પાકિસ્તાનની ફરી એકવાર બેઈજ્જતી, મલેશિયાએ ફરી પ્લેન જપ્ત કર્યું, લીઝની રકમ ન ચૂકવવા બદલ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-05-30 22:04:50

આર્થિક નાદારીનો સામનો કરી રહેલા પાકિસ્તાનની ફરી એક વખત આંતરરાષ્ટ્રિય સ્તરે ફજેતી થઈ છે. મલેશિયાએ પાકિસ્તાનની સરકારી કંપની PIAનું એક વિમાન જપ્ત કરી લીધું છે.વિમાનને મલેશિયાએ જપ્ત કર્યું તે એક બાઇંગ 777 એરક્રાફ્ટ છે. PIAએ તેને મલેશિયા પાસેથી લીઝ પર લીધું હતું. મીડિયા રિપોર્ટ મુજબ  PIAએ  40 લાખ ડોલરનું ચૂંકવણુ ન કરતા મલેશિયાની રાજધાની કુઆલાલંપુરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ વિમાન જપ્ત કરવામાં આવ્યું હતુ.


અગાઉ પણ વિમાન જપ્ત કર્યું હતું


આ પહેલા પણ મલેશિયાએ 27 જાન્યુઆરી 2021ના રોજ પણ આ વિમાનને જપ્ત કર્યું હતું. તે વખતે વિમાનમાં 172 મુસાફરો અને ક્રૂ મેમ્બર હતા. ત્યારે પણ પાકિસ્તાન બાકી રકમ ચૂકવી શક્યું ન હતું. એરક્રાફ્ટને બાદમાં બાકી રકમની ચુકવણીની રાજદ્વારી ખાતરી પર મુક્ત કરવામાં આવ્યું હતું. PIA અધિકારીઓએ હજુ સુધી જપ્તી અને વિવાદને ઉકેલવા માટેના પગલાં અંગે ટિપ્પણી કરવાની બાકી છે. અત્રે ઉલ્લેખનિય છે કે પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ હાલમાં ખૂબ જ ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહી છે.



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?