Pakistan : સેનાના એરબેઝને આતંકીઓએ બનાવ્યું નિશાન, જવાબી કાર્યવાહીમાં આટલા આતંકીઓ થયા ઠાર


  • Published By :
  • Published Date : 2023-11-04 10:57:32

એક તરફ નેપાળમાં તીવ્ર ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે તો બીજી તરફ પાકિસ્તાનના સેના એરબેઝ પર શનિવાર સવારે આંતંકી હુમલો થયો છે. મળતી માહિતી અનુસાર આતંકવાદીઓએ સીઢી લગાવી અને તારને કાપી એરબેઝની દિવાલને ઓળંગી હતી. આ ઘટનાને લઈ બે ફોટો સામે આવ્યા છે. ભીષણ ગોળીબારી થઈ, બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યું. બોમ્બ બ્લાસ્ટ કરી આગ લગાવી દીધી તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર મિયાંવાલીમાં પાકિસ્તાન એરફોર્સ બેઝ પર હુમલો થયો છે. પાકિસ્તાન સેનાએ પણ જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે.

આ આતંકવાદી સંગઠને લીધી હુમલાની જવાબદારી!

પાકિસ્તાનથી અનેક વખત ફાયરિંગની, આતંકવાદી હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે શનિવાર સવારે એરબેઝ પર હુમલો થયો હોય તેવી માહિતી સામે આવી છે. આતંકવાદીઓએ આ વખતે એરબેઝને પોતાનો ટાર્ગેટ બનાવ્યું છે. મળતી માહિતી અનુસાર આ હુમલામાં 3 ફાઈટર પ્લેનને સળગાવી દેવામાં આવ્યા છે. આ ઘટનાની જવાબદારી ટીજેપી દ્વારા લેવામાં આવી છે. પાકિસ્તાનમાં પંજાબના મિયાંવાલીમાં આવેલા સેનાના એરબેઝમાં આતંકવાદીઓ ઘૂસી ગયા હતા અને હુમલો કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનાની જવાબદારી, તહરીક-એ-જેહાદ દ્વારા લેવામાં આવી છે. ટીજેપીના પ્રવક્તાએ આ હુમલાની જવાબદારી લીધી છે.  




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી