પાકિસ્તાની સેનાનો વળતો હુમલો, ઈરાનમાં બલોચ સંગઠન BLA અને BLFના અડ્ડાઓ પર મિસાઈલો ઝીંકી


  • Published By :
  • Published Date : 2024-01-18 11:03:29

બલુચિસ્તાનમાં થયેલા ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ હવે પાકિસ્તાને પણ જવાબી હુમલો કરતા સ્થિતી વણસી છે. પાકિસ્તાની સેનાએ ઈરાનના ચાબહાર વિસ્તારમાં ગુરૂવારે સવારે હુમલા કર્યા છે. પાકિસ્તાને બલોચ લિબરેશન ફ્રંટ (BLF) અને બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ના અડ્ડાઓને નિશાન બનાવ્યા હતા. અડધી રાત્રે પાકિસ્તાનના ફાઈટર જેટ પહોંચ્યા અને હુમલા કર્યા હતા. જો કે આ હુમલાથી જાનમાલના નુકસાન અંગે જાણકારી મળી શકી નથી. 


પાકિસ્તાને જવાબી હુમલાની આપી હતી ધમકી


મંગળવારે ઈરાનના હુમલા બાદ પાકિસ્તાને આકરી પ્રતિક્રિયા આપી હતી.પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાન અને ઈરાન વચ્ચે વાતચીતની ઘણી ચેનલો હોવા છતાં આ પ્રકારનું કામ થયું છે. આ તે સમય છે જ્યારે પાકિસ્તાન અને ઈરાનની નેવી બંને દેશો વચ્ચેના નજીકના સુરક્ષા સહયોગને રેખાંકિત કરવા માટે સંયુક્ત કવાયત કરી રહ્યા હતા. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ઈરાનના વિદેશ મંત્રીને પણ કહ્યું હતું કે તેમને પણ જવાબ આપવાનો અધિકાર છે અને તેઓ જવાબ આપી શકે છે. જે બાદ આ હુમલાનો મામલો સામે આવ્યો છે.


ઈરાને કહ્યું- અમે ઈરાની જૂથને નિશાન બનાવ્યું


ઈરાનની સેનાએ મંગળવારે બલૂચિસ્તાનમાં આતંકી સંગઠન જૈશ અલ-અદલના ઠેકાણા પર બોમ્બમારો કર્યો હતો. ઈરાની સેનાએ કહ્યું હતું કે મિસાઈલ અને ડ્રોન હુમલામાં બલૂચિસ્તાનના કોહ-એ-સબઝ વિસ્તારમાં આતંકવાદી જૂથ જૈશ અલ-અદલના બે ગઢોને નષ્ટ કરી દીધા છે. ઈરાની ફાઈટર જેટ્સે જૈશ અલ-અદલના અડ્ડાઓને નિશાન બનાવ્યા બાદ ઈરાને કહ્યું હતું કે આ જૂથ ઈરાનનું છે અને તેણે પાકિસ્તાનને નિશાન બનાવ્યું નથી. ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દોલ્લાહિયાને કહ્યું કે ઈરાની મિસાઈલ અને ડ્રોનનું લક્ષ્ય ઈરાની આતંકવાદી જૂથ જૈશ અલ-અદલ હતું.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .