કંગાળ પાકિસ્તાનને IMFનું 1.17 અબજ ડોલરનું પેકેજ, દેશમાં ખુશીની લહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 13:01:16

આર્થિક નાદારીની સ્થિતી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાન માટે રાહતના સમાચાર આવ્યા છે. આંતરરાષ્ટ્રિય નાણા ભંડોળ (IMF)ના એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક મળી અને પાકિસ્તાનને રાહત પેકેજને મંજૂરી આપી. 1.17 અબજ ડોલરના 7માં અને 8માં તબક્કા એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી (EFF) પ્રોગ્રામ હેઠળ આપવામાં આવશે. વિદેશી હૂંડિયામણની અછતનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે આ મોટી રાહત છે. વોશિંગ્ટનમાં IMF એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં આ સંબંધિત નિર્ણય લેવામાં આવ્યો છે.


1.17 અબજ ડોલરનું પેકેજ


પાકિસ્તાનના નાણા મંત્રી મિફ્તાહ ઈસ્માઈલે કહ્યું કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના બોર્ડે EFF પ્રોગ્રામ હેઠળ રાહત પેકેજને મંજૂરી આપી છે. મિફ્તાહ ઈસ્માઈલે ટ્વીટ કર્યું, “આપણને હવે 1.17 અબજ ડોલરનો 7મો અને 8મો હપ્તો મળશે. કઠિન નિર્ણયો લેવા અને પાકિસ્તાનને ડિફોલ્ટથી બચાવવા માટે હું વડા પ્રધાન શાહબાઝ શરીફનો આભાર માનું છું. હું રાષ્ટ્રને અભિનંદન આપવા માંગુ છું.


2019માં IMF સાથે થઈ હતી ડીલ


પાકિસ્તાન અને IMF વચ્ચે જુલાઈ 2019માં 6 અબજ ડોલરની ડીલ થઈ હતી, જે વર્ષ 2020માં પાટા પરથી ઉતરી ગઈ હતી. ગયા વર્ષે માર્ચમાં તેને અમુક અંશે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું. ઈમરાન ખાનની સરકારને પછાડ્યા બાદ શાહબાઝ શરીફ સરકારે ફરી એકવાર આ ડીલને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો. IMFએ પણ 2023 સુધીમાં દેવું વધારીને 7 અબજ કરવાની જાહેરાત કરી છે.


શાહબાઝે ઈમરાન પર સાધ્યું નિશાન


IMFના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર એન્ટોનેટ સાઈહે એક નિવેદનમાં જણાવ્યું કે, "યુક્રેન યુદ્ધ અને દેશની અંદરના પડકારોથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ છે." IMFની બેઠક પહેલા વડાપ્રધાન શાહબાઝ શરીફે રવિવારે પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ પર નિશાન સાધતા કહ્યું કે તે  IMF સાથેના કરારને તોડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું હતું કે સ્વકેન્દ્રી રાજનીતિ દેશ માટે સારી નથી.



એલઆરડી, પીએમઆઈની ભરતી અંગે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.. PSI અને LRD ભરતીમાં હજુ એકવાર ફોર્મ ભરવા માટે સાઈટ ખુલશે તેવી માહિતી સામે આવી છે... ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આજે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જેમાં તેમણે અનેક મુદ્દાઓને લઈ જાણકારી આપી હતી.

ભાજપનો આંતરિક કકડાટ સતત વધી રહ્યો છે ચૂંટણી પહેલા અને બાદમાં સતત પાર્ટીના નેતાઓ નારાજ થઈ રહ્યા છે. અમરેલી ભાજપમાં નારણ કાછડિયા હાલ નારાજ છે અને તેમની નારાજગી છે ઉમેદવાર ભરત સૂતરિયાથી.. હવે નારણભાઈના થેંક્યું વાળા નિવેદન પણ ભરત ભાઈએ સીધો જવાબ આપ્યો છે.

ગેનીબેન ઠાકોર અનેક વખત પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ફરી એક વખત તેમણે નિવેદન આપ્યું છે જેમાં તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઠાકોર સમાજના સમૂહ લગ્ન દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ વિવાદ છેડાઈ ગયો હતો.. અનેક વખત પરષોત્તમ રૂપાલાએ માફી પણ માગી.. આ બધા વચ્ચે નીતિન પટેલે ક્ષત્રિય સમાજના આંદોલનનો તેમજ પરષોત્તમ રૂપાલાનો ઉલ્લેખ કર્યો હતો..