Pakistan: નવાઝ શરીફની લાહોરમાં યોજાયેલી રેલીમાં સિંહ અને વાઘે આકર્ષણ જગાવ્યું, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2024-01-23 20:20:28

પાકિસ્તાનમાં પાર્લામેન્ટની ચૂંટણી માટેનું પ્રચાર અભિયાન જોર પર છે. આ વખતે સત્તામાં આવવાના મજબુત દાવેદાર નવાઝ શરીફ મનાય છે. નવાઝ શરીફની પાર્ટી PMLN સતત રેલીયો કરી રહી છે. નવાઝ શરીફની સાથે તેમની પુત્રી મરિયમ નવાઝ અને ભાઈ શાહબાઝ શરીફ પણ જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. નવાઝ શરીફે આજે મંગળવારે લાહોરમાં રેલી યોજી હતી, આ રેલીમાં કાંઈક એવું થયું કે દુનિયાભરમાં તેની ચર્ચા થઈ રહી છે.નવાઝ શરીફની આ રેલીમાં સિંહ અને વાઘ પણ લાવવામાં આવ્યા હતા. 

 

સિંહ છે  PMLN પાર્ટીનું ચૂંટણી પ્રતિક


લાહોરમાં આવતી નેશનલ એસમ્બલીની સીટ-130માં મંગળવારે પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફે ચૂંટણી રેલી યોજી હતી. નવાઝ શરીફ અને મરિયમની આ જાહેર રેલીમાં પિંજરામાં બંધ સિંહે ગજબનું આકર્ષણ જણાવ્યું હતું. એક ગાડીમાં લાવવામાં આવેલા સિંહને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રેલીમાં લાવવામાં આવેલા આ સિંહનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકો આ સિંહ સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. રેલીમાં સિંહ લાવવાનું એક કારણ એ છે કે સિંહ નવાઝ શરીફની પાર્ટી PMLN નું ચૂંટણી પ્રતિક સિંહ છે. જેથી પાર્ટીના કાર્યકરો સાચા સિંહ રેલીમાં લઈને આવ્યા હતા.ઉલ્લેખનિય છે કે આ રેલી માટે વાઘ પણ લાવવામાં આવ્યો હતો પણ વાઘને લાવવા દરમિયાન વાઘ ઘાયલ થઈ ગયો હતો તેથી તેને પાછો મોકલી દેવામાં આવ્યો હતો. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.