પાકિસ્તાનમાં ચીનના નાગરિકો પર તોળાઈ રહ્યો છે ખતરો, હવે બુલેટ પ્રૂફ કારમાં ફરશે


  • Published By :
  • Published Date : 2022-11-06 19:01:12


પાકિસ્તાનમાં પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર થયેલા ફાયરિંગ બાદ દેશમાં અંધાધુંધીનો માહોલ છે. પાકિસ્તાનમાં ચાલી રહેલા CPEC પ્રોજેક્ટ માટે કામ કરી રહેલા ચીનના નાગરિકો પર પણ ખતરો તોળાઈ રહ્યો છે. હવે ચીનના નાગરિકો અને મજુરો માટે બુલેટ પ્રુફ વાહનોનો ઉપયોગ કરવામાં આવશે. CPECની 11 મી સંયુક્ત સહયોગ સમિતિ (JCC)માં આ નિર્ણય કરવામાં આવ્યો છે.


ચીનની સરકાર નાગરિકોની સુરક્ષાને લઈ ચિંતિત


પાકિસ્તાનમાં વધી રહેલા આતંકી હુમલાઓ તથા રાજકીય હત્યાઓથી ચીનની ક્સી જિનપિંગની સરકાર ખુબ ચિંતિત છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે આ સપ્તાહની શરૂઆતમાં બે દિવસની બીજિંગની યાત્રા કરી હતી. તે દરમિયાન CPECની 11 મી સંયુક્ત સહયોગ સમિતિ (JCC) મિનિટ્સ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં ચીનના નાગરિકોની સુરક્ષા વધુ સુદ્ર્ઢ બનાવવા તથા તેમની પર થયેલા હુમલામાં સામેલ આરોપીઓને શોધી કાઢવા માટે તપાસ અભિયાન ઝડપથી ચલાવવા પર ભાર મુકવામાં આવ્યો હતો. ચીને પણ આ હેતુ માટે પોતાના સંપુર્ણ સમર્થનનું આશ્વાસન આપ્યું છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.