પાકિસ્તાનનો અનોખો રેકોર્ડ, 1958થી અત્યાર સુધીમાં IMF પાસેથી 23 વખત મેળવ્યું બેલઆઉટ પેકેજ


  • Published By :
  • Published Date : 2023-02-26 18:44:14

પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) તરફથી 23 વખત બેલઆઉટ પેકેજ મેળવ્યું છે, હવે તે કથિત રીતે બીજા બેલઆઉટની તૈયારી કરી રહ્યું છે. વર્તમાન બેલઆઉટ પ્રોગ્રામમાંથી તેને હજી છેલ્લો હપતો બાકી છે. આઝાદી પછી દર સાડા ત્રણ વર્ષમાં પાકિસ્તાને આ મોટું બેલઆઉટ મેળવ્યું છે. તે નિષ્ફળ રાજ્ય અથવા અર્થતંત્રનો સંકેત તો ચોક્કસપણે કહીં શકાય.


આકરી શરતો પર લોન મેળવી


શેષ 1 બિલિયન ડોલર સુધી પહોંચવા માટે નક્કી કરાયેલી શરતો અનિષ્છાએ સ્વીકારી લીધી છે. પ્રધાનમંત્રી શહેબાઝ શરીફે શુક્રવારે કહ્યું, કે અમે અનિષ્છાએ આ શરતોનું પાલન કરવું પડશે.  શરીફ પાસે તેનો કોઈ વિકલ્પ પણ નથી. તેમના દેશનું વિદેશી અનામત ભંડોળ ઘટીને 3 અબજ ડોલર જેટલું રહી ગયું છે, જે પાકિસ્તાન માટે ત્રણ સપ્તાહના આયાત માટે પુરતું છે, જો કે ત્યાર બાદ પરિસ્થિતી શું થશે તે જોવાનું છે.


1958માં પ્રથમ બેલઆઉટ પેકેજ  


વર્તમાના આર્થિક ગડબડમાંથી બહાર નીકળવા માટે પાકિસ્તાનને બીજા બેલઆઉટ પેકેજની જરૂર પડી શકે છે અને એવા રિપોર્ટ છે કે નવી માંગ આવી રહી છે. ડિસેમ્બર 1958માં, જનરલ અયુબ ખાન દ્વારા કરાયેલા સૈન્ય બળવાના બે મહિના બાદ IMF બેલઆઉટ પેકેજ પછી 25 મિલિયન ડોલરથી શરૂ થયું હતું.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .