પાકિસ્તાનમાં ફરી અંધારપટ, વિજ પુરવઠો ખોરવાતા ટેક્સટાઈલ ઉદ્યોગને રૂ. 5.71 અબજનું નુકસાન


  • Published By :
  • Published Date : 2023-01-24 13:54:43

પાકિસ્તાનમાં સોમવારે એક જ દિવસમાં અંધારપટ છવાઈ ગયો હતો. છેલ્લા ત્રણ મહિનામાં આ બીજી વખત બન્યું જ્યારે નેશનલ ગ્રીડમાં ખામીનો શિકાર બની છે. રાજધાની ઈસ્લામાબાદથી લઈને કરાચી અને લાહોર સુધી વિજ સપ્લાય ખોરવાયો હતો. બિજળી બચાવવા માટે સરકારે દેશના તમામ માર્કેટને રાત્રે 8 વાગ્યાથી વીજ સપ્લાય બંધ કરવાના આદેશ આપ્યા હતા. આ બ્લેક આઉટના કારણે એક જ દિવસમાં 5.71 અબજ ડોલરનું નુકસાન થયું હતું. 


પાકિસ્તાનમાં ઉર્જા સંકટ શા માટે સર્જાયું?


પાકિસ્તાન હાલમાં ગંભીર ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. વાસ્તવમાં, દેશ આયાતી કુદરતી ગેસનો ઉપયોગ કરીને તેની વાર્ષિક વીજળીની માંગના ત્રીજા કરતાં વધુ ભાગને સંતોષે છે. યુક્રેન યુદ્ધ પછી તેની કિંમત આસમાને પહોંચી ગઈ છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પ્રોગ્રામ હેઠળ લોન મેળવવામાં તાજેતરના વિલંબને કારણે પાકિસ્તાન વિદેશમાંથી ઇંધણ ખરીદવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. પાકિસ્તાનની આયાતમાં ફ્યુઅલ શિપમેન્ટનો મોટો હિસ્સો છે અને વર્તમાન કરન્સી ભંડાર એક મહિનાના આયાત ભારણને જ ઉઠાવી શકવા સક્ષમ છે.


એક દિવસમાં રૂ. 5.71 અબજનું નુકસાન


ઓલ પાકિસ્તાન ટેક્સટાઇલ મિલ્સ એસોસિએશન (એપીટીએમએ) એ સોમવારે દેશના ટેક્સટાઇલ ઉદ્યોગને $70 મિલિયન (રૂ. 5.71 અબજ) નું નુકસાન નોંધાવ્યું હતું. APTMAના પ્રવક્તાએ કહ્યું હતું કે જો આ મુદ્દો ઉકેલવામાં નહીં આવે તો નુકસાન અબજો ડોલરમાં જશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.