પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, પેશાવરની મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં 20થી વધુના મોત, 90 લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-01-30 15:32:43

આજકાલ પાકિસ્તાનના ખરાબ દિવસો ચાલી રહ્યા છે, પાકિસ્તાન આર્થિક નાદારીના આરે આવીને ઉભું છે ત્યારે દેશમાંથી દરરોજ ખરાબ સમાચારો આવી રહ્યા છે. સોમવારે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા રાજ્યની રાજધાની પેશાવરના પોલીસ લાઈન વિસ્તારમાં જોરદાર બોંબ બ્લાસ્ટ થયો છે. આ વિસ્તારની એક મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો છે. મસ્જિદની અંદર ઘુસી આવેલા એક આતંકવાદીએ વિષ્ફોટ કરીને તેની જાતને ઉડાવી દીધી હતી, વિસ્ફોટમાં 20થી વધુના મોત, 90 લોકો ઘાયલ થયા છે.


90થી વધુ લોકો ઘાયલ


પેશાવરની મસ્જિદમાં થયેલા આત્મઘાતી હુમલામાં લગભગ વિસ્ફોટમાં 20થી વધુના મોત અને 90 લોકો ઘાયલ થયા છે. આ વિષ્ફોટના કારણે મૃત્યુઆંક વધવવાની આશંકા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મસ્જિદની અંદર ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા, લોકોએ જીવ બચાવવા દોડાદોડી કરતા કેટલાક લોકો દટાયા હતા. આ વિષ્ફોટ બાદ સુરક્ષા દળો વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી છે. 



દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આ બેઠકના ઉમેદવાર છે જ્યારે છોટુ વસાવાની પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.