અમેરિકામાં 27 અજગર પકડનારા બે મદારીઓને મળ્યો પદ્મશ્રી, કોણ છે સદાઈયાન અને વૈદિવેલ?


  • Published By :
  • Published Date : 2023-01-26 17:29:32

તમિલનાડુમાં સાપ પકડનારા બે મિત્રોને પદ્મશ્રી મળ્યો છે. તમિલનાડુમાં ઈરૂલા જનજાતિના બે મદારીઓ માસી સદાઈયાન અને વૈદિવેલ ગોપાલને પદ્મશ્રીની જાહેરાત થઈ છે. પ્રજાસત્તાક દિનના પ્રસંગે દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ બંને પરંપરાગત રીતે સાપ, નાગ અને અજગર સહિતના ખતરનાક જીવોને પકડવામાં મહારત ધરાવે છે. તેમણે કોઈ ઔપચારિક શિક્ષણ પણ મેળવ્યું નથી. રસપ્રદ  વાત એ છે કે જ્યારે તેઓ સાપ પકડવામાં વ્યસ્ત હતા ત્યારે જ ફોનની રિંગ વાગી અને જાણવા મળ્યું કે તેમને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે. તેમણે સાંભળ્યું એક મિનિટ વાત કરી અને ફરી પાછા તેમના કામમાં લાગી ગયા. 

 

અજગરને દેશી ટેકનીકથી પકડે છે


માસી સદાઈયાન અને વૈદિવેલ ગોપાલને આ વારસો તેમના પૂર્વજો પાસેથી મળ્યો છે. તેઓ સાપને પકડવા માટે જૂની અને દેશી તકનીકોનો ઉપયોગ કરે છે.

 

ઇરુલાના આદિવાસીઓ સાપ પકડવા માટે પ્રખ્યાત 


ઈરુલા લોકો તમિલનાડુમાં દેનાકાનીકોટ્ટાઈ નજીક જંગલવાળા વિસ્તારોમાં રહે છે પરંતુ તેઓ કન્નડ ભાષા પણ સારી રીતે બોલી જાણે છે. તેઓ ઉંદરો અને સાપ પકડવામાં નિષ્ણાત છે.


2017માં 27 અજગર પકડ્યા હતા


2017માં અજગરથી પરેશાન અમેરિકાએ બંનેને અમેરિકન જંગલોમાં હાજર બર્મન મૂળના અજગરને પકડવા માટે બોલાવ્યા હતા. અમેરિકામાં માસી અને વૈદિવેલ સાથે મળીને ત્યારે 27 અજગર પકડ્યા હતા. આમાંથી ઘણી દુર્લભ પ્રજાતિઓ હતી. વૈદિવેલ અને માસીએ માત્ર 8 દિવસમાં 13 અજગર પકડ્યા. બંનેએ 16 ફૂટ લાંબી માદા અજગરને પકડીને ફ્લોરિડા ફિશ એન્ડ વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન કમિશનના અધિકારીઓને ચોંકાવી દીધા હતા.અમેરિકાએ પણ તેમને 44 લાખ રૂપિયા આપ્યા હતા.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.