પાકિસ્તાનને IMFએ આપ્યો ઝટકો, બંને વચ્ચેની મંત્રણા નિષ્ફળ, IMFનું પ્રતિનિધિમંડળ વોશિંગ્ટન પરત ફર્યું


  • Published By :
  • Published Date : 2023-02-12 17:35:05

પાકિસ્તાન સરકારની IMF સાથે બેલઆઉટ પેકેજને લઈને ચાલી રહેલી વાતચીત પણ નિષ્ફળ ગઈ છે. આ સાથે જ પાકિસ્તાન સરકારની આશા પર પાણી ફરી વળ્યું છે, IMFએ પાકિસ્તાનને મોટો મોટો ઝટકો આપ્યો છે. IMFનું એક પ્રતિનિધિમંડળ જે પાકિસ્તાન આવ્યું હતું તે હવે વોશિંગ્ટન પરત ફર્યું છે. IMFના પ્રતિનિધિમંડળ અને પાકિસ્તાની અધિકારીઓએ વચ્ચે 1.1 બિલિયન ડોલરની લોનની શરતોને લઈ 10 દિવસ સુધી વાતચીત કરી હતી. જો કે બંને પક્ષો વચ્ચે કોઈ સમાધાન ન થતા અંતે IMFનું પ્રતિનિધી મંડળ કરાર પર હસ્તાક્ષર કર્યા વિના પરત ફર્યું છે.


પાકિસ્તાન માટે કેટલું મહત્વનું IMFનું પેકેજ?


પાકિસ્તાનને નાદારીથી બચાવવા માટે IMFનું બેલઆઉટ પેકેજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર ત્રણ અબજ ડોલરથી ઓછો રહ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુના રિપોર્ટ અનુસાર, સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP)નો વિદેશી મુદ્રા ભંડાર ઘટીને 2.917 અબજ ડોલર જ બચ્યો છે. આર્થિક પતન ટાળવા માટે પાકિસ્તાને આ સમયે નાણાકીય મદદ અને IMF તરફથી રાહત પેકેજની સખત જરૂર છે. જોકે, પાકિસ્તાન હજુ પણ IMF પાસેથી લોન મેળવવાની આશા રાખી રહ્યું છે. પાકિસ્તાની ટીમનું નેતૃત્વ કરી રહેલા પાકિસ્તાનના નાણા મંત્રી ઈશાક ડારે કહ્યું કે બંને પક્ષો સોમવારથી વર્ચ્યુઅલ મોડમાં ફરી વાતચીત શરૂ કરશે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .