કંગાળ પાકિસ્તાનને IMFનું 1.17 અબજ ડોલરનું પેકેજ, દેશમાં ખુશીની લહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 13:01:16

આર્થિક નાદારીની સ્થિતી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાન માટે રાહતના સમાચાર આવ્યા છે. આંતરરાષ્ટ્રિય નાણા ભંડોળ (IMF)ના એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક મળી અને પાકિસ્તાનને રાહત પેકેજને મંજૂરી આપી. 1.17 અબજ ડોલરના 7માં અને 8માં તબક્કા એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી (EFF) પ્રોગ્રામ હેઠળ આપવામાં આવશે. વિદેશી હૂંડિયામણની અછતનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે આ મોટી રાહત છે. વોશિંગ્ટનમાં IMF એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં આ સંબંધિત નિર્ણય લેવામાં આવ્યો છે.


1.17 અબજ ડોલરનું પેકેજ


પાકિસ્તાનના નાણા મંત્રી મિફ્તાહ ઈસ્માઈલે કહ્યું કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના બોર્ડે EFF પ્રોગ્રામ હેઠળ રાહત પેકેજને મંજૂરી આપી છે. મિફ્તાહ ઈસ્માઈલે ટ્વીટ કર્યું, “આપણને હવે 1.17 અબજ ડોલરનો 7મો અને 8મો હપ્તો મળશે. કઠિન નિર્ણયો લેવા અને પાકિસ્તાનને ડિફોલ્ટથી બચાવવા માટે હું વડા પ્રધાન શાહબાઝ શરીફનો આભાર માનું છું. હું રાષ્ટ્રને અભિનંદન આપવા માંગુ છું.


2019માં IMF સાથે થઈ હતી ડીલ


પાકિસ્તાન અને IMF વચ્ચે જુલાઈ 2019માં 6 અબજ ડોલરની ડીલ થઈ હતી, જે વર્ષ 2020માં પાટા પરથી ઉતરી ગઈ હતી. ગયા વર્ષે માર્ચમાં તેને અમુક અંશે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું. ઈમરાન ખાનની સરકારને પછાડ્યા બાદ શાહબાઝ શરીફ સરકારે ફરી એકવાર આ ડીલને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો. IMFએ પણ 2023 સુધીમાં દેવું વધારીને 7 અબજ કરવાની જાહેરાત કરી છે.


શાહબાઝે ઈમરાન પર સાધ્યું નિશાન


IMFના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર એન્ટોનેટ સાઈહે એક નિવેદનમાં જણાવ્યું કે, "યુક્રેન યુદ્ધ અને દેશની અંદરના પડકારોથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ છે." IMFની બેઠક પહેલા વડાપ્રધાન શાહબાઝ શરીફે રવિવારે પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ પર નિશાન સાધતા કહ્યું કે તે  IMF સાથેના કરારને તોડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું હતું કે સ્વકેન્દ્રી રાજનીતિ દેશ માટે સારી નથી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.