રાહુલ ગાંંધીના નિવેદન પર ઓવૈસીએ કર્યો પલટવાર, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીને મારી નાખ્યા છે


  • Published By :
  • Published Date : 2023-01-13 16:54:15

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જ્યારથી શરૂ થઈ છે ત્યારથી કોઈને કોઈ કારણોસર તે ચર્ચામાં આવતી હોય છે. રાહુલ ગાંધીએ યાત્રા દરમિયાન અનેક વખત પ્રેસ કોન્ફરન્સ કરી છે, જેમાં સરકાર વિરૂદ્ધ તેમણે આકરા પ્રહારો કર્યા છે. ત્યારે થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમણે રાહુલ ગાંધીને મારી નાખ્યા છે. આ વાતને લઈ AIMIMના વડાએ રાહુલ પર પ્રહાર કર્યા છે. ઓવૈસીએ કહ્યું કે જો રાહુલ ગાંધી મરી ગયા છે તો જે યાત્રામાં ફરી રહ્યા છે તે જીન છે. 

જો નિર્ણય સાચો હોય તો BJP દ્વારા નોટબંધી દિવસ ઉજવવો જોઇએ: ઓવૈસી


રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા છે પ્રહાર  

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રાને સારો જનપ્રતિસાદ મળી રહ્યો છે. અનેક રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ ગઈ છે અને આવનાર દિવસોમાં અનેક રાજ્યોમાંથી પસાર થવાની છે. જ્યારથી રાહુલ ગાંધીએ આ યાત્રાની શરૂઆત કરી છે ત્યારથી તેઓ ચર્ચામાં રહે છે. યાત્રા દરમિયાન કેન્દ્ર સરકાર તેમજ ભાજપ આકરા પ્રહારો કર્યા છે..

Open to dissent to an extent, not fascist party: Rahul Gandhi in Rajasthan  | Latest News India - Hindustan Times


પોતાને મારી નાખ્યો વાળા નિવેદન પર ઓવૈસીનો સવાલ  

યાત્રામાં અનેક વખત તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ત્યારે થોડા દિવસો પૂર્વે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમણે રાહુલ ગાંધીને મારી નાખ્યા છે. આ વાત પર AIMIMના વડાએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે જો રાહુલ ગાંધી મરી ગયા છે તો જે યાત્રા કરી રહ્યા છે તે જીન છે?

 

ટી-શર્ટ અંગે પણ કરી ટિપ્પણી 

ઉપરાંત રાહુલ ગાંધીની ટી-શર્ટ પણ ચર્ચાનું કેન્દ્ર બનતું હોય છે. ટી-શર્ટ મુદ્દે પર પણ તેમણે પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી 50 વર્ષના થઈ ગયા છે. અને કહી રહ્યા છે કે ઠંડી નથી લાગતી, જ્યારે રાજધાની દિલ્હી સહીત ઉત્તરભારતના રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. 


જાન્યુઆરીમાં થશે યાત્રાનું સમાપન 

7 સપ્ટેમ્બર 2022થી કન્યાકુમારીથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો અને આ યાત્રાની સમાપ્તિ 30 જાન્યુઆરીએ થવાની છે. શ્રીનગરમાં આ યાત્રાનું સમાપન થવાનું છે. આ પદયાત્રા તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, પંજાબ અને ઉત્તરપ્રદેશમાંથી પસાર થઈ છે.      

 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.