પાકિસ્તાનને IMFએ આપ્યો ઝટકો, બંને વચ્ચેની મંત્રણા નિષ્ફળ, IMFનું પ્રતિનિધિમંડળ વોશિંગ્ટન પરત ફર્યું


  • Published By :
  • Published Date : 2023-02-12 17:35:05

પાકિસ્તાન સરકારની IMF સાથે બેલઆઉટ પેકેજને લઈને ચાલી રહેલી વાતચીત પણ નિષ્ફળ ગઈ છે. આ સાથે જ પાકિસ્તાન સરકારની આશા પર પાણી ફરી વળ્યું છે, IMFએ પાકિસ્તાનને મોટો મોટો ઝટકો આપ્યો છે. IMFનું એક પ્રતિનિધિમંડળ જે પાકિસ્તાન આવ્યું હતું તે હવે વોશિંગ્ટન પરત ફર્યું છે. IMFના પ્રતિનિધિમંડળ અને પાકિસ્તાની અધિકારીઓએ વચ્ચે 1.1 બિલિયન ડોલરની લોનની શરતોને લઈ 10 દિવસ સુધી વાતચીત કરી હતી. જો કે બંને પક્ષો વચ્ચે કોઈ સમાધાન ન થતા અંતે IMFનું પ્રતિનિધી મંડળ કરાર પર હસ્તાક્ષર કર્યા વિના પરત ફર્યું છે.


પાકિસ્તાન માટે કેટલું મહત્વનું IMFનું પેકેજ?


પાકિસ્તાનને નાદારીથી બચાવવા માટે IMFનું બેલઆઉટ પેકેજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર ત્રણ અબજ ડોલરથી ઓછો રહ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુના રિપોર્ટ અનુસાર, સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP)નો વિદેશી મુદ્રા ભંડાર ઘટીને 2.917 અબજ ડોલર જ બચ્યો છે. આર્થિક પતન ટાળવા માટે પાકિસ્તાને આ સમયે નાણાકીય મદદ અને IMF તરફથી રાહત પેકેજની સખત જરૂર છે. જોકે, પાકિસ્તાન હજુ પણ IMF પાસેથી લોન મેળવવાની આશા રાખી રહ્યું છે. પાકિસ્તાની ટીમનું નેતૃત્વ કરી રહેલા પાકિસ્તાનના નાણા મંત્રી ઈશાક ડારે કહ્યું કે બંને પક્ષો સોમવારથી વર્ચ્યુઅલ મોડમાં ફરી વાતચીત શરૂ કરશે.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.