પાકિસ્તાનમાં ફરી અંધારપટ, વિજ પુરવઠો ખોરવાતા ટેક્સટાઈલ ઉદ્યોગને રૂ. 5.71 અબજનું નુકસાન


  • Published By :
  • Published Date : 2023-01-24 13:54:43

પાકિસ્તાનમાં સોમવારે એક જ દિવસમાં અંધારપટ છવાઈ ગયો હતો. છેલ્લા ત્રણ મહિનામાં આ બીજી વખત બન્યું જ્યારે નેશનલ ગ્રીડમાં ખામીનો શિકાર બની છે. રાજધાની ઈસ્લામાબાદથી લઈને કરાચી અને લાહોર સુધી વિજ સપ્લાય ખોરવાયો હતો. બિજળી બચાવવા માટે સરકારે દેશના તમામ માર્કેટને રાત્રે 8 વાગ્યાથી વીજ સપ્લાય બંધ કરવાના આદેશ આપ્યા હતા. આ બ્લેક આઉટના કારણે એક જ દિવસમાં 5.71 અબજ ડોલરનું નુકસાન થયું હતું. 


પાકિસ્તાનમાં ઉર્જા સંકટ શા માટે સર્જાયું?


પાકિસ્તાન હાલમાં ગંભીર ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. વાસ્તવમાં, દેશ આયાતી કુદરતી ગેસનો ઉપયોગ કરીને તેની વાર્ષિક વીજળીની માંગના ત્રીજા કરતાં વધુ ભાગને સંતોષે છે. યુક્રેન યુદ્ધ પછી તેની કિંમત આસમાને પહોંચી ગઈ છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પ્રોગ્રામ હેઠળ લોન મેળવવામાં તાજેતરના વિલંબને કારણે પાકિસ્તાન વિદેશમાંથી ઇંધણ ખરીદવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. પાકિસ્તાનની આયાતમાં ફ્યુઅલ શિપમેન્ટનો મોટો હિસ્સો છે અને વર્તમાન કરન્સી ભંડાર એક મહિનાના આયાત ભારણને જ ઉઠાવી શકવા સક્ષમ છે.


એક દિવસમાં રૂ. 5.71 અબજનું નુકસાન


ઓલ પાકિસ્તાન ટેક્સટાઇલ મિલ્સ એસોસિએશન (એપીટીએમએ) એ સોમવારે દેશના ટેક્સટાઇલ ઉદ્યોગને $70 મિલિયન (રૂ. 5.71 અબજ) નું નુકસાન નોંધાવ્યું હતું. APTMAના પ્રવક્તાએ કહ્યું હતું કે જો આ મુદ્દો ઉકેલવામાં નહીં આવે તો નુકસાન અબજો ડોલરમાં જશે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .