પાકિસ્તાનમાં ચીનના નાગરિકો પર તોળાઈ રહ્યો છે ખતરો, હવે બુલેટ પ્રૂફ કારમાં ફરશે


  • Published By :
  • Published Date : 2022-11-06 19:01:12


પાકિસ્તાનમાં પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર થયેલા ફાયરિંગ બાદ દેશમાં અંધાધુંધીનો માહોલ છે. પાકિસ્તાનમાં ચાલી રહેલા CPEC પ્રોજેક્ટ માટે કામ કરી રહેલા ચીનના નાગરિકો પર પણ ખતરો તોળાઈ રહ્યો છે. હવે ચીનના નાગરિકો અને મજુરો માટે બુલેટ પ્રુફ વાહનોનો ઉપયોગ કરવામાં આવશે. CPECની 11 મી સંયુક્ત સહયોગ સમિતિ (JCC)માં આ નિર્ણય કરવામાં આવ્યો છે.


ચીનની સરકાર નાગરિકોની સુરક્ષાને લઈ ચિંતિત


પાકિસ્તાનમાં વધી રહેલા આતંકી હુમલાઓ તથા રાજકીય હત્યાઓથી ચીનની ક્સી જિનપિંગની સરકાર ખુબ ચિંતિત છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે આ સપ્તાહની શરૂઆતમાં બે દિવસની બીજિંગની યાત્રા કરી હતી. તે દરમિયાન CPECની 11 મી સંયુક્ત સહયોગ સમિતિ (JCC) મિનિટ્સ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં ચીનના નાગરિકોની સુરક્ષા વધુ સુદ્ર્ઢ બનાવવા તથા તેમની પર થયેલા હુમલામાં સામેલ આરોપીઓને શોધી કાઢવા માટે તપાસ અભિયાન ઝડપથી ચલાવવા પર ભાર મુકવામાં આવ્યો હતો. ચીને પણ આ હેતુ માટે પોતાના સંપુર્ણ સમર્થનનું આશ્વાસન આપ્યું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે