પાકિસ્તાનના PMએ ફરી કાશ્મીર રાગ આલાપ્યો, કાશ્મીરની આઝાદીનું કર્યું સમર્થન


  • Published By :
  • Published Date : 2023-02-06 18:30:02

આર્થિક નાદારીની સ્થિતીએ આવી ગયેલું પાકિસ્તાન હજુ પણ કાશ્મિરનો રાગ આલાપી રહ્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે ફરી કાશ્મીરનો ઉલ્લેખ કર્યો છે. રવિવારે કાશ્મીર સોલિડેરટી ડે મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે જોરદાર ભાષણ કર્યું હતું.


શરીફે જિન્નાહને યાદ કર્યા


શહબાઝ શરીફે કહ્યું કે કાશ્મિરના મુદ્દે તમામ પક્ષોએ મતભેદો ભૂલાવીને એકસાથે આવવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્નાહે પણ કાશ્મિરને પાકિસ્તાનની દુ:ખતી રગ કહી હતી. તેમણે અફસોસ સાથે કહ્યું કે સમાજ આ મુદ્દે પણ વહેંચાયેલો છે અને આ મુદ્દે પણ એક થતો નથી.


કાશ્મીરની આઝાદી માટે સમર્થન


પાકિસ્તાનના પીએમએ કાશ્મીરને ખુલ્લી જેલ ગણાવી હતી, તેમણે કહ્યું કે પાકિસ્તાન હંમેશા કાશ્મીરની આઝાદીનું સમર્થન કરતું રહેશે અને તેને નૈતિક અને રાજનૈતિક સમર્થન આપતું રહેશે.  



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.