પાકિસ્તાનમાં ચીનના નાગરિકો પર તોળાઈ રહ્યો છે ખતરો, હવે બુલેટ પ્રૂફ કારમાં ફરશે


  • Published By :
  • Published Date : 2022-11-06 19:01:12


પાકિસ્તાનમાં પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર થયેલા ફાયરિંગ બાદ દેશમાં અંધાધુંધીનો માહોલ છે. પાકિસ્તાનમાં ચાલી રહેલા CPEC પ્રોજેક્ટ માટે કામ કરી રહેલા ચીનના નાગરિકો પર પણ ખતરો તોળાઈ રહ્યો છે. હવે ચીનના નાગરિકો અને મજુરો માટે બુલેટ પ્રુફ વાહનોનો ઉપયોગ કરવામાં આવશે. CPECની 11 મી સંયુક્ત સહયોગ સમિતિ (JCC)માં આ નિર્ણય કરવામાં આવ્યો છે.


ચીનની સરકાર નાગરિકોની સુરક્ષાને લઈ ચિંતિત


પાકિસ્તાનમાં વધી રહેલા આતંકી હુમલાઓ તથા રાજકીય હત્યાઓથી ચીનની ક્સી જિનપિંગની સરકાર ખુબ ચિંતિત છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે આ સપ્તાહની શરૂઆતમાં બે દિવસની બીજિંગની યાત્રા કરી હતી. તે દરમિયાન CPECની 11 મી સંયુક્ત સહયોગ સમિતિ (JCC) મિનિટ્સ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં ચીનના નાગરિકોની સુરક્ષા વધુ સુદ્ર્ઢ બનાવવા તથા તેમની પર થયેલા હુમલામાં સામેલ આરોપીઓને શોધી કાઢવા માટે તપાસ અભિયાન ઝડપથી ચલાવવા પર ભાર મુકવામાં આવ્યો હતો. ચીને પણ આ હેતુ માટે પોતાના સંપુર્ણ સમર્થનનું આશ્વાસન આપ્યું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.