પાકિસ્તાને ફંડ મેળવવા માટે ગીરો મુક્યું તેનું આ બંદર, હવે UAE કરશે કરાચી પોર્ટનું સંચાલન


  • Published By :
  • Published Date : 2023-06-23 15:33:19

ભારતનો પાડોશી પાકિસ્તાન કાળઝાળ મોંઘવારી અને વિદેશી ભંડોળની અછતનો સામનો કરી રહ્યો છે. હવે પાકિસ્તાને કરાચી પોર્ટ ટર્મિનલ  (KPT) સંયુક્ત અરબ અમિરાત (UAE)ને સોંપી દીધું છે. પાકિસ્તાનના આ પગલાથી તેને UAEની આર્થિક મેળવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે પાકિસ્તાન ભયાનક મોંઘવારીનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનમાં ફુગાવાનો આંક 55 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. દેશનું વિદેશની ચલણનું ભંડોળ પૂરી થવાના આરે છે. 


પાકિસ્તાનને UAE કરશે મદદ


હવે જ્યારે પાકિસ્તાને તેનું મહત્વનું બંદર UAEને સોંપી દીધું છે તો તેને UAE તરફથી આર્થિક મદદ મળી શકશે. મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નાણા મંત્રી ઈશાક દારે સોમવારે બેઠકમાં નિર્ણય કર્યો કે કરાચી પોર્ટ ટ્ર્સ્ટ  અને UAEવચ્ચે એક કોમર્શિયલ એગ્રીમેન્ટ પર ચર્ચા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. બંને દેશો વચ્ચે થયેલી સમજુતી મુજબ કરાચી પોર્ટના માટે UAE દ્વારા રચવામાં આવેલી કંપની તેનું સંચાલન, રોકાણ, અને વિકાસ સમજુતીઓને પુરી કરવા માટે મંજુરી આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ મહિનાના અંત સુધી આર્થિક મદદને લઈ કોઈ સમજુતી થવાની આશા છે. પાકિસ્તાનને વિદેશી કેશ ફ્લોની જરૂર છે, અને તે નાની લેવડ દેવડની સમસ્યાથી સમાધાન નહીં કરી શકે. UAEને ટર્મિનલ આપવામાં આવ્યા બાદ રાષ્ટ્રિય કટોકટીની સ્થિતીમાં કે સુરક્ષાની સ્થિતીમાં પાકિસ્તાનને ટર્મિનલ તેના કબજામાં લેવાનો અધિકાર રહેશે.



પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.