પાકિસ્તાનની ફરી એકવાર બેઈજ્જતી, મલેશિયાએ ફરી પ્લેન જપ્ત કર્યું, લીઝની રકમ ન ચૂકવવા બદલ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-05-30 22:04:50

આર્થિક નાદારીનો સામનો કરી રહેલા પાકિસ્તાનની ફરી એક વખત આંતરરાષ્ટ્રિય સ્તરે ફજેતી થઈ છે. મલેશિયાએ પાકિસ્તાનની સરકારી કંપની PIAનું એક વિમાન જપ્ત કરી લીધું છે.વિમાનને મલેશિયાએ જપ્ત કર્યું તે એક બાઇંગ 777 એરક્રાફ્ટ છે. PIAએ તેને મલેશિયા પાસેથી લીઝ પર લીધું હતું. મીડિયા રિપોર્ટ મુજબ  PIAએ  40 લાખ ડોલરનું ચૂંકવણુ ન કરતા મલેશિયાની રાજધાની કુઆલાલંપુરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ વિમાન જપ્ત કરવામાં આવ્યું હતુ.


અગાઉ પણ વિમાન જપ્ત કર્યું હતું


આ પહેલા પણ મલેશિયાએ 27 જાન્યુઆરી 2021ના રોજ પણ આ વિમાનને જપ્ત કર્યું હતું. તે વખતે વિમાનમાં 172 મુસાફરો અને ક્રૂ મેમ્બર હતા. ત્યારે પણ પાકિસ્તાન બાકી રકમ ચૂકવી શક્યું ન હતું. એરક્રાફ્ટને બાદમાં બાકી રકમની ચુકવણીની રાજદ્વારી ખાતરી પર મુક્ત કરવામાં આવ્યું હતું. PIA અધિકારીઓએ હજુ સુધી જપ્તી અને વિવાદને ઉકેલવા માટેના પગલાં અંગે ટિપ્પણી કરવાની બાકી છે. અત્રે ઉલ્લેખનિય છે કે પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ હાલમાં ખૂબ જ ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહી છે.



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.