2023-01-13 16:54:15

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જ્યારથી શરૂ થઈ છે ત્યારથી કોઈને કોઈ કારણોસર તે ચર્ચામાં આવતી હોય છે. રાહુલ ગાંધીએ યાત્રા દરમિયાન અનેક વખત પ્રેસ કોન્ફરન્સ કરી છે, જેમાં સરકાર વિરૂદ્ધ તેમણે આકરા પ્રહારો કર્યા છે. ત્યારે થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમણે રાહુલ ગાંધીને મારી નાખ્યા છે. આ વાતને લઈ AIMIMના વડાએ રાહુલ પર પ્રહાર કર્યા છે. ઓવૈસીએ કહ્યું કે જો રાહુલ ગાંધી મરી ગયા છે તો જે યાત્રામાં ફરી રહ્યા છે તે જીન છે. 

જો નિર્ણય સાચો હોય તો BJP દ્વારા નોટબંધી દિવસ ઉજવવો જોઇએ: ઓવૈસી


રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા છે પ્રહાર  

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રાને સારો જનપ્રતિસાદ મળી રહ્યો છે. અનેક રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ ગઈ છે અને આવનાર દિવસોમાં અનેક રાજ્યોમાંથી પસાર થવાની છે. જ્યારથી રાહુલ ગાંધીએ આ યાત્રાની શરૂઆત કરી છે ત્યારથી તેઓ ચર્ચામાં રહે છે. યાત્રા દરમિયાન કેન્દ્ર સરકાર તેમજ ભાજપ આકરા પ્રહારો કર્યા છે..

Open to dissent to an extent, not fascist party: Rahul Gandhi in Rajasthan  | Latest News India - Hindustan Times


પોતાને મારી નાખ્યો વાળા નિવેદન પર ઓવૈસીનો સવાલ  

યાત્રામાં અનેક વખત તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ત્યારે થોડા દિવસો પૂર્વે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમણે રાહુલ ગાંધીને મારી નાખ્યા છે. આ વાત પર AIMIMના વડાએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે જો રાહુલ ગાંધી મરી ગયા છે તો જે યાત્રા કરી રહ્યા છે તે જીન છે?

 

ટી-શર્ટ અંગે પણ કરી ટિપ્પણી 

ઉપરાંત રાહુલ ગાંધીની ટી-શર્ટ પણ ચર્ચાનું કેન્દ્ર બનતું હોય છે. ટી-શર્ટ મુદ્દે પર પણ તેમણે પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી 50 વર્ષના થઈ ગયા છે. અને કહી રહ્યા છે કે ઠંડી નથી લાગતી, જ્યારે રાજધાની દિલ્હી સહીત ઉત્તરભારતના રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. 


જાન્યુઆરીમાં થશે યાત્રાનું સમાપન 

7 સપ્ટેમ્બર 2022થી કન્યાકુમારીથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો અને આ યાત્રાની સમાપ્તિ 30 જાન્યુઆરીએ થવાની છે. શ્રીનગરમાં આ યાત્રાનું સમાપન થવાનું છે. આ પદયાત્રા તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, પંજાબ અને ઉત્તરપ્રદેશમાંથી પસાર થઈ છે.      

 




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.