પાકિસ્તાનનો અનોખો રેકોર્ડ, 1958થી અત્યાર સુધીમાં IMF પાસેથી 23 વખત મેળવ્યું બેલઆઉટ પેકેજ


  • Published By :
  • Published Date : 2023-02-26 18:44:14

પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) તરફથી 23 વખત બેલઆઉટ પેકેજ મેળવ્યું છે, હવે તે કથિત રીતે બીજા બેલઆઉટની તૈયારી કરી રહ્યું છે. વર્તમાન બેલઆઉટ પ્રોગ્રામમાંથી તેને હજી છેલ્લો હપતો બાકી છે. આઝાદી પછી દર સાડા ત્રણ વર્ષમાં પાકિસ્તાને આ મોટું બેલઆઉટ મેળવ્યું છે. તે નિષ્ફળ રાજ્ય અથવા અર્થતંત્રનો સંકેત તો ચોક્કસપણે કહીં શકાય.


આકરી શરતો પર લોન મેળવી


શેષ 1 બિલિયન ડોલર સુધી પહોંચવા માટે નક્કી કરાયેલી શરતો અનિષ્છાએ સ્વીકારી લીધી છે. પ્રધાનમંત્રી શહેબાઝ શરીફે શુક્રવારે કહ્યું, કે અમે અનિષ્છાએ આ શરતોનું પાલન કરવું પડશે.  શરીફ પાસે તેનો કોઈ વિકલ્પ પણ નથી. તેમના દેશનું વિદેશી અનામત ભંડોળ ઘટીને 3 અબજ ડોલર જેટલું રહી ગયું છે, જે પાકિસ્તાન માટે ત્રણ સપ્તાહના આયાત માટે પુરતું છે, જો કે ત્યાર બાદ પરિસ્થિતી શું થશે તે જોવાનું છે.


1958માં પ્રથમ બેલઆઉટ પેકેજ  


વર્તમાના આર્થિક ગડબડમાંથી બહાર નીકળવા માટે પાકિસ્તાનને બીજા બેલઆઉટ પેકેજની જરૂર પડી શકે છે અને એવા રિપોર્ટ છે કે નવી માંગ આવી રહી છે. ડિસેમ્બર 1958માં, જનરલ અયુબ ખાન દ્વારા કરાયેલા સૈન્ય બળવાના બે મહિના બાદ IMF બેલઆઉટ પેકેજ પછી 25 મિલિયન ડોલરથી શરૂ થયું હતું.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.