તહેરાનની સર્જીકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન અને ઈરાન વચ્ચે સંબંધો વણસ્યા, પાકિસ્તાને કર્યો આ નિર્ણય


  • Published By :
  • Published Date : 2024-01-17 19:24:46

ઈરાને પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પ પર મિસાઈલ હુમલો કર્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમા પર છે. આ દરમિયાન પાકિસ્તાને ઈરાનમાંથી પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા છે. એટલું જ નહીં, પાકિસ્તાને ઈસ્લામાબાદમાં હાજર ઈરાનના રાજદૂતને પણ બોલાવીને વિરોધ પત્ર રજૂ કર્યો છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે બુધવારે કહ્યું કે તેણે ઈરાનમાંથી પોતાના રાજદૂતને પરત બોલાવવાનો નિર્ણય કર્યો છે. ઈરાન દ્વારા પાકિસ્તાની એરસ્પેસના ઉશ્કેરણીજનક ઉલ્લંઘન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ બંને દેશો વચ્ચે ચાલી રહેલી અથવા ભવિષ્યમાં યોજાનારી ઉચ્ચ સ્તરીય મુલાકાતો પણ સ્થગિત કરવામાં આવી છે.


પાકિસ્તાને ઈરાન પર શું આરોપ લગાવ્યા?


ઈરાને કહ્યું હતું કે તેણે પાકિસ્તાની વિસ્તારમાં જૈશ-એ-અદલ આતંકવાદી જૂથના અડ્ડાઓને મિસાઈલ અને ડ્રોન વડે નિશાન બનાવ્યા છે. જોકે, પાકિસ્તાને દાવો કર્યો હતો કે ઈરાનના હુમલાને કારણે બે માસૂમ બાળકોના મોત થયા છે જ્યારે ત્રણ છોકરીઓ ઘાયલ થઈ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે તે સ્થાનનો ઉલ્લેખ કર્યો નથી જ્યાં ઈરાને હુમલો કર્યો હતો. જોકે, ઈરાનના સરકારી મીડિયાએ જણાવ્યું કે આ હુમલો બલૂચિસ્તાનના સરહદી શહેર પંજગુરમાં થયો હતો. ઈરાનની તસ્નીમ સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે "આ ઓપરેશનનું કેન્દ્રબિંદુ બલુચિસ્તાનમાં કોહ-સબ્ઝ (ગ્રીન માઉન્ટેન) તરીકે ઓળખાતો વિસ્તાર હતો".


પાકિસ્તાને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું


આજે ઇસ્લામાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં, પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે જણાવ્યું હતું કે ગઇકાલે રાત્રે "ઇરાન દ્વારા પાકિસ્તાનની સાર્વભૌમત્વનું અકારણ અને સ્પષ્ટ ઉલ્લંઘન" આંતરરાષ્ટ્રીય કાયદા અને યુએન ચાર્ટરના હેતુઓ અને સિદ્ધાંતોનું ઉલ્લંઘન હતું. "આ ગેરકાયદેસર કૃત્ય સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તેનું કોઈ ઔચિત્ય નથી," તેમણે કહ્યું. "પાકિસ્તાન આ ગેરકાનૂની કૃત્યનો જવાબ આપવાનો અધિકાર રાખે છે અને પરિણામોની જવાબદારી સંપૂર્ણપણે ઈરાન પર રહેશે," બલોચે વધુમાં કહ્યું કે ઈસ્લામાબાદે ઈરાન સરકારને સંદેશો આપી દીધો છે.


ઈરાનના રાજદૂત પર પાકિસ્તાન આવવા પર પ્રતિબંધ


પાકિસ્તાને ઈરાનમાંથી તેના રાજદૂતને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે અને પાકિસ્તાનમાં ઈરાની રાજદૂત, જે હાલમાં ઈરાનની મુલાકાતે છે, તે હાલના ગાળા માટે પરત ફરી શકશે નહીં. બલોચે કહ્યું કે ઈસ્લામાબાદે આગામી દિવસોમાં પાકિસ્તાન અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તમામ ઉચ્ચ સ્તરીય મુલાકાતો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે