પાકિસ્તાનના PMએ ફરી કાશ્મીર રાગ આલાપ્યો, કાશ્મીરની આઝાદીનું કર્યું સમર્થન


  • Published By :
  • Published Date : 2023-02-06 18:30:02

આર્થિક નાદારીની સ્થિતીએ આવી ગયેલું પાકિસ્તાન હજુ પણ કાશ્મિરનો રાગ આલાપી રહ્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે ફરી કાશ્મીરનો ઉલ્લેખ કર્યો છે. રવિવારે કાશ્મીર સોલિડેરટી ડે મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે જોરદાર ભાષણ કર્યું હતું.


શરીફે જિન્નાહને યાદ કર્યા


શહબાઝ શરીફે કહ્યું કે કાશ્મિરના મુદ્દે તમામ પક્ષોએ મતભેદો ભૂલાવીને એકસાથે આવવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્નાહે પણ કાશ્મિરને પાકિસ્તાનની દુ:ખતી રગ કહી હતી. તેમણે અફસોસ સાથે કહ્યું કે સમાજ આ મુદ્દે પણ વહેંચાયેલો છે અને આ મુદ્દે પણ એક થતો નથી.


કાશ્મીરની આઝાદી માટે સમર્થન


પાકિસ્તાનના પીએમએ કાશ્મીરને ખુલ્લી જેલ ગણાવી હતી, તેમણે કહ્યું કે પાકિસ્તાન હંમેશા કાશ્મીરની આઝાદીનું સમર્થન કરતું રહેશે અને તેને નૈતિક અને રાજનૈતિક સમર્થન આપતું રહેશે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.