પાકિસ્તાન ડિફોલ્ટ થવાથી બચવા મહત્વની 5 કંપનીઓમાં હિસ્સો UAEને વેચશે


  • Published By :
  • Published Date : 2023-01-31 13:53:24

પાકિસ્તાન આર્થિક સંકટથી ડિફોલ્ટ થવાની સ્થિતીએ પહોંચી ગયું છે, પાકિસ્તાનના મિત્ર દેશ સાઉદી અરેબિયા, સંયુક્ત અરબ અમિરાત અને ચીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તે શાહબાઝ શરીફની સરકારને ભીખ નહીં જ આપે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફની સરકારે હવે UAEને પાંચ મોટી સરકારી કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો છે.


આ 5 પાંચ  કંપનીઓમાં હિસ્સો વેચશે


શાહબાઝ શરીફની સરકારે પાકિસ્તાનની સરકારી ઓઈલ કંપની અને ગેસ કંપની, પાકિસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ, નેશનલ બેંક ઓફ પાકિસ્તાન, પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન, પાકિસ્તાન નેશનલ શિપિંગ કોર્પોરેશનમાં ભાગદારી વેચશે. પાકિસ્તાન સરકાર હાલ  UAE સાથે આ કંપનીઓ વેચવા માટે ચર્ચા શરૂ કરી છે.  UAEની સરકારે હવે પાકિસ્તાનને કોઈ પણ ફ્રિ આર્થિક સહાય કરવાનો ઇન્કાર કરી દીધો છે. તે ઉપરાંત સોલાર પાવર, એરપોર્ટ ઓથોરિટીમાં રોકાણ કરાવાનો પણ પ્રસ્તાવ આપ્યો છે. આ અગ્રણી કંપનીઓમાં  UAE પહેલાથી જ 300 અબજ ડોલરનો રોકાણ પોર્ટફોલિયો ધરાવે છે. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદના એરપોર્ટનું મેનેજમેન્ટ UAEની કંપનીને આપવા માગે છે.


IMFનો પણ લોન આપવાનો ઈન્કાર 


પાકિસ્તાનને IMFએ પણ લોન આપવાનો ઈન્કાર કરી દીધો છે, IMFએ પાકિસ્તાન સરકારને વિવિધ સબસિડી બંધ અને પ્રજા પર વાધારનો ટેક્સ ઝિંકવાની સલાહ આપી છે.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.