પાકિસ્તાનમાં ફરી અંધારપટ, વિજ પુરવઠો ખોરવાતા ટેક્સટાઈલ ઉદ્યોગને રૂ. 5.71 અબજનું નુકસાન


  • Published By :
  • Published Date : 2023-01-24 13:54:43

પાકિસ્તાનમાં સોમવારે એક જ દિવસમાં અંધારપટ છવાઈ ગયો હતો. છેલ્લા ત્રણ મહિનામાં આ બીજી વખત બન્યું જ્યારે નેશનલ ગ્રીડમાં ખામીનો શિકાર બની છે. રાજધાની ઈસ્લામાબાદથી લઈને કરાચી અને લાહોર સુધી વિજ સપ્લાય ખોરવાયો હતો. બિજળી બચાવવા માટે સરકારે દેશના તમામ માર્કેટને રાત્રે 8 વાગ્યાથી વીજ સપ્લાય બંધ કરવાના આદેશ આપ્યા હતા. આ બ્લેક આઉટના કારણે એક જ દિવસમાં 5.71 અબજ ડોલરનું નુકસાન થયું હતું. 


પાકિસ્તાનમાં ઉર્જા સંકટ શા માટે સર્જાયું?


પાકિસ્તાન હાલમાં ગંભીર ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. વાસ્તવમાં, દેશ આયાતી કુદરતી ગેસનો ઉપયોગ કરીને તેની વાર્ષિક વીજળીની માંગના ત્રીજા કરતાં વધુ ભાગને સંતોષે છે. યુક્રેન યુદ્ધ પછી તેની કિંમત આસમાને પહોંચી ગઈ છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પ્રોગ્રામ હેઠળ લોન મેળવવામાં તાજેતરના વિલંબને કારણે પાકિસ્તાન વિદેશમાંથી ઇંધણ ખરીદવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. પાકિસ્તાનની આયાતમાં ફ્યુઅલ શિપમેન્ટનો મોટો હિસ્સો છે અને વર્તમાન કરન્સી ભંડાર એક મહિનાના આયાત ભારણને જ ઉઠાવી શકવા સક્ષમ છે.


એક દિવસમાં રૂ. 5.71 અબજનું નુકસાન


ઓલ પાકિસ્તાન ટેક્સટાઇલ મિલ્સ એસોસિએશન (એપીટીએમએ) એ સોમવારે દેશના ટેક્સટાઇલ ઉદ્યોગને $70 મિલિયન (રૂ. 5.71 અબજ) નું નુકસાન નોંધાવ્યું હતું. APTMAના પ્રવક્તાએ કહ્યું હતું કે જો આ મુદ્દો ઉકેલવામાં નહીં આવે તો નુકસાન અબજો ડોલરમાં જશે.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.