પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે આપ્યું રાજીનામું, બાબર આઝમની કેપ્ટનશીપ પણ ખતરામાં


  • Published By :
  • Published Date : 2023-10-30 20:34:32

વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનની ક્રિકેટ ટીમના શરમજનક પ્રદર્શનના કારણે દેશભરમાં આકરી ટીકા થઈ રહી છે. ટીમના ખરાબ પ્રદર્શન બાદ ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે રાજીનામુ આપી દીધું છે. વર્લ્ડ કપ 2023માં સતત ચાર પરાજય બાદ પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. ટીમની સતત હારને કારણે પસંદગીકારોથી લઈને કેપ્ટન બાબર આઝમ સુધી તમામને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન બાબર આઝમની ખુરશી પણ ખતરામાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.


ભારત સામેની હાર બની રાજીનામાનું કારણ


ઈન્ઝમામ ઉલ હકનો આ વખતનો કાર્યકાળ 3 મહિનાથી ઓછો રહ્યો છે. આ પહેલા તેઓ 3 વર્ષ સુધી આ પદ પર હતા. તેઓ 2016 થી 2019 સુધી આ પદ પર હતા. પરંતુ આ વખતે તેમણે ત્રણ મહિનાથી ઓછા સમયમાં પસંદગીકારનું પદ છોડી દીધું છે. ગત વખતે ઈન્ઝમામના કાર્યકાળમાં પાકિસ્તાની ટીમે કટ્ટર હરીફ ભારતને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ઈન્ઝમામ પહેલા હારૂન રશીદ પાસે આ પદ હતું. પરંતુ ઓગસ્ટમાં ઈન્ઝમામ ઉલ હકને આ ચાર્જ સોંપવામાં આવ્યો હતો. પરંતુ એશિયા કપ અને વર્લ્ડ કપમાં પાકિસ્તાનના શરમજનક પ્રદર્શન બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.


PCBએ શું કહ્યું?


ઈન્ઝમામના રાજીનામાની વચ્ચે PCBનું નિવેદન પણ સામે આવ્યું છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, 'પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ટીમની પસંદગી પ્રક્રિયા સંબંધિત મીડિયામાં સામે આવેલા હિતોના ટકરાવના આરોપોની તપાસ માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે. કમિટી તેનો રિપોર્ટ અને કોઈ પણ સૂચનો પીસીબી મેનેજમેન્ટને વહેલી તકે સુપરત કરશે.


બાબર આઝમની કેપ્ટનશીપ પર ઉઠ્યા સવાલો


વર્લ્ડકપ 2023માં પાકિસ્તાન ક્રિકેટ ટીમનું પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું છે. પાકિસ્તાન ટીમને તેની છ મેચમાં માત્ર બે જીત અને ચાર હારનો સામનો કરવો પડ્યો છે. જે પછી પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં ચાર પોઈન્ટ (-0.387) સાથે છઠ્ઠા સ્થાને છે. ટીમના કેપ્ટન બાબર આઝમની કેપ્ટનશીપ પર લોકો સતત સવાલો ઉઠાવી રહ્યા છે. આટલું જ નહીં, ઘણા પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો તેમના સ્થાને અન્ય કોઈ ખેલાડીને ટીમની કમાન સોંપવામાં આવે તેવું સૂચન કરી રહ્યા છે. પીસીબી પણ આ જ વલણ અપનાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.