પાકિસ્તાન ડિફોલ્ટ થવાથી બચવા મહત્વની 5 કંપનીઓમાં હિસ્સો UAEને વેચશે


  • Published By :
  • Published Date : 2023-01-31 13:53:24

પાકિસ્તાન આર્થિક સંકટથી ડિફોલ્ટ થવાની સ્થિતીએ પહોંચી ગયું છે, પાકિસ્તાનના મિત્ર દેશ સાઉદી અરેબિયા, સંયુક્ત અરબ અમિરાત અને ચીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તે શાહબાઝ શરીફની સરકારને ભીખ નહીં જ આપે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફની સરકારે હવે UAEને પાંચ મોટી સરકારી કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો છે.


આ 5 પાંચ  કંપનીઓમાં હિસ્સો વેચશે


શાહબાઝ શરીફની સરકારે પાકિસ્તાનની સરકારી ઓઈલ કંપની અને ગેસ કંપની, પાકિસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ, નેશનલ બેંક ઓફ પાકિસ્તાન, પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન, પાકિસ્તાન નેશનલ શિપિંગ કોર્પોરેશનમાં ભાગદારી વેચશે. પાકિસ્તાન સરકાર હાલ  UAE સાથે આ કંપનીઓ વેચવા માટે ચર્ચા શરૂ કરી છે.  UAEની સરકારે હવે પાકિસ્તાનને કોઈ પણ ફ્રિ આર્થિક સહાય કરવાનો ઇન્કાર કરી દીધો છે. તે ઉપરાંત સોલાર પાવર, એરપોર્ટ ઓથોરિટીમાં રોકાણ કરાવાનો પણ પ્રસ્તાવ આપ્યો છે. આ અગ્રણી કંપનીઓમાં  UAE પહેલાથી જ 300 અબજ ડોલરનો રોકાણ પોર્ટફોલિયો ધરાવે છે. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદના એરપોર્ટનું મેનેજમેન્ટ UAEની કંપનીને આપવા માગે છે.


IMFનો પણ લોન આપવાનો ઈન્કાર 


પાકિસ્તાનને IMFએ પણ લોન આપવાનો ઈન્કાર કરી દીધો છે, IMFએ પાકિસ્તાન સરકારને વિવિધ સબસિડી બંધ અને પ્રજા પર વાધારનો ટેક્સ ઝિંકવાની સલાહ આપી છે.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .