પાકિસ્તાન પર 130 અબજ ડોલરનું દેવું, અમેરિકાની થિંક ટેન્કએ આપી આ ચેતવણી


  • Published By :
  • Published Date : 2023-04-07 17:57:52

કંગાળ થઈ ચુકેલા પાકિસ્તાનને લઈ અમેરિકાની પ્રખ્યાત થિંક ટેન્ક યુનાઈટેડ સ્ટેટ ઈન્સ્ટીટ્યૂટ ઓફ પીસએ મોટી ચેતવણી આપી છે. USIPએ કહ્યું છે કે પાકિસ્તાન હાલના સમયે ઈતિહાસના સૌથી મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. તેણે ચેતવણી આપી છે કે તેને એ વાતનો વાસ્તવિક ખતરો છે કે પાકિસ્તાન ડિફોલ્ટ થઈ શકે છે. થિંક ટેન્કએ કહ્યું કે દેશમાં મોંઘવારી ચરમ પર છે, અને રાજનીતિક સંકટ તથા આતંકવાદ વધી રહ્યો છે. આ દરમિયાન પાકિસ્તાને 130 અબજ ડોલરનું વિદેશી દેવું ચૂકવવાનું છે.


77.5 અબજ ડોલરની લોન ચૂકવવાની બાકી


થિંક ટેકએ કહ્યું કે એપ્રિલ 2023થી જુન 2026 વચ્ચે પાકિસ્તાને 77.5 અબજ ડોલરની લોન ચૂકવવાની છે. તેનાથી વિપરીત પાકિસ્તાનની કુલ અર્થવ્યવસ્થા 350 અબજ ડોલર જ છે. આ દરમિયાન પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક દારે તેમનો અમેરિકાનો પ્રવાસ   રદ્દ કરી દીધો છે. ઈશાક દાર તેમની અમેરિકાની યાત્રા દરમિયાન વિશ્વ બેંક અને આઈએમએફની બેઠકોમાં ભાગ લેવા તથા 1.1 અબજ ડોલરના રાહત પેકેજના સંબંધમાં અધિકારીઓ સાથે ચર્ચા કરવાના હતા. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .