પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, પેશાવરની મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં 20થી વધુના મોત, 90 લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-01-30 15:32:43

આજકાલ પાકિસ્તાનના ખરાબ દિવસો ચાલી રહ્યા છે, પાકિસ્તાન આર્થિક નાદારીના આરે આવીને ઉભું છે ત્યારે દેશમાંથી દરરોજ ખરાબ સમાચારો આવી રહ્યા છે. સોમવારે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા રાજ્યની રાજધાની પેશાવરના પોલીસ લાઈન વિસ્તારમાં જોરદાર બોંબ બ્લાસ્ટ થયો છે. આ વિસ્તારની એક મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો છે. મસ્જિદની અંદર ઘુસી આવેલા એક આતંકવાદીએ વિષ્ફોટ કરીને તેની જાતને ઉડાવી દીધી હતી, વિસ્ફોટમાં 20થી વધુના મોત, 90 લોકો ઘાયલ થયા છે.


90થી વધુ લોકો ઘાયલ


પેશાવરની મસ્જિદમાં થયેલા આત્મઘાતી હુમલામાં લગભગ વિસ્ફોટમાં 20થી વધુના મોત અને 90 લોકો ઘાયલ થયા છે. આ વિષ્ફોટના કારણે મૃત્યુઆંક વધવવાની આશંકા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મસ્જિદની અંદર ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા, લોકોએ જીવ બચાવવા દોડાદોડી કરતા કેટલાક લોકો દટાયા હતા. આ વિષ્ફોટ બાદ સુરક્ષા દળો વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .