પાકિસ્તાન પર 130 અબજ ડોલરનું દેવું, અમેરિકાની થિંક ટેન્કએ આપી આ ચેતવણી


  • Published By :
  • Published Date : 2023-04-07 17:57:52

કંગાળ થઈ ચુકેલા પાકિસ્તાનને લઈ અમેરિકાની પ્રખ્યાત થિંક ટેન્ક યુનાઈટેડ સ્ટેટ ઈન્સ્ટીટ્યૂટ ઓફ પીસએ મોટી ચેતવણી આપી છે. USIPએ કહ્યું છે કે પાકિસ્તાન હાલના સમયે ઈતિહાસના સૌથી મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. તેણે ચેતવણી આપી છે કે તેને એ વાતનો વાસ્તવિક ખતરો છે કે પાકિસ્તાન ડિફોલ્ટ થઈ શકે છે. થિંક ટેન્કએ કહ્યું કે દેશમાં મોંઘવારી ચરમ પર છે, અને રાજનીતિક સંકટ તથા આતંકવાદ વધી રહ્યો છે. આ દરમિયાન પાકિસ્તાને 130 અબજ ડોલરનું વિદેશી દેવું ચૂકવવાનું છે.


77.5 અબજ ડોલરની લોન ચૂકવવાની બાકી


થિંક ટેકએ કહ્યું કે એપ્રિલ 2023થી જુન 2026 વચ્ચે પાકિસ્તાને 77.5 અબજ ડોલરની લોન ચૂકવવાની છે. તેનાથી વિપરીત પાકિસ્તાનની કુલ અર્થવ્યવસ્થા 350 અબજ ડોલર જ છે. આ દરમિયાન પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક દારે તેમનો અમેરિકાનો પ્રવાસ   રદ્દ કરી દીધો છે. ઈશાક દાર તેમની અમેરિકાની યાત્રા દરમિયાન વિશ્વ બેંક અને આઈએમએફની બેઠકોમાં ભાગ લેવા તથા 1.1 અબજ ડોલરના રાહત પેકેજના સંબંધમાં અધિકારીઓ સાથે ચર્ચા કરવાના હતા. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.