Pakistan: નવાઝ શરીફની લાહોરમાં યોજાયેલી રેલીમાં સિંહ અને વાઘે આકર્ષણ જગાવ્યું, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2024-01-23 20:20:28

પાકિસ્તાનમાં પાર્લામેન્ટની ચૂંટણી માટેનું પ્રચાર અભિયાન જોર પર છે. આ વખતે સત્તામાં આવવાના મજબુત દાવેદાર નવાઝ શરીફ મનાય છે. નવાઝ શરીફની પાર્ટી PMLN સતત રેલીયો કરી રહી છે. નવાઝ શરીફની સાથે તેમની પુત્રી મરિયમ નવાઝ અને ભાઈ શાહબાઝ શરીફ પણ જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. નવાઝ શરીફે આજે મંગળવારે લાહોરમાં રેલી યોજી હતી, આ રેલીમાં કાંઈક એવું થયું કે દુનિયાભરમાં તેની ચર્ચા થઈ રહી છે.નવાઝ શરીફની આ રેલીમાં સિંહ અને વાઘ પણ લાવવામાં આવ્યા હતા. 

 

સિંહ છે  PMLN પાર્ટીનું ચૂંટણી પ્રતિક


લાહોરમાં આવતી નેશનલ એસમ્બલીની સીટ-130માં મંગળવારે પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફે ચૂંટણી રેલી યોજી હતી. નવાઝ શરીફ અને મરિયમની આ જાહેર રેલીમાં પિંજરામાં બંધ સિંહે ગજબનું આકર્ષણ જણાવ્યું હતું. એક ગાડીમાં લાવવામાં આવેલા સિંહને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રેલીમાં લાવવામાં આવેલા આ સિંહનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકો આ સિંહ સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. રેલીમાં સિંહ લાવવાનું એક કારણ એ છે કે સિંહ નવાઝ શરીફની પાર્ટી PMLN નું ચૂંટણી પ્રતિક સિંહ છે. જેથી પાર્ટીના કાર્યકરો સાચા સિંહ રેલીમાં લઈને આવ્યા હતા.ઉલ્લેખનિય છે કે આ રેલી માટે વાઘ પણ લાવવામાં આવ્યો હતો પણ વાઘને લાવવા દરમિયાન વાઘ ઘાયલ થઈ ગયો હતો તેથી તેને પાછો મોકલી દેવામાં આવ્યો હતો. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.