અમેરિકામાં 27 અજગર પકડનારા બે મદારીઓને મળ્યો પદ્મશ્રી, કોણ છે સદાઈયાન અને વૈદિવેલ?


  • Published By :
  • Published Date : 2023-01-26 17:29:32

તમિલનાડુમાં સાપ પકડનારા બે મિત્રોને પદ્મશ્રી મળ્યો છે. તમિલનાડુમાં ઈરૂલા જનજાતિના બે મદારીઓ માસી સદાઈયાન અને વૈદિવેલ ગોપાલને પદ્મશ્રીની જાહેરાત થઈ છે. પ્રજાસત્તાક દિનના પ્રસંગે દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ બંને પરંપરાગત રીતે સાપ, નાગ અને અજગર સહિતના ખતરનાક જીવોને પકડવામાં મહારત ધરાવે છે. તેમણે કોઈ ઔપચારિક શિક્ષણ પણ મેળવ્યું નથી. રસપ્રદ  વાત એ છે કે જ્યારે તેઓ સાપ પકડવામાં વ્યસ્ત હતા ત્યારે જ ફોનની રિંગ વાગી અને જાણવા મળ્યું કે તેમને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે. તેમણે સાંભળ્યું એક મિનિટ વાત કરી અને ફરી પાછા તેમના કામમાં લાગી ગયા. 

 

અજગરને દેશી ટેકનીકથી પકડે છે


માસી સદાઈયાન અને વૈદિવેલ ગોપાલને આ વારસો તેમના પૂર્વજો પાસેથી મળ્યો છે. તેઓ સાપને પકડવા માટે જૂની અને દેશી તકનીકોનો ઉપયોગ કરે છે.

 

ઇરુલાના આદિવાસીઓ સાપ પકડવા માટે પ્રખ્યાત 


ઈરુલા લોકો તમિલનાડુમાં દેનાકાનીકોટ્ટાઈ નજીક જંગલવાળા વિસ્તારોમાં રહે છે પરંતુ તેઓ કન્નડ ભાષા પણ સારી રીતે બોલી જાણે છે. તેઓ ઉંદરો અને સાપ પકડવામાં નિષ્ણાત છે.


2017માં 27 અજગર પકડ્યા હતા


2017માં અજગરથી પરેશાન અમેરિકાએ બંનેને અમેરિકન જંગલોમાં હાજર બર્મન મૂળના અજગરને પકડવા માટે બોલાવ્યા હતા. અમેરિકામાં માસી અને વૈદિવેલ સાથે મળીને ત્યારે 27 અજગર પકડ્યા હતા. આમાંથી ઘણી દુર્લભ પ્રજાતિઓ હતી. વૈદિવેલ અને માસીએ માત્ર 8 દિવસમાં 13 અજગર પકડ્યા. બંનેએ 16 ફૂટ લાંબી માદા અજગરને પકડીને ફ્લોરિડા ફિશ એન્ડ વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન કમિશનના અધિકારીઓને ચોંકાવી દીધા હતા.અમેરિકાએ પણ તેમને 44 લાખ રૂપિયા આપ્યા હતા.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.