ભયાનક પૂરથી બેહાલ પાકિસ્તાન, 1033 લોકોના મોત, 5 કરોડ લોકો બેઘર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-28 19:26:58

પાકિસ્તાનમાં  ભારે વરસાદ અને પૂરના કારણે પરિસ્થિતી કફોડી બની છે. દેશભરમાં અત્યાર સુધીમાં 1033 લોકોના મોત થઈ ચુક્યા છે, જેમાંથી 119 લોકો તો છેલ્લા 24 કલાકમાં જ માર્યા ગયા છે. દેશના સિંધ, ખૈબર પખ્તૂનખ્વા, બલુચિસ્તાન રાજ્યમાં સ્થિતી ચિંતાજનક છે. પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.


પૂરથી 149 પુલ તણાયા


14 જુન બાદ ભારે વરસાદથી દેશભરમાં 149 જેટલા પુલ તણાઈ ચુક્યા છે. આ પુલો તણાવાથી કરોડોની માલ-મિલકતનું નુકસાન થયું છે, એનડીએમએના જણાવ્યા પ્રમાણે 3,161 કિલોમીટર માર્ગો તણાઈ ક્ષતીગ્રસ્ત થયા છે.  ભારે વરસાદથી દેશભરમાં 6 ડેમ તુટી ગયા છે, તેના કારણે 9 લાખ ઘર સંપુર્ણપણે નષ્ટ થઈ ગયા છે. તે ઉપરાંત 7 લાખથી વધુ પાલતુ પશુઓ પણ માર્યા ગયા છે. ભયાનક પૂરથી લગભગ 5 કરોડ લોકો બેઘર બની ગયા છે. પરિસ્થિતી બેકાબુ બનતા પૂરગ્રસ્ત વિસ્તારોમાં સેના ઉતારવામાં આવી છે.


અન્ય દેશોને રાહત કાર્યો અને ફંડ માટે અપીલ


પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે ઈસ્લામાબાદ સ્થિત રાજદુતો અને હાઈકમિશનની સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન, જાપાન, કુવૈત, યુએઈ, તુર્કી, દક્ષિણ કોરિયા,અમેરિકા,જર્મની, બહેરીન, યુરોપીય યુનિયન,ફ્રાંસ, ઓમાન, કતર, બ્રિટેન અને સાઉદી અરેબિયાના રાજનેતાઓ,રાજદુતો તથા હાઈ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ આ બેઠકમાં  દેશમાં પૂરની ભયાવહ સ્થિતી અંગે માહિતી આપી હતી. તેમણે આ દેશો સમક્ષ રાહત કાર્યો  અને આર્થિક મદદની અપીલ કરી હતી.




દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.