પાકિસ્તાનનો અનોખો રેકોર્ડ, 1958થી અત્યાર સુધીમાં IMF પાસેથી 23 વખત મેળવ્યું બેલઆઉટ પેકેજ


  • Published By :
  • Published Date : 2023-02-26 18:44:14

પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) તરફથી 23 વખત બેલઆઉટ પેકેજ મેળવ્યું છે, હવે તે કથિત રીતે બીજા બેલઆઉટની તૈયારી કરી રહ્યું છે. વર્તમાન બેલઆઉટ પ્રોગ્રામમાંથી તેને હજી છેલ્લો હપતો બાકી છે. આઝાદી પછી દર સાડા ત્રણ વર્ષમાં પાકિસ્તાને આ મોટું બેલઆઉટ મેળવ્યું છે. તે નિષ્ફળ રાજ્ય અથવા અર્થતંત્રનો સંકેત તો ચોક્કસપણે કહીં શકાય.


આકરી શરતો પર લોન મેળવી


શેષ 1 બિલિયન ડોલર સુધી પહોંચવા માટે નક્કી કરાયેલી શરતો અનિષ્છાએ સ્વીકારી લીધી છે. પ્રધાનમંત્રી શહેબાઝ શરીફે શુક્રવારે કહ્યું, કે અમે અનિષ્છાએ આ શરતોનું પાલન કરવું પડશે.  શરીફ પાસે તેનો કોઈ વિકલ્પ પણ નથી. તેમના દેશનું વિદેશી અનામત ભંડોળ ઘટીને 3 અબજ ડોલર જેટલું રહી ગયું છે, જે પાકિસ્તાન માટે ત્રણ સપ્તાહના આયાત માટે પુરતું છે, જો કે ત્યાર બાદ પરિસ્થિતી શું થશે તે જોવાનું છે.


1958માં પ્રથમ બેલઆઉટ પેકેજ  


વર્તમાના આર્થિક ગડબડમાંથી બહાર નીકળવા માટે પાકિસ્તાનને બીજા બેલઆઉટ પેકેજની જરૂર પડી શકે છે અને એવા રિપોર્ટ છે કે નવી માંગ આવી રહી છે. ડિસેમ્બર 1958માં, જનરલ અયુબ ખાન દ્વારા કરાયેલા સૈન્ય બળવાના બે મહિના બાદ IMF બેલઆઉટ પેકેજ પછી 25 મિલિયન ડોલરથી શરૂ થયું હતું.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.