ઈમરાન ખાનની ચેતવણી 'પાકિસ્તાન નાદાર થશે, રેકોર્ડતોડ મોંઘવારી વધશે'


  • Published By :
  • Published Date : 2023-01-02 15:52:56

પાકિસ્તાન આર્થિક નાદારીની દિશામાં છે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને તેમના જ દેશને લઈને ગંભીર ચેતવણી આપી છે.  ઈમરાન ખાને કહ્યું છે કે જો પાકિસ્તાનને આઈએમએફ તરફથી  લોન નહીં મળે તો દેશ ડિફોલ્ટ થઈ જશે. ઈમરાનની આ ચેતવણીને પૂર્વ વિશેષ સલાહકાર ડોક્ટર સાનિયા નિશ્તરનું પણ સમર્થન મળ્યું છે.


લાખો લોકોએ દેશ છોડ્યો 


ઈમરાન ખાને દેશના પીએમ શાહબાઝ શરીફની સરકારને નિશાન બનાવતા કહ્યું કે સરકારની ખોટી નિતીઓના કારણે  7.5 લાખ લોકો દેશ છોડીને પલાયન થઈ ગયા છે. દેશમાં વ્યાપાર- ઉદ્યોગ ઠપ થઈ ગયા છે. મોંઘવારી આસમાને પહોંચી છે. તેમણે દેશવાસીઓને  દેશ ન છોડવાની પણ અપીલ કરી હતી. 


દેશની આર્થિક સ્થિતી મુદ્દે બેઠક


પાકિસ્તાનની છેલ્લી આશા આઈએમએફ તરફથી મળનારૂ બેલઆઉટ પેકેજ છે. પાકિસ્તાનો વિદેશી નાણા ભંડાર સતત ઘટી રહ્યો છે. મોંઘવારી એટલી વઘી છે કે સામાન્ચ માણસ માટે જીવવું મુ્શ્કેલ બન્યું છે. ગત શુક્રવારે નેશનલ સિક્યુરીટીની બેઠક મળી હતી. આ બેઠકમાં સરકારના સિનિયર મંત્રીઓ અને ટોપ મિલિટરી ઓફિસર્સને આર્થિક મોરચે વધી રહેલી મુશ્કેલીઓ અંગે જણાવવામાં આવ્યું હતું. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ પ્રમાણે નાણા મંત્રાલયને મોંઘવારી અને વિદેશી મુદ્દા દરને ઓછા રાખવા સામે ઝઝુમવું પડી રહ્યું છે.  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.