પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે આપ્યું રાજીનામું, બાબર આઝમની કેપ્ટનશીપ પણ ખતરામાં


  • Published By :
  • Published Date : 2023-10-30 20:34:32

વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનની ક્રિકેટ ટીમના શરમજનક પ્રદર્શનના કારણે દેશભરમાં આકરી ટીકા થઈ રહી છે. ટીમના ખરાબ પ્રદર્શન બાદ ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે રાજીનામુ આપી દીધું છે. વર્લ્ડ કપ 2023માં સતત ચાર પરાજય બાદ પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. ટીમની સતત હારને કારણે પસંદગીકારોથી લઈને કેપ્ટન બાબર આઝમ સુધી તમામને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન બાબર આઝમની ખુરશી પણ ખતરામાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.


ભારત સામેની હાર બની રાજીનામાનું કારણ


ઈન્ઝમામ ઉલ હકનો આ વખતનો કાર્યકાળ 3 મહિનાથી ઓછો રહ્યો છે. આ પહેલા તેઓ 3 વર્ષ સુધી આ પદ પર હતા. તેઓ 2016 થી 2019 સુધી આ પદ પર હતા. પરંતુ આ વખતે તેમણે ત્રણ મહિનાથી ઓછા સમયમાં પસંદગીકારનું પદ છોડી દીધું છે. ગત વખતે ઈન્ઝમામના કાર્યકાળમાં પાકિસ્તાની ટીમે કટ્ટર હરીફ ભારતને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ઈન્ઝમામ પહેલા હારૂન રશીદ પાસે આ પદ હતું. પરંતુ ઓગસ્ટમાં ઈન્ઝમામ ઉલ હકને આ ચાર્જ સોંપવામાં આવ્યો હતો. પરંતુ એશિયા કપ અને વર્લ્ડ કપમાં પાકિસ્તાનના શરમજનક પ્રદર્શન બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.


PCBએ શું કહ્યું?


ઈન્ઝમામના રાજીનામાની વચ્ચે PCBનું નિવેદન પણ સામે આવ્યું છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, 'પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ટીમની પસંદગી પ્રક્રિયા સંબંધિત મીડિયામાં સામે આવેલા હિતોના ટકરાવના આરોપોની તપાસ માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે. કમિટી તેનો રિપોર્ટ અને કોઈ પણ સૂચનો પીસીબી મેનેજમેન્ટને વહેલી તકે સુપરત કરશે.


બાબર આઝમની કેપ્ટનશીપ પર ઉઠ્યા સવાલો


વર્લ્ડકપ 2023માં પાકિસ્તાન ક્રિકેટ ટીમનું પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું છે. પાકિસ્તાન ટીમને તેની છ મેચમાં માત્ર બે જીત અને ચાર હારનો સામનો કરવો પડ્યો છે. જે પછી પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં ચાર પોઈન્ટ (-0.387) સાથે છઠ્ઠા સ્થાને છે. ટીમના કેપ્ટન બાબર આઝમની કેપ્ટનશીપ પર લોકો સતત સવાલો ઉઠાવી રહ્યા છે. આટલું જ નહીં, ઘણા પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો તેમના સ્થાને અન્ય કોઈ ખેલાડીને ટીમની કમાન સોંપવામાં આવે તેવું સૂચન કરી રહ્યા છે. પીસીબી પણ આ જ વલણ અપનાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."