પાકિસ્તાનની ફરી એકવાર બેઈજ્જતી, મલેશિયાએ ફરી પ્લેન જપ્ત કર્યું, લીઝની રકમ ન ચૂકવવા બદલ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-05-30 22:04:50

આર્થિક નાદારીનો સામનો કરી રહેલા પાકિસ્તાનની ફરી એક વખત આંતરરાષ્ટ્રિય સ્તરે ફજેતી થઈ છે. મલેશિયાએ પાકિસ્તાનની સરકારી કંપની PIAનું એક વિમાન જપ્ત કરી લીધું છે.વિમાનને મલેશિયાએ જપ્ત કર્યું તે એક બાઇંગ 777 એરક્રાફ્ટ છે. PIAએ તેને મલેશિયા પાસેથી લીઝ પર લીધું હતું. મીડિયા રિપોર્ટ મુજબ  PIAએ  40 લાખ ડોલરનું ચૂંકવણુ ન કરતા મલેશિયાની રાજધાની કુઆલાલંપુરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ વિમાન જપ્ત કરવામાં આવ્યું હતુ.


અગાઉ પણ વિમાન જપ્ત કર્યું હતું


આ પહેલા પણ મલેશિયાએ 27 જાન્યુઆરી 2021ના રોજ પણ આ વિમાનને જપ્ત કર્યું હતું. તે વખતે વિમાનમાં 172 મુસાફરો અને ક્રૂ મેમ્બર હતા. ત્યારે પણ પાકિસ્તાન બાકી રકમ ચૂકવી શક્યું ન હતું. એરક્રાફ્ટને બાદમાં બાકી રકમની ચુકવણીની રાજદ્વારી ખાતરી પર મુક્ત કરવામાં આવ્યું હતું. PIA અધિકારીઓએ હજુ સુધી જપ્તી અને વિવાદને ઉકેલવા માટેના પગલાં અંગે ટિપ્પણી કરવાની બાકી છે. અત્રે ઉલ્લેખનિય છે કે પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ હાલમાં ખૂબ જ ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહી છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.