PAK Election: પાકિસ્તાનમાં ત્રિશંકુ સંસદ, ઈમરાન-નવાઝ અને બિલાવલ પાસે શું વિકલ્પ છે? જાણો


  • Published By :
  • Published Date : 2024-02-11 19:05:39

પાડોશી દેશ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. આજે મતગણતરી પૂરી થઈ અને લાંબી રાહ જોયા બાદ આખરે ચૂંટણી પંચે પરિણામ જાહેર કરી દીધું. આ ચૂંટણીની ખાસ વાત એ છે કે કોઈપણ પક્ષને બહુમતી મળી નથી. અપક્ષ ઉમેદવારોએ 100 થી વધુ બેઠકો જીતી છે, જેમાંથી મોટી સંખ્યામાં પીટીઆઈ એટલે કે પૂર્વ પીએમ ઈમરાન ખાનના સમર્થકો હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં દેશમાં કેવી રીતે સરકાર બનશે તે જોવું રસપ્રદ રહેશે.


PTI સમર્થિત 101 ઉમેદવારો વિજેતા 


ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા પરિણામો વિશે વાત કરીએ તો પીટીઆઈ દ્વારા સમર્થિત વિજેતા ઉમેદવારોની સંખ્યા લગભગ 101 હોવાનું કહેવાય છે. આ સિવાય ત્રણ વખતના પૂર્વ પીએમ નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ બીજા સ્થાને છે, તેને 75 બેઠકો મળી છે. જ્યારે બિલાવલ ઝરદારી ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને માત્ર 54 સીટો મળી છે. તે ઉપરાંત કરાચીની મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાનને 17 બેઠકો મળી છે.


ત્રિશંકુ સંસદની સ્થિતિ સર્જાઈ 


પાકિસ્તાનમાં ત્રિશંકુ સંસદની સ્થિતિ સર્જાઈ રહી છે. આવી સ્થિતિમાં અપક્ષો સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન તમામ અપક્ષ વિજેતા ઉમેદવારોને એક કરીને પોતાની તરફેણમાં જીત મેળવવાના પ્રયાસમાં વ્યસ્ત છે. બહુમતીનો આંકડો મેળવવા માટે 133 બેઠકો જરૂરી છે. અપક્ષ ઉમેદવારોની કુલ સંખ્યા પણ 101 છે. આવી સ્થિતિમાં ઈમરાન ખાન માટે પડકાર એ છે કે તેઓ અન્ય 32 ઉમેદવારો ક્યાંથી લાવશે, શું તેઓ બિલાવલ ભુટ્ટો પાસેથી સમર્થન લેશે કે પછી નવાઝ શરીફ તરફ વળશે. આ સિવાય તેમની સામે મોટો પડકાર એ છે કે તેઓ તેમના સમર્થક વિજેતા સાંસદોની સુરક્ષા કરે, નહીં તો તેમનું હોર્સ ટ્રેડિંગ થઈ શકે છે.  


શું ઈમરાન ખાનને પીએમ નહીં બનવા દે?


પૂર્વ પીએમ નવાઝ શરીફ પાકિસ્તાનમાં સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યા છે, નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટો ઝરદારી વચ્ચે સરકાર બનાવવાને લઈને વાતચીત પણ શરૂ થઈ ગઈ છે. જો આ બંને પક્ષો સાથે આવે તો પણ બહુમતીના આંકડા કરતાં 6 બેઠકો ઓછી હશે. આવી સ્થિતિમાં તેમને પણ અપક્ષ ઉમેદવારોની જરૂર પડશે. આવી સ્થિતિમાં, બંને પક્ષો અપક્ષ ઉમેદવારોને પોતાની સાથે લાવવાનું વિચારી રહ્યા છે કારણ કે બંને નેતાઓ કોઈ પણ ભોગે ઈમરાન ખાનને ફરીથી પીએમ બનવા દેવા માંગતા નથી.



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.