પાકિસ્તાની સેનાનો વળતો હુમલો, ઈરાનમાં બલોચ સંગઠન BLA અને BLFના અડ્ડાઓ પર મિસાઈલો ઝીંકી


  • Published By :
  • Published Date : 2024-01-18 11:03:29

બલુચિસ્તાનમાં થયેલા ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ હવે પાકિસ્તાને પણ જવાબી હુમલો કરતા સ્થિતી વણસી છે. પાકિસ્તાની સેનાએ ઈરાનના ચાબહાર વિસ્તારમાં ગુરૂવારે સવારે હુમલા કર્યા છે. પાકિસ્તાને બલોચ લિબરેશન ફ્રંટ (BLF) અને બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ના અડ્ડાઓને નિશાન બનાવ્યા હતા. અડધી રાત્રે પાકિસ્તાનના ફાઈટર જેટ પહોંચ્યા અને હુમલા કર્યા હતા. જો કે આ હુમલાથી જાનમાલના નુકસાન અંગે જાણકારી મળી શકી નથી. 


પાકિસ્તાને જવાબી હુમલાની આપી હતી ધમકી


મંગળવારે ઈરાનના હુમલા બાદ પાકિસ્તાને આકરી પ્રતિક્રિયા આપી હતી.પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાન અને ઈરાન વચ્ચે વાતચીતની ઘણી ચેનલો હોવા છતાં આ પ્રકારનું કામ થયું છે. આ તે સમય છે જ્યારે પાકિસ્તાન અને ઈરાનની નેવી બંને દેશો વચ્ચેના નજીકના સુરક્ષા સહયોગને રેખાંકિત કરવા માટે સંયુક્ત કવાયત કરી રહ્યા હતા. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ઈરાનના વિદેશ મંત્રીને પણ કહ્યું હતું કે તેમને પણ જવાબ આપવાનો અધિકાર છે અને તેઓ જવાબ આપી શકે છે. જે બાદ આ હુમલાનો મામલો સામે આવ્યો છે.


ઈરાને કહ્યું- અમે ઈરાની જૂથને નિશાન બનાવ્યું


ઈરાનની સેનાએ મંગળવારે બલૂચિસ્તાનમાં આતંકી સંગઠન જૈશ અલ-અદલના ઠેકાણા પર બોમ્બમારો કર્યો હતો. ઈરાની સેનાએ કહ્યું હતું કે મિસાઈલ અને ડ્રોન હુમલામાં બલૂચિસ્તાનના કોહ-એ-સબઝ વિસ્તારમાં આતંકવાદી જૂથ જૈશ અલ-અદલના બે ગઢોને નષ્ટ કરી દીધા છે. ઈરાની ફાઈટર જેટ્સે જૈશ અલ-અદલના અડ્ડાઓને નિશાન બનાવ્યા બાદ ઈરાને કહ્યું હતું કે આ જૂથ ઈરાનનું છે અને તેણે પાકિસ્તાનને નિશાન બનાવ્યું નથી. ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દોલ્લાહિયાને કહ્યું કે ઈરાની મિસાઈલ અને ડ્રોનનું લક્ષ્ય ઈરાની આતંકવાદી જૂથ જૈશ અલ-અદલ હતું.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.