PAK Election: પાકિસ્તાનમાં ત્રિશંકુ સંસદ, ઈમરાન-નવાઝ અને બિલાવલ પાસે શું વિકલ્પ છે? જાણો


  • Published By :
  • Published Date : 2024-02-11 19:05:39

પાડોશી દેશ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. આજે મતગણતરી પૂરી થઈ અને લાંબી રાહ જોયા બાદ આખરે ચૂંટણી પંચે પરિણામ જાહેર કરી દીધું. આ ચૂંટણીની ખાસ વાત એ છે કે કોઈપણ પક્ષને બહુમતી મળી નથી. અપક્ષ ઉમેદવારોએ 100 થી વધુ બેઠકો જીતી છે, જેમાંથી મોટી સંખ્યામાં પીટીઆઈ એટલે કે પૂર્વ પીએમ ઈમરાન ખાનના સમર્થકો હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં દેશમાં કેવી રીતે સરકાર બનશે તે જોવું રસપ્રદ રહેશે.


PTI સમર્થિત 101 ઉમેદવારો વિજેતા 


ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા પરિણામો વિશે વાત કરીએ તો પીટીઆઈ દ્વારા સમર્થિત વિજેતા ઉમેદવારોની સંખ્યા લગભગ 101 હોવાનું કહેવાય છે. આ સિવાય ત્રણ વખતના પૂર્વ પીએમ નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ બીજા સ્થાને છે, તેને 75 બેઠકો મળી છે. જ્યારે બિલાવલ ઝરદારી ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને માત્ર 54 સીટો મળી છે. તે ઉપરાંત કરાચીની મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાનને 17 બેઠકો મળી છે.


ત્રિશંકુ સંસદની સ્થિતિ સર્જાઈ 


પાકિસ્તાનમાં ત્રિશંકુ સંસદની સ્થિતિ સર્જાઈ રહી છે. આવી સ્થિતિમાં અપક્ષો સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન તમામ અપક્ષ વિજેતા ઉમેદવારોને એક કરીને પોતાની તરફેણમાં જીત મેળવવાના પ્રયાસમાં વ્યસ્ત છે. બહુમતીનો આંકડો મેળવવા માટે 133 બેઠકો જરૂરી છે. અપક્ષ ઉમેદવારોની કુલ સંખ્યા પણ 101 છે. આવી સ્થિતિમાં ઈમરાન ખાન માટે પડકાર એ છે કે તેઓ અન્ય 32 ઉમેદવારો ક્યાંથી લાવશે, શું તેઓ બિલાવલ ભુટ્ટો પાસેથી સમર્થન લેશે કે પછી નવાઝ શરીફ તરફ વળશે. આ સિવાય તેમની સામે મોટો પડકાર એ છે કે તેઓ તેમના સમર્થક વિજેતા સાંસદોની સુરક્ષા કરે, નહીં તો તેમનું હોર્સ ટ્રેડિંગ થઈ શકે છે.  


શું ઈમરાન ખાનને પીએમ નહીં બનવા દે?


પૂર્વ પીએમ નવાઝ શરીફ પાકિસ્તાનમાં સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યા છે, નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટો ઝરદારી વચ્ચે સરકાર બનાવવાને લઈને વાતચીત પણ શરૂ થઈ ગઈ છે. જો આ બંને પક્ષો સાથે આવે તો પણ બહુમતીના આંકડા કરતાં 6 બેઠકો ઓછી હશે. આવી સ્થિતિમાં તેમને પણ અપક્ષ ઉમેદવારોની જરૂર પડશે. આવી સ્થિતિમાં, બંને પક્ષો અપક્ષ ઉમેદવારોને પોતાની સાથે લાવવાનું વિચારી રહ્યા છે કારણ કે બંને નેતાઓ કોઈ પણ ભોગે ઈમરાન ખાનને ફરીથી પીએમ બનવા દેવા માંગતા નથી.



ઉત્તર ગુજરાતમાં આજકાલ એક અસામાજિક તત્વનું નામ ખુબ ચર્ચામાં છે તે છે , ભાવેશ રબારી. આ એજ ભાવેશ રબારી છે કે જેના રામાધણી નામના ફાર્મ હાઉસ પર પોલીસ પર ૧૮ જેટલા અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ , આ ૧૮ જેટલા અસામાજિક તત્વોનો વરઘોડો ચાણસ્માના બજારમાં કાઢવામાં આવ્યો હતો. આ પછી , ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે. આજે ભાવેશ રબારી અને તેના સાગરીતોની સામે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે.

વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.