પાકિસ્તાનનો અનોખો રેકોર્ડ, 1958થી અત્યાર સુધીમાં IMF પાસેથી 23 વખત મેળવ્યું બેલઆઉટ પેકેજ


  • Published By :
  • Published Date : 2023-02-26 18:44:14

પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) તરફથી 23 વખત બેલઆઉટ પેકેજ મેળવ્યું છે, હવે તે કથિત રીતે બીજા બેલઆઉટની તૈયારી કરી રહ્યું છે. વર્તમાન બેલઆઉટ પ્રોગ્રામમાંથી તેને હજી છેલ્લો હપતો બાકી છે. આઝાદી પછી દર સાડા ત્રણ વર્ષમાં પાકિસ્તાને આ મોટું બેલઆઉટ મેળવ્યું છે. તે નિષ્ફળ રાજ્ય અથવા અર્થતંત્રનો સંકેત તો ચોક્કસપણે કહીં શકાય.


આકરી શરતો પર લોન મેળવી


શેષ 1 બિલિયન ડોલર સુધી પહોંચવા માટે નક્કી કરાયેલી શરતો અનિષ્છાએ સ્વીકારી લીધી છે. પ્રધાનમંત્રી શહેબાઝ શરીફે શુક્રવારે કહ્યું, કે અમે અનિષ્છાએ આ શરતોનું પાલન કરવું પડશે.  શરીફ પાસે તેનો કોઈ વિકલ્પ પણ નથી. તેમના દેશનું વિદેશી અનામત ભંડોળ ઘટીને 3 અબજ ડોલર જેટલું રહી ગયું છે, જે પાકિસ્તાન માટે ત્રણ સપ્તાહના આયાત માટે પુરતું છે, જો કે ત્યાર બાદ પરિસ્થિતી શું થશે તે જોવાનું છે.


1958માં પ્રથમ બેલઆઉટ પેકેજ  


વર્તમાના આર્થિક ગડબડમાંથી બહાર નીકળવા માટે પાકિસ્તાનને બીજા બેલઆઉટ પેકેજની જરૂર પડી શકે છે અને એવા રિપોર્ટ છે કે નવી માંગ આવી રહી છે. ડિસેમ્બર 1958માં, જનરલ અયુબ ખાન દ્વારા કરાયેલા સૈન્ય બળવાના બે મહિના બાદ IMF બેલઆઉટ પેકેજ પછી 25 મિલિયન ડોલરથી શરૂ થયું હતું.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.