કંગાળ પાકિસ્તાનને IMFનું 1.17 અબજ ડોલરનું પેકેજ, દેશમાં ખુશીની લહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 13:01:16

આર્થિક નાદારીની સ્થિતી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાન માટે રાહતના સમાચાર આવ્યા છે. આંતરરાષ્ટ્રિય નાણા ભંડોળ (IMF)ના એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક મળી અને પાકિસ્તાનને રાહત પેકેજને મંજૂરી આપી. 1.17 અબજ ડોલરના 7માં અને 8માં તબક્કા એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી (EFF) પ્રોગ્રામ હેઠળ આપવામાં આવશે. વિદેશી હૂંડિયામણની અછતનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે આ મોટી રાહત છે. વોશિંગ્ટનમાં IMF એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં આ સંબંધિત નિર્ણય લેવામાં આવ્યો છે.


1.17 અબજ ડોલરનું પેકેજ


પાકિસ્તાનના નાણા મંત્રી મિફ્તાહ ઈસ્માઈલે કહ્યું કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના બોર્ડે EFF પ્રોગ્રામ હેઠળ રાહત પેકેજને મંજૂરી આપી છે. મિફ્તાહ ઈસ્માઈલે ટ્વીટ કર્યું, “આપણને હવે 1.17 અબજ ડોલરનો 7મો અને 8મો હપ્તો મળશે. કઠિન નિર્ણયો લેવા અને પાકિસ્તાનને ડિફોલ્ટથી બચાવવા માટે હું વડા પ્રધાન શાહબાઝ શરીફનો આભાર માનું છું. હું રાષ્ટ્રને અભિનંદન આપવા માંગુ છું.


2019માં IMF સાથે થઈ હતી ડીલ


પાકિસ્તાન અને IMF વચ્ચે જુલાઈ 2019માં 6 અબજ ડોલરની ડીલ થઈ હતી, જે વર્ષ 2020માં પાટા પરથી ઉતરી ગઈ હતી. ગયા વર્ષે માર્ચમાં તેને અમુક અંશે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું. ઈમરાન ખાનની સરકારને પછાડ્યા બાદ શાહબાઝ શરીફ સરકારે ફરી એકવાર આ ડીલને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો. IMFએ પણ 2023 સુધીમાં દેવું વધારીને 7 અબજ કરવાની જાહેરાત કરી છે.


શાહબાઝે ઈમરાન પર સાધ્યું નિશાન


IMFના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર એન્ટોનેટ સાઈહે એક નિવેદનમાં જણાવ્યું કે, "યુક્રેન યુદ્ધ અને દેશની અંદરના પડકારોથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ છે." IMFની બેઠક પહેલા વડાપ્રધાન શાહબાઝ શરીફે રવિવારે પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ પર નિશાન સાધતા કહ્યું કે તે  IMF સાથેના કરારને તોડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું હતું કે સ્વકેન્દ્રી રાજનીતિ દેશ માટે સારી નથી.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.