Pakistan : સેનાના એરબેઝને આતંકીઓએ બનાવ્યું નિશાન, જવાબી કાર્યવાહીમાં આટલા આતંકીઓ થયા ઠાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-04 10:57:32

એક તરફ નેપાળમાં તીવ્ર ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે તો બીજી તરફ પાકિસ્તાનના સેના એરબેઝ પર શનિવાર સવારે આંતંકી હુમલો થયો છે. મળતી માહિતી અનુસાર આતંકવાદીઓએ સીઢી લગાવી અને તારને કાપી એરબેઝની દિવાલને ઓળંગી હતી. આ ઘટનાને લઈ બે ફોટો સામે આવ્યા છે. ભીષણ ગોળીબારી થઈ, બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યું. બોમ્બ બ્લાસ્ટ કરી આગ લગાવી દીધી તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર મિયાંવાલીમાં પાકિસ્તાન એરફોર્સ બેઝ પર હુમલો થયો છે. પાકિસ્તાન સેનાએ પણ જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે.

આ આતંકવાદી સંગઠને લીધી હુમલાની જવાબદારી!

પાકિસ્તાનથી અનેક વખત ફાયરિંગની, આતંકવાદી હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે શનિવાર સવારે એરબેઝ પર હુમલો થયો હોય તેવી માહિતી સામે આવી છે. આતંકવાદીઓએ આ વખતે એરબેઝને પોતાનો ટાર્ગેટ બનાવ્યું છે. મળતી માહિતી અનુસાર આ હુમલામાં 3 ફાઈટર પ્લેનને સળગાવી દેવામાં આવ્યા છે. આ ઘટનાની જવાબદારી ટીજેપી દ્વારા લેવામાં આવી છે. પાકિસ્તાનમાં પંજાબના મિયાંવાલીમાં આવેલા સેનાના એરબેઝમાં આતંકવાદીઓ ઘૂસી ગયા હતા અને હુમલો કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનાની જવાબદારી, તહરીક-એ-જેહાદ દ્વારા લેવામાં આવી છે. ટીજેપીના પ્રવક્તાએ આ હુમલાની જવાબદારી લીધી છે.  




ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે