ઈમરાન ખાનની ધરપકડ મામલે સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી, એક જ કલાકમાં કોર્ટમાં હાજર કરવાનો હુકમ કર્યો


  • Published By :
  • Published Date : 2023-05-11 19:53:51

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી પાકિસ્તાન રેન્જર્સે ધરપકડ કરી તે મામલે દેશની સુપ્રીમ કોર્ટે આકરૂ વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટના સીજેઆઈ ચીફ જસ્ટીસ ઉમર અતા બંદિયાલે એક જ કલાકમાં પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (પીટીઆઈ)ના ચેરમેન ઈમરાન ખાનને કોર્ટ સમક્ષ હાજર કરવાનો આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ઈમરાન ખાનની ધરપકડથી ખોટું દ્રષ્ટાંત સામે આવશે. કોર્ટે સવાલ કર્યો કે NABએ કાયદો પોતાના હાથમાં શા માટે લીધો? 


સુપ્રીમ કોર્ટે કર્યો આદેશ


સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ઈસ્લામાબાદ પોલીસના આઈજી ડો. અકબર નાસિર ખાનને પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાન ખાનને સાંજના 4.30 વાગ્યા સુધી રજુ કરાવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાને ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાંથી ઉઠાવી લેવામાં આવ્યા તેને ન્યાયિક સંસ્થાનું મોટું અપમાન ગણાવ્યું હતું. ઈમરાન ખાનની ધરપકડને પડકારનારી પીટીઆઈની અરજી અંગે સુનાવણી કરી રહેલા ત્રણ જજોની આ બેંચે આ ટીપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો અનામત રાખ્યો છે, અને આજે આ મામલે ચુકાદો સંભળાવવામાં આવશે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.