પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે આપ્યું રાજીનામું, બાબર આઝમની કેપ્ટનશીપ પણ ખતરામાં


  • Published By :
  • Published Date : 2023-10-30 20:34:32

વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનની ક્રિકેટ ટીમના શરમજનક પ્રદર્શનના કારણે દેશભરમાં આકરી ટીકા થઈ રહી છે. ટીમના ખરાબ પ્રદર્શન બાદ ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે રાજીનામુ આપી દીધું છે. વર્લ્ડ કપ 2023માં સતત ચાર પરાજય બાદ પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. ટીમની સતત હારને કારણે પસંદગીકારોથી લઈને કેપ્ટન બાબર આઝમ સુધી તમામને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન બાબર આઝમની ખુરશી પણ ખતરામાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.


ભારત સામેની હાર બની રાજીનામાનું કારણ


ઈન્ઝમામ ઉલ હકનો આ વખતનો કાર્યકાળ 3 મહિનાથી ઓછો રહ્યો છે. આ પહેલા તેઓ 3 વર્ષ સુધી આ પદ પર હતા. તેઓ 2016 થી 2019 સુધી આ પદ પર હતા. પરંતુ આ વખતે તેમણે ત્રણ મહિનાથી ઓછા સમયમાં પસંદગીકારનું પદ છોડી દીધું છે. ગત વખતે ઈન્ઝમામના કાર્યકાળમાં પાકિસ્તાની ટીમે કટ્ટર હરીફ ભારતને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ઈન્ઝમામ પહેલા હારૂન રશીદ પાસે આ પદ હતું. પરંતુ ઓગસ્ટમાં ઈન્ઝમામ ઉલ હકને આ ચાર્જ સોંપવામાં આવ્યો હતો. પરંતુ એશિયા કપ અને વર્લ્ડ કપમાં પાકિસ્તાનના શરમજનક પ્રદર્શન બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.


PCBએ શું કહ્યું?


ઈન્ઝમામના રાજીનામાની વચ્ચે PCBનું નિવેદન પણ સામે આવ્યું છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, 'પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ટીમની પસંદગી પ્રક્રિયા સંબંધિત મીડિયામાં સામે આવેલા હિતોના ટકરાવના આરોપોની તપાસ માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે. કમિટી તેનો રિપોર્ટ અને કોઈ પણ સૂચનો પીસીબી મેનેજમેન્ટને વહેલી તકે સુપરત કરશે.


બાબર આઝમની કેપ્ટનશીપ પર ઉઠ્યા સવાલો


વર્લ્ડકપ 2023માં પાકિસ્તાન ક્રિકેટ ટીમનું પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું છે. પાકિસ્તાન ટીમને તેની છ મેચમાં માત્ર બે જીત અને ચાર હારનો સામનો કરવો પડ્યો છે. જે પછી પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં ચાર પોઈન્ટ (-0.387) સાથે છઠ્ઠા સ્થાને છે. ટીમના કેપ્ટન બાબર આઝમની કેપ્ટનશીપ પર લોકો સતત સવાલો ઉઠાવી રહ્યા છે. આટલું જ નહીં, ઘણા પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો તેમના સ્થાને અન્ય કોઈ ખેલાડીને ટીમની કમાન સોંપવામાં આવે તેવું સૂચન કરી રહ્યા છે. પીસીબી પણ આ જ વલણ અપનાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .