પાકિસ્તાને ફંડ મેળવવા માટે ગીરો મુક્યું તેનું આ બંદર, હવે UAE કરશે કરાચી પોર્ટનું સંચાલન


  • Published By :
  • Published Date : 2023-06-23 15:33:19

ભારતનો પાડોશી પાકિસ્તાન કાળઝાળ મોંઘવારી અને વિદેશી ભંડોળની અછતનો સામનો કરી રહ્યો છે. હવે પાકિસ્તાને કરાચી પોર્ટ ટર્મિનલ  (KPT) સંયુક્ત અરબ અમિરાત (UAE)ને સોંપી દીધું છે. પાકિસ્તાનના આ પગલાથી તેને UAEની આર્થિક મેળવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે પાકિસ્તાન ભયાનક મોંઘવારીનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનમાં ફુગાવાનો આંક 55 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. દેશનું વિદેશની ચલણનું ભંડોળ પૂરી થવાના આરે છે. 


પાકિસ્તાનને UAE કરશે મદદ


હવે જ્યારે પાકિસ્તાને તેનું મહત્વનું બંદર UAEને સોંપી દીધું છે તો તેને UAE તરફથી આર્થિક મદદ મળી શકશે. મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નાણા મંત્રી ઈશાક દારે સોમવારે બેઠકમાં નિર્ણય કર્યો કે કરાચી પોર્ટ ટ્ર્સ્ટ  અને UAEવચ્ચે એક કોમર્શિયલ એગ્રીમેન્ટ પર ચર્ચા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. બંને દેશો વચ્ચે થયેલી સમજુતી મુજબ કરાચી પોર્ટના માટે UAE દ્વારા રચવામાં આવેલી કંપની તેનું સંચાલન, રોકાણ, અને વિકાસ સમજુતીઓને પુરી કરવા માટે મંજુરી આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ મહિનાના અંત સુધી આર્થિક મદદને લઈ કોઈ સમજુતી થવાની આશા છે. પાકિસ્તાનને વિદેશી કેશ ફ્લોની જરૂર છે, અને તે નાની લેવડ દેવડની સમસ્યાથી સમાધાન નહીં કરી શકે. UAEને ટર્મિનલ આપવામાં આવ્યા બાદ રાષ્ટ્રિય કટોકટીની સ્થિતીમાં કે સુરક્ષાની સ્થિતીમાં પાકિસ્તાનને ટર્મિનલ તેના કબજામાં લેવાનો અધિકાર રહેશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.