પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદની ધરપકડ, ઈમરાન ખાનના નજીકના મનાય છે


  • Published By :
  • Published Date : 2023-02-02 11:42:43

બુધવાર રાત્રે પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદની ધરપકડ કરી લેવામાં આવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી ઈમરાન ખાનની હત્યાની સાજિઝ કરી રહ્યા છે. જેને કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે તે જાણકારી મીડિયા રિપોર્ટસ દ્વારા આપવામાં આવી રહી છે. ઈસ્લામાબાદમાં તેમની વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવી હતી. શેખ રશીદની સાથે તેમના ભત્રીજાની પણ ધરપકડ કરવામાં આવી છે. શેખ રશીદનો દાવો છે કે રાવલપિંડીમાં તેમના ઘરેથી તેમની ધરપકડ કરવામાં આવી છે. 


પોલીસે કરી શેખ રશીદની ધરપકડ  

ઈમરાનની સરકારમાં પાકિસ્તાનના ગૃહમંત્રીનું પદ સંભાળનાર શેખ રશીદની ધરપકડ ગુરૂવારે કરવામાં આવી છે. શેખ રશીદ અવામી મુસ્લિમ લીગના વડા છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા રાજા ઈનાયત ઉર રહેમાન દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પર તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમાં તેમણે કહ્યું કે શેખ રશીદે તેમના પર આરોપ લગાવ્યો છે કે પુર્વ રાષ્ટ્રપતિ અને પીપીપીના અધ્યક્ષ આસિફ અલી જરદારી ઈમરાન ખાનની હત્યાનું ષડયંત્ર રચી રહ્યા છે. ધરપકડ બાદ રશીદે કહ્યું કે પોલીસે વોરેન્ટ વગર ધરપકડ કરી છે. લગભગ 200 જેટલા પોલીસવાળા ઘરની બારીઓ તેમજ દરવાજા તોડતા હતા. નોકરો સાથે પણ ગેરવર્તન કર્યું હતું. ધરપકડ પાછળ તેમણે શાહબાજ શરીફની સરકારનો હાથ બતાવ્યો.      


પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રીએ આપી પ્રતિક્રિયા 

આ બાબત પર ઈમરાન ખાનની આકરી પ્રતિક્રિયા સામે આવી છે. પૂર્વ વડાપ્રધાને રસ્તા પર ઉતરવાની ચીમકી આપી છે. ટ્વિટ પર લખ્યું કે તેઓ શેખ રશીદની ધરપકડનો વિરોધ કરે છે. ઈતિહાસમાં ક્યારેય આવી પક્ષપાતી રખેવાળ સરકાર નથી બની.  


ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .