પાકિસ્તાન સાથે અમેરિકાનો સંબંધ માલિક અને નોકર જેવો: ઈમરાન ખાન


  • Published By :
  • Published Date : 2022-11-14 16:26:32

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું કે તેઓ હવે તેમને સત્તા પરથી હટાવવા માટે અમેરિકાના વહીવટીતંત્રને “દોષ” આપતા નથી. તેમણે કહ્યું કે અમેરિકા સાથે અમારો સંબંધ માલિક અને નોકર જેવો છે. પાકિસ્તાનનો ઉપયોગ ભાડાની બંદૂક તરીકે થયો છે. ભૂતપૂર્વ વડા પ્રધાન કે જેમણે સતત એક જ વાતનો પ્રચાર કર્યો છે કે તેમને વિદેશી ષડયંત્રના કારણે હટાવવામાં આવ્યા હતા. ઈમરાન હવે કહે છે કે તે વોશિંગ્ટન અને ઈસ્લામાબાદ વચ્ચે "ગૌરવપૂર્ણ" સંબંધ ઈચ્છે છે.


ઈમરાન ખાને અમેરિકા વિશે શું કહ્યું?


ફાઈનાન્સિયલ ટાઈમ્સે રિપોર્ટ મુજબ ઈમરાન ખાન સામે થયેલા કથિત કાવતરામાં અમેરિકાની ભૂમિકા અંગેની તેમની અગાઉની ટિપ્પણીઓનો ઉલ્લેખ કરતા હતા. જો કે આજે ઈમરાન ખાને કહ્યું છે કે, "જ્યાં સુધી મારો સવાલ છે, તો તે બધુ હવે સમાપ્ત થઈ ગયું છે, હવે તે મારા માટે ભૂતકાળ બની ગયું છે,"  ઈમરાન આગળ કહે છે, "અમેરિકા સાથે અમારો સંબંધ માલિક અને નોકર જેવો છે. અમારો ઉપયોગ ભાડાની બંદૂકો તરીકે કરવામાં આવ્યો છે, પરંતુ આ માટે હું અમેરિકા કરતાં અમારી સરકારોને વધુ દોષી માનું છું."



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .