પાકિસ્તાનમાં ચીનના નાગરિકો પર તોળાઈ રહ્યો છે ખતરો, હવે બુલેટ પ્રૂફ કારમાં ફરશે


  • Published By :
  • Published Date : 2022-11-06 19:01:12


પાકિસ્તાનમાં પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર થયેલા ફાયરિંગ બાદ દેશમાં અંધાધુંધીનો માહોલ છે. પાકિસ્તાનમાં ચાલી રહેલા CPEC પ્રોજેક્ટ માટે કામ કરી રહેલા ચીનના નાગરિકો પર પણ ખતરો તોળાઈ રહ્યો છે. હવે ચીનના નાગરિકો અને મજુરો માટે બુલેટ પ્રુફ વાહનોનો ઉપયોગ કરવામાં આવશે. CPECની 11 મી સંયુક્ત સહયોગ સમિતિ (JCC)માં આ નિર્ણય કરવામાં આવ્યો છે.


ચીનની સરકાર નાગરિકોની સુરક્ષાને લઈ ચિંતિત


પાકિસ્તાનમાં વધી રહેલા આતંકી હુમલાઓ તથા રાજકીય હત્યાઓથી ચીનની ક્સી જિનપિંગની સરકાર ખુબ ચિંતિત છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે આ સપ્તાહની શરૂઆતમાં બે દિવસની બીજિંગની યાત્રા કરી હતી. તે દરમિયાન CPECની 11 મી સંયુક્ત સહયોગ સમિતિ (JCC) મિનિટ્સ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં ચીનના નાગરિકોની સુરક્ષા વધુ સુદ્ર્ઢ બનાવવા તથા તેમની પર થયેલા હુમલામાં સામેલ આરોપીઓને શોધી કાઢવા માટે તપાસ અભિયાન ઝડપથી ચલાવવા પર ભાર મુકવામાં આવ્યો હતો. ચીને પણ આ હેતુ માટે પોતાના સંપુર્ણ સમર્થનનું આશ્વાસન આપ્યું છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .