પાકિસ્તાનને IMFએ આપ્યો ઝટકો, બંને વચ્ચેની મંત્રણા નિષ્ફળ, IMFનું પ્રતિનિધિમંડળ વોશિંગ્ટન પરત ફર્યું


  • Published By :
  • Published Date : 2023-02-12 17:35:05

પાકિસ્તાન સરકારની IMF સાથે બેલઆઉટ પેકેજને લઈને ચાલી રહેલી વાતચીત પણ નિષ્ફળ ગઈ છે. આ સાથે જ પાકિસ્તાન સરકારની આશા પર પાણી ફરી વળ્યું છે, IMFએ પાકિસ્તાનને મોટો મોટો ઝટકો આપ્યો છે. IMFનું એક પ્રતિનિધિમંડળ જે પાકિસ્તાન આવ્યું હતું તે હવે વોશિંગ્ટન પરત ફર્યું છે. IMFના પ્રતિનિધિમંડળ અને પાકિસ્તાની અધિકારીઓએ વચ્ચે 1.1 બિલિયન ડોલરની લોનની શરતોને લઈ 10 દિવસ સુધી વાતચીત કરી હતી. જો કે બંને પક્ષો વચ્ચે કોઈ સમાધાન ન થતા અંતે IMFનું પ્રતિનિધી મંડળ કરાર પર હસ્તાક્ષર કર્યા વિના પરત ફર્યું છે.


પાકિસ્તાન માટે કેટલું મહત્વનું IMFનું પેકેજ?


પાકિસ્તાનને નાદારીથી બચાવવા માટે IMFનું બેલઆઉટ પેકેજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર ત્રણ અબજ ડોલરથી ઓછો રહ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુના રિપોર્ટ અનુસાર, સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP)નો વિદેશી મુદ્રા ભંડાર ઘટીને 2.917 અબજ ડોલર જ બચ્યો છે. આર્થિક પતન ટાળવા માટે પાકિસ્તાને આ સમયે નાણાકીય મદદ અને IMF તરફથી રાહત પેકેજની સખત જરૂર છે. જોકે, પાકિસ્તાન હજુ પણ IMF પાસેથી લોન મેળવવાની આશા રાખી રહ્યું છે. પાકિસ્તાની ટીમનું નેતૃત્વ કરી રહેલા પાકિસ્તાનના નાણા મંત્રી ઈશાક ડારે કહ્યું કે બંને પક્ષો સોમવારથી વર્ચ્યુઅલ મોડમાં ફરી વાતચીત શરૂ કરશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.