પાકિસ્તાન સાથે અમેરિકાનો સંબંધ માલિક અને નોકર જેવો: ઈમરાન ખાન


  • Published By :
  • Published Date : 2022-11-14 16:26:32

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું કે તેઓ હવે તેમને સત્તા પરથી હટાવવા માટે અમેરિકાના વહીવટીતંત્રને “દોષ” આપતા નથી. તેમણે કહ્યું કે અમેરિકા સાથે અમારો સંબંધ માલિક અને નોકર જેવો છે. પાકિસ્તાનનો ઉપયોગ ભાડાની બંદૂક તરીકે થયો છે. ભૂતપૂર્વ વડા પ્રધાન કે જેમણે સતત એક જ વાતનો પ્રચાર કર્યો છે કે તેમને વિદેશી ષડયંત્રના કારણે હટાવવામાં આવ્યા હતા. ઈમરાન હવે કહે છે કે તે વોશિંગ્ટન અને ઈસ્લામાબાદ વચ્ચે "ગૌરવપૂર્ણ" સંબંધ ઈચ્છે છે.


ઈમરાન ખાને અમેરિકા વિશે શું કહ્યું?


ફાઈનાન્સિયલ ટાઈમ્સે રિપોર્ટ મુજબ ઈમરાન ખાન સામે થયેલા કથિત કાવતરામાં અમેરિકાની ભૂમિકા અંગેની તેમની અગાઉની ટિપ્પણીઓનો ઉલ્લેખ કરતા હતા. જો કે આજે ઈમરાન ખાને કહ્યું છે કે, "જ્યાં સુધી મારો સવાલ છે, તો તે બધુ હવે સમાપ્ત થઈ ગયું છે, હવે તે મારા માટે ભૂતકાળ બની ગયું છે,"  ઈમરાન આગળ કહે છે, "અમેરિકા સાથે અમારો સંબંધ માલિક અને નોકર જેવો છે. અમારો ઉપયોગ ભાડાની બંદૂકો તરીકે કરવામાં આવ્યો છે, પરંતુ આ માટે હું અમેરિકા કરતાં અમારી સરકારોને વધુ દોષી માનું છું."



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.