રાહુલ ગાંંધીના નિવેદન પર ઓવૈસીએ કર્યો પલટવાર, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીને મારી નાખ્યા છે


  • Published By :
  • Published Date : 2023-01-13 16:54:15

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જ્યારથી શરૂ થઈ છે ત્યારથી કોઈને કોઈ કારણોસર તે ચર્ચામાં આવતી હોય છે. રાહુલ ગાંધીએ યાત્રા દરમિયાન અનેક વખત પ્રેસ કોન્ફરન્સ કરી છે, જેમાં સરકાર વિરૂદ્ધ તેમણે આકરા પ્રહારો કર્યા છે. ત્યારે થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમણે રાહુલ ગાંધીને મારી નાખ્યા છે. આ વાતને લઈ AIMIMના વડાએ રાહુલ પર પ્રહાર કર્યા છે. ઓવૈસીએ કહ્યું કે જો રાહુલ ગાંધી મરી ગયા છે તો જે યાત્રામાં ફરી રહ્યા છે તે જીન છે. 

જો નિર્ણય સાચો હોય તો BJP દ્વારા નોટબંધી દિવસ ઉજવવો જોઇએ: ઓવૈસી


રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા છે પ્રહાર  

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રાને સારો જનપ્રતિસાદ મળી રહ્યો છે. અનેક રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ ગઈ છે અને આવનાર દિવસોમાં અનેક રાજ્યોમાંથી પસાર થવાની છે. જ્યારથી રાહુલ ગાંધીએ આ યાત્રાની શરૂઆત કરી છે ત્યારથી તેઓ ચર્ચામાં રહે છે. યાત્રા દરમિયાન કેન્દ્ર સરકાર તેમજ ભાજપ આકરા પ્રહારો કર્યા છે..

Open to dissent to an extent, not fascist party: Rahul Gandhi in Rajasthan  | Latest News India - Hindustan Times


પોતાને મારી નાખ્યો વાળા નિવેદન પર ઓવૈસીનો સવાલ  

યાત્રામાં અનેક વખત તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ત્યારે થોડા દિવસો પૂર્વે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમણે રાહુલ ગાંધીને મારી નાખ્યા છે. આ વાત પર AIMIMના વડાએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે જો રાહુલ ગાંધી મરી ગયા છે તો જે યાત્રા કરી રહ્યા છે તે જીન છે?

 

ટી-શર્ટ અંગે પણ કરી ટિપ્પણી 

ઉપરાંત રાહુલ ગાંધીની ટી-શર્ટ પણ ચર્ચાનું કેન્દ્ર બનતું હોય છે. ટી-શર્ટ મુદ્દે પર પણ તેમણે પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી 50 વર્ષના થઈ ગયા છે. અને કહી રહ્યા છે કે ઠંડી નથી લાગતી, જ્યારે રાજધાની દિલ્હી સહીત ઉત્તરભારતના રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. 


જાન્યુઆરીમાં થશે યાત્રાનું સમાપન 

7 સપ્ટેમ્બર 2022થી કન્યાકુમારીથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો અને આ યાત્રાની સમાપ્તિ 30 જાન્યુઆરીએ થવાની છે. શ્રીનગરમાં આ યાત્રાનું સમાપન થવાનું છે. આ પદયાત્રા તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, પંજાબ અને ઉત્તરપ્રદેશમાંથી પસાર થઈ છે.      

 




ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .