પાકિસ્તાનની મિલિટરી ઇન્ટેલીજન્સની રિપોર્ટમાં ખુલાસો, શાહબાઝે જ રચ્યું હતું રમખાણોનું ષડયંત્ર


  • Published By :
  • Published Date : 2023-05-26 21:37:39


1. બ્રિટનના પ્રધાનમંત્રીની સુરક્ષામાં ગંભીર ચૂક

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકની સુરક્ષામાં એક અતિગંભીર ખામી સર્જાઇ હોવાના અહેવાલ છે.. લંડનની ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે આવેલા ઘરના દરવાજા સાથે પૂરપાટ ઝડપે આવતી એક સફેદ રંગની કાર અથડાઇ. આ અથડામણ સમયે ઋષિ સુનક ઘરમાં હાજર હતા..ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.. પોલીસે ડાઉનિંગ સ્ટ્રીટ તરફ જતો રસ્તો બંધ કરી આરોપી કારચાલકની ધરપકડ કરી લીધી છે.. 


2. ટ્રમ્પની બીજી આવૃત્તિ લડશે ચૂંટણી!

અમેરિકામાં આવતા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. જે માટે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લીકન પાર્ટીના ઘણા ઉમેદવારોએ પોતાની ઉમેદવારીની જાહેરાત  કરી હતી..આ રેસમાં હવે ટ્રમ્પના સૌથી મોટા હરિફનું નામ જોડાયું છે. ફ્લોરિડાના ગવર્નર રોન ડી સેન્ટિસે ટ્વીટર પર આ અંગેની જાહેરાત કરી હતી જો કે તેમની જાહેરાત  દરમિયાન ટ્વીર ક્રેશ થઇ ગયું હતું.. જેની અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને સોશિયલ મીડિયા પર  મજાક ઉડાવી હતી..  રોન ડિ સેન્ટીસ ફલોરિડામાં તેમના નિર્ણયોને  લઇને વિવાદનો સામનો કરી ચૂક્યા છે.. તેમણે હાલમાં જ ફલોરિડામાં 6 અઠવાડિયા બાદના ગર્ભપાત પર  પ્રતિબંધ મુક્યો હતો ઉપરાંત તેઓ LGBTQ+ સમુદાય પ્રત્યે પણ કડક વલણ ધરાવે છે..


3. લોઇડ ઓસ્ટિન આવશે ભારત

અમેરિકાના રક્ષામંત્રી લોઇડ  ઓસ્ટિન  આવતા મહિને ભારતની મુલાકાતે આવશે.. જ્યાં તેઓ સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને અન્ય  નેતાઓ સાથે દિલ્લીમાં મુલાકાત કરસે..  સંરક્ષણ મુદ્દે ભારત  અને અમેરિકાના સંબંધો મજબૂત કરવા અંગે બન્ને વચ્ચે ચર્ચા થશે..જાન્યુઆરી 2021માં ચાર્જ સંભાળ્યા બાદ ઓસ્ટિનની આ બીજી ભારત મુલાકાત હશે..



4. ઇમરાને સરકારને કહ્યુ, થેન્કયું !

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન ફરી મુશ્કેલીમાં મુકાયા છે.. ઇમરાન ખાન અને તેમના પત્ની બુશરા બીબીને સરકાર દ્વારા નો ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે.. એટલે કે દેશ છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.. આ ઉપરાંત તેમની સાથે તેમની પાર્ટી તહરિક-એ-ઇન્સાફના 80 સભ્યોને પણ આ લિસ્ટમાં સામેલ  કરવામાં આવ્યા છે.. ઇમરાન ખાને આ ઘટના પર પોતાનું નિવેદન પણ આપ્યું છે અને દાવો કર્યો છે કે પ્રતિબંધ મુકવા બદલ આભાર પણ દેશ છોડીને ભાગવાની મારી  કોઇ યોજના નહોતી, દેશની બહાર મારી કોઇ પ્રોપર્ટી કોઇ બેક અકાઉન્ટ નથી


5. પાકિસ્તાનની સરકારે જ કરાવ્યા હુમલા?

પાકિસ્તાનમાં 9 મી મે ના રોજ ઇમરાન ખાનની ધરપકડ અને તે પછી આખા દેશમાં થયેલા રમખાણો અંગે પાકિસ્તાનની મિલિટરી ઇન્ટેલીજન્સે તપાસ કરી હતી જેમાં ઘટસ્ફોટ થયો છે કે આ હુમલાઓ શરીફ સરકારનું જ  કાવતરુ હતું, સૈન્ય મથકો પર જે હુમલાઓ કરવામાં આવ્યા તે શાહબાઝ શરીફ સરકારના ઇશારે જ કરવામાં આવ્યા  હતા. જેથી ઇમરાન ખાન અને તેમના પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પર પ્રતિંબંધ મૂકાઇ શકે અને સરકાર પોતાના ધારાધોરણો મુજબ ચૂંટણી કરાવી શકે. 


6. જાપાનમાં ધ્રુજી ધરતી

જાપાનના ટોકિયોમાં ફરીવાર ધરતી ધ્રુજી..  ટોકિયોના પૂર્વ ભાગમાં આવેલા ચીબા અને ઇબારાકીમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો..  જાપાનના એક સ્થાનિક અખબારના રિપોર્ટ  મુજબ આ ભૂકંપમાં કોઇ જાનહાનિ થઇ નથી પરંતુ હજુ પણ આફટર શોક્સની અસર આ વિસ્તારમાં અનુભવાઇ રહી છે.. 



7.  રશિયન મિસાઇલ્સે દવાખાનું ઉડાવ્યું

યુક્રેનના નીપ્રોમાં આવેલા એક દવાખાના પર  રશિયન મિસાઇલનો હુમલો થતા 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે.. અને એક  વ્યક્તિનું મોત થયું છે.. ઘટના બાદ સ્થાનિક  અધિકારીઓ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી..આ ઘટનાનો વીડિયો યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પોતાના  ટ્વીટર એકાઉન્ટ પર મુકી હુમલાની નિંદા કરી છે..  


8. ચાલુ ફ્લાઇટમાં પેસેન્જરની હરકતે ઉડાવ્યા હોશ!

દક્ષિણ કોરિયાના સેઉલમાં ચાલુ ફ્લાઇટે વિમાનની ઇમરજન્સી એક્ઝિટનો દરવાજો એક પેસેન્જરે અચાનક ખોલી નાખતા અફરાતફરી મચી હતી.. ઇમરજન્સી એક્ઝિટ પાસે જે પ્રવાસી બેઠો હતો તેણે ઓચિંતા જ બારણું ખોલી નાખ્યું હતુ જે પછી કેબિન ક્રૂ મેમ્બરો દોડી આવ્યા અને બારણું બંધ કરી દીધું હતું.. આ ઘટનાને  પગલે 12 મુસાફરોને શ્વાસની તકલીફ ઉભી થવા લાગી હતી અને ફ્લાઇટ લેન્ડ થયા બાદ તેમને હોસ્પીટલ લઇ જવાયા હતા..જ્યારે બારણું ખોલનાર યાત્રીને પોલીસ હવાલે કરી દેવાયો છે.. 


9. કરોડોમાં ખરીદાઇ ટીપુ સુલતાનની તલવાર

18મી સદીમાં બનેલી ટીપુ સુલતાનની તલવાર  લંડનના એક ઓક્શન હાઉસમાં 143 કરોડ રૂપિયામાં વેચાઇ છે.. ટીપુ સુલતાનના મોત બાદ તેના મૈસુરમાં આવેલા મહેલમાં ઘણી લૂંટફાટ થઇ હતી જેમાં.. આ તલવાર પણ  તેના  મહેલના ખાનગી ઓરડામાંથી નીકાળી લેવામાં આવી હતી..જે બાદમાં બ્રિટિશ આર્મી ઓફિસર મેજર જનરલ ડેવિડ બાયર્ડને ટોકન તરીકે ભેટમાં આપવામાં આવી હતી. અને ત્યાંથી તે લંડનના ઓક્શન હાઉસમાં પહોંચી હતી


10. ભારતની મુલાકાતે 'પ્રચંડ'

નેપાળના પ્રધાનમંત્રી પુષ્પકમલ દહલ પ્રચંડ  31 મેના રોજ ભારત આવી રહ્યા છે.. તેઓ ગત વર્ષે જ નેપાળના પ્રધાનમંત્રી બન્યા હતા.. જે બાદ  તેઓ પહેલીવાર વિદેશ યાત્રા કરી રહ્યા છે.. નેપાળના એક અખબાર કાંતિપુર ડેલી મુજબ  આ યાત્રાથી નેપાળ અને ભારતના સંબંધો મજબૂત બનશે અને બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ પર  ચર્ચા થશે.. -



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.