પાકિસ્તાનને IMFએ આપ્યો ઝટકો, બંને વચ્ચેની મંત્રણા નિષ્ફળ, IMFનું પ્રતિનિધિમંડળ વોશિંગ્ટન પરત ફર્યું


  • Published By :
  • Published Date : 2023-02-12 17:35:05

પાકિસ્તાન સરકારની IMF સાથે બેલઆઉટ પેકેજને લઈને ચાલી રહેલી વાતચીત પણ નિષ્ફળ ગઈ છે. આ સાથે જ પાકિસ્તાન સરકારની આશા પર પાણી ફરી વળ્યું છે, IMFએ પાકિસ્તાનને મોટો મોટો ઝટકો આપ્યો છે. IMFનું એક પ્રતિનિધિમંડળ જે પાકિસ્તાન આવ્યું હતું તે હવે વોશિંગ્ટન પરત ફર્યું છે. IMFના પ્રતિનિધિમંડળ અને પાકિસ્તાની અધિકારીઓએ વચ્ચે 1.1 બિલિયન ડોલરની લોનની શરતોને લઈ 10 દિવસ સુધી વાતચીત કરી હતી. જો કે બંને પક્ષો વચ્ચે કોઈ સમાધાન ન થતા અંતે IMFનું પ્રતિનિધી મંડળ કરાર પર હસ્તાક્ષર કર્યા વિના પરત ફર્યું છે.


પાકિસ્તાન માટે કેટલું મહત્વનું IMFનું પેકેજ?


પાકિસ્તાનને નાદારીથી બચાવવા માટે IMFનું બેલઆઉટ પેકેજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર ત્રણ અબજ ડોલરથી ઓછો રહ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુના રિપોર્ટ અનુસાર, સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP)નો વિદેશી મુદ્રા ભંડાર ઘટીને 2.917 અબજ ડોલર જ બચ્યો છે. આર્થિક પતન ટાળવા માટે પાકિસ્તાને આ સમયે નાણાકીય મદદ અને IMF તરફથી રાહત પેકેજની સખત જરૂર છે. જોકે, પાકિસ્તાન હજુ પણ IMF પાસેથી લોન મેળવવાની આશા રાખી રહ્યું છે. પાકિસ્તાની ટીમનું નેતૃત્વ કરી રહેલા પાકિસ્તાનના નાણા મંત્રી ઈશાક ડારે કહ્યું કે બંને પક્ષો સોમવારથી વર્ચ્યુઅલ મોડમાં ફરી વાતચીત શરૂ કરશે.



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે