પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, પેશાવરની મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં 20થી વધુના મોત, 90 લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-01-30 15:32:43

આજકાલ પાકિસ્તાનના ખરાબ દિવસો ચાલી રહ્યા છે, પાકિસ્તાન આર્થિક નાદારીના આરે આવીને ઉભું છે ત્યારે દેશમાંથી દરરોજ ખરાબ સમાચારો આવી રહ્યા છે. સોમવારે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા રાજ્યની રાજધાની પેશાવરના પોલીસ લાઈન વિસ્તારમાં જોરદાર બોંબ બ્લાસ્ટ થયો છે. આ વિસ્તારની એક મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો છે. મસ્જિદની અંદર ઘુસી આવેલા એક આતંકવાદીએ વિષ્ફોટ કરીને તેની જાતને ઉડાવી દીધી હતી, વિસ્ફોટમાં 20થી વધુના મોત, 90 લોકો ઘાયલ થયા છે.


90થી વધુ લોકો ઘાયલ


પેશાવરની મસ્જિદમાં થયેલા આત્મઘાતી હુમલામાં લગભગ વિસ્ફોટમાં 20થી વધુના મોત અને 90 લોકો ઘાયલ થયા છે. આ વિષ્ફોટના કારણે મૃત્યુઆંક વધવવાની આશંકા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મસ્જિદની અંદર ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા, લોકોએ જીવ બચાવવા દોડાદોડી કરતા કેટલાક લોકો દટાયા હતા. આ વિષ્ફોટ બાદ સુરક્ષા દળો વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.