PAK Election: પાકિસ્તાનમાં ત્રિશંકુ સંસદ, ઈમરાન-નવાઝ અને બિલાવલ પાસે શું વિકલ્પ છે? જાણો


  • Published By :
  • Published Date : 2024-02-11 19:05:39

પાડોશી દેશ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. આજે મતગણતરી પૂરી થઈ અને લાંબી રાહ જોયા બાદ આખરે ચૂંટણી પંચે પરિણામ જાહેર કરી દીધું. આ ચૂંટણીની ખાસ વાત એ છે કે કોઈપણ પક્ષને બહુમતી મળી નથી. અપક્ષ ઉમેદવારોએ 100 થી વધુ બેઠકો જીતી છે, જેમાંથી મોટી સંખ્યામાં પીટીઆઈ એટલે કે પૂર્વ પીએમ ઈમરાન ખાનના સમર્થકો હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં દેશમાં કેવી રીતે સરકાર બનશે તે જોવું રસપ્રદ રહેશે.


PTI સમર્થિત 101 ઉમેદવારો વિજેતા 


ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા પરિણામો વિશે વાત કરીએ તો પીટીઆઈ દ્વારા સમર્થિત વિજેતા ઉમેદવારોની સંખ્યા લગભગ 101 હોવાનું કહેવાય છે. આ સિવાય ત્રણ વખતના પૂર્વ પીએમ નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ બીજા સ્થાને છે, તેને 75 બેઠકો મળી છે. જ્યારે બિલાવલ ઝરદારી ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને માત્ર 54 સીટો મળી છે. તે ઉપરાંત કરાચીની મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાનને 17 બેઠકો મળી છે.


ત્રિશંકુ સંસદની સ્થિતિ સર્જાઈ 


પાકિસ્તાનમાં ત્રિશંકુ સંસદની સ્થિતિ સર્જાઈ રહી છે. આવી સ્થિતિમાં અપક્ષો સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન તમામ અપક્ષ વિજેતા ઉમેદવારોને એક કરીને પોતાની તરફેણમાં જીત મેળવવાના પ્રયાસમાં વ્યસ્ત છે. બહુમતીનો આંકડો મેળવવા માટે 133 બેઠકો જરૂરી છે. અપક્ષ ઉમેદવારોની કુલ સંખ્યા પણ 101 છે. આવી સ્થિતિમાં ઈમરાન ખાન માટે પડકાર એ છે કે તેઓ અન્ય 32 ઉમેદવારો ક્યાંથી લાવશે, શું તેઓ બિલાવલ ભુટ્ટો પાસેથી સમર્થન લેશે કે પછી નવાઝ શરીફ તરફ વળશે. આ સિવાય તેમની સામે મોટો પડકાર એ છે કે તેઓ તેમના સમર્થક વિજેતા સાંસદોની સુરક્ષા કરે, નહીં તો તેમનું હોર્સ ટ્રેડિંગ થઈ શકે છે.  


શું ઈમરાન ખાનને પીએમ નહીં બનવા દે?


પૂર્વ પીએમ નવાઝ શરીફ પાકિસ્તાનમાં સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યા છે, નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટો ઝરદારી વચ્ચે સરકાર બનાવવાને લઈને વાતચીત પણ શરૂ થઈ ગઈ છે. જો આ બંને પક્ષો સાથે આવે તો પણ બહુમતીના આંકડા કરતાં 6 બેઠકો ઓછી હશે. આવી સ્થિતિમાં તેમને પણ અપક્ષ ઉમેદવારોની જરૂર પડશે. આવી સ્થિતિમાં, બંને પક્ષો અપક્ષ ઉમેદવારોને પોતાની સાથે લાવવાનું વિચારી રહ્યા છે કારણ કે બંને નેતાઓ કોઈ પણ ભોગે ઈમરાન ખાનને ફરીથી પીએમ બનવા દેવા માંગતા નથી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે