પાકિસ્તાનના PMએ ફરી કાશ્મીર રાગ આલાપ્યો, કાશ્મીરની આઝાદીનું કર્યું સમર્થન


  • Published By :
  • Published Date : 2023-02-06 18:30:02

આર્થિક નાદારીની સ્થિતીએ આવી ગયેલું પાકિસ્તાન હજુ પણ કાશ્મિરનો રાગ આલાપી રહ્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે ફરી કાશ્મીરનો ઉલ્લેખ કર્યો છે. રવિવારે કાશ્મીર સોલિડેરટી ડે મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે જોરદાર ભાષણ કર્યું હતું.


શરીફે જિન્નાહને યાદ કર્યા


શહબાઝ શરીફે કહ્યું કે કાશ્મિરના મુદ્દે તમામ પક્ષોએ મતભેદો ભૂલાવીને એકસાથે આવવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્નાહે પણ કાશ્મિરને પાકિસ્તાનની દુ:ખતી રગ કહી હતી. તેમણે અફસોસ સાથે કહ્યું કે સમાજ આ મુદ્દે પણ વહેંચાયેલો છે અને આ મુદ્દે પણ એક થતો નથી.


કાશ્મીરની આઝાદી માટે સમર્થન


પાકિસ્તાનના પીએમએ કાશ્મીરને ખુલ્લી જેલ ગણાવી હતી, તેમણે કહ્યું કે પાકિસ્તાન હંમેશા કાશ્મીરની આઝાદીનું સમર્થન કરતું રહેશે અને તેને નૈતિક અને રાજનૈતિક સમર્થન આપતું રહેશે.  



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.