Pakistan : સેનાના એરબેઝને આતંકીઓએ બનાવ્યું નિશાન, જવાબી કાર્યવાહીમાં આટલા આતંકીઓ થયા ઠાર


  • Published By :
  • Published Date : 2023-11-04 10:57:32

એક તરફ નેપાળમાં તીવ્ર ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે તો બીજી તરફ પાકિસ્તાનના સેના એરબેઝ પર શનિવાર સવારે આંતંકી હુમલો થયો છે. મળતી માહિતી અનુસાર આતંકવાદીઓએ સીઢી લગાવી અને તારને કાપી એરબેઝની દિવાલને ઓળંગી હતી. આ ઘટનાને લઈ બે ફોટો સામે આવ્યા છે. ભીષણ ગોળીબારી થઈ, બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યું. બોમ્બ બ્લાસ્ટ કરી આગ લગાવી દીધી તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર મિયાંવાલીમાં પાકિસ્તાન એરફોર્સ બેઝ પર હુમલો થયો છે. પાકિસ્તાન સેનાએ પણ જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે.

આ આતંકવાદી સંગઠને લીધી હુમલાની જવાબદારી!

પાકિસ્તાનથી અનેક વખત ફાયરિંગની, આતંકવાદી હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે શનિવાર સવારે એરબેઝ પર હુમલો થયો હોય તેવી માહિતી સામે આવી છે. આતંકવાદીઓએ આ વખતે એરબેઝને પોતાનો ટાર્ગેટ બનાવ્યું છે. મળતી માહિતી અનુસાર આ હુમલામાં 3 ફાઈટર પ્લેનને સળગાવી દેવામાં આવ્યા છે. આ ઘટનાની જવાબદારી ટીજેપી દ્વારા લેવામાં આવી છે. પાકિસ્તાનમાં પંજાબના મિયાંવાલીમાં આવેલા સેનાના એરબેઝમાં આતંકવાદીઓ ઘૂસી ગયા હતા અને હુમલો કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનાની જવાબદારી, તહરીક-એ-જેહાદ દ્વારા લેવામાં આવી છે. ટીજેપીના પ્રવક્તાએ આ હુમલાની જવાબદારી લીધી છે.  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.