પાકિસ્તાને ફંડ મેળવવા માટે ગીરો મુક્યું તેનું આ બંદર, હવે UAE કરશે કરાચી પોર્ટનું સંચાલન


  • Published By :
  • Published Date : 2023-06-23 15:33:19

ભારતનો પાડોશી પાકિસ્તાન કાળઝાળ મોંઘવારી અને વિદેશી ભંડોળની અછતનો સામનો કરી રહ્યો છે. હવે પાકિસ્તાને કરાચી પોર્ટ ટર્મિનલ  (KPT) સંયુક્ત અરબ અમિરાત (UAE)ને સોંપી દીધું છે. પાકિસ્તાનના આ પગલાથી તેને UAEની આર્થિક મેળવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે પાકિસ્તાન ભયાનક મોંઘવારીનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનમાં ફુગાવાનો આંક 55 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. દેશનું વિદેશની ચલણનું ભંડોળ પૂરી થવાના આરે છે. 


પાકિસ્તાનને UAE કરશે મદદ


હવે જ્યારે પાકિસ્તાને તેનું મહત્વનું બંદર UAEને સોંપી દીધું છે તો તેને UAE તરફથી આર્થિક મદદ મળી શકશે. મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નાણા મંત્રી ઈશાક દારે સોમવારે બેઠકમાં નિર્ણય કર્યો કે કરાચી પોર્ટ ટ્ર્સ્ટ  અને UAEવચ્ચે એક કોમર્શિયલ એગ્રીમેન્ટ પર ચર્ચા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. બંને દેશો વચ્ચે થયેલી સમજુતી મુજબ કરાચી પોર્ટના માટે UAE દ્વારા રચવામાં આવેલી કંપની તેનું સંચાલન, રોકાણ, અને વિકાસ સમજુતીઓને પુરી કરવા માટે મંજુરી આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ મહિનાના અંત સુધી આર્થિક મદદને લઈ કોઈ સમજુતી થવાની આશા છે. પાકિસ્તાનને વિદેશી કેશ ફ્લોની જરૂર છે, અને તે નાની લેવડ દેવડની સમસ્યાથી સમાધાન નહીં કરી શકે. UAEને ટર્મિનલ આપવામાં આવ્યા બાદ રાષ્ટ્રિય કટોકટીની સ્થિતીમાં કે સુરક્ષાની સ્થિતીમાં પાકિસ્તાનને ટર્મિનલ તેના કબજામાં લેવાનો અધિકાર રહેશે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.