ભયાનક પૂરથી બેહાલ પાકિસ્તાન, 1033 લોકોના મોત, 5 કરોડ લોકો બેઘર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-28 19:26:58

પાકિસ્તાનમાં  ભારે વરસાદ અને પૂરના કારણે પરિસ્થિતી કફોડી બની છે. દેશભરમાં અત્યાર સુધીમાં 1033 લોકોના મોત થઈ ચુક્યા છે, જેમાંથી 119 લોકો તો છેલ્લા 24 કલાકમાં જ માર્યા ગયા છે. દેશના સિંધ, ખૈબર પખ્તૂનખ્વા, બલુચિસ્તાન રાજ્યમાં સ્થિતી ચિંતાજનક છે. પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.


પૂરથી 149 પુલ તણાયા


14 જુન બાદ ભારે વરસાદથી દેશભરમાં 149 જેટલા પુલ તણાઈ ચુક્યા છે. આ પુલો તણાવાથી કરોડોની માલ-મિલકતનું નુકસાન થયું છે, એનડીએમએના જણાવ્યા પ્રમાણે 3,161 કિલોમીટર માર્ગો તણાઈ ક્ષતીગ્રસ્ત થયા છે.  ભારે વરસાદથી દેશભરમાં 6 ડેમ તુટી ગયા છે, તેના કારણે 9 લાખ ઘર સંપુર્ણપણે નષ્ટ થઈ ગયા છે. તે ઉપરાંત 7 લાખથી વધુ પાલતુ પશુઓ પણ માર્યા ગયા છે. ભયાનક પૂરથી લગભગ 5 કરોડ લોકો બેઘર બની ગયા છે. પરિસ્થિતી બેકાબુ બનતા પૂરગ્રસ્ત વિસ્તારોમાં સેના ઉતારવામાં આવી છે.


અન્ય દેશોને રાહત કાર્યો અને ફંડ માટે અપીલ


પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે ઈસ્લામાબાદ સ્થિત રાજદુતો અને હાઈકમિશનની સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન, જાપાન, કુવૈત, યુએઈ, તુર્કી, દક્ષિણ કોરિયા,અમેરિકા,જર્મની, બહેરીન, યુરોપીય યુનિયન,ફ્રાંસ, ઓમાન, કતર, બ્રિટેન અને સાઉદી અરેબિયાના રાજનેતાઓ,રાજદુતો તથા હાઈ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ આ બેઠકમાં  દેશમાં પૂરની ભયાવહ સ્થિતી અંગે માહિતી આપી હતી. તેમણે આ દેશો સમક્ષ રાહત કાર્યો  અને આર્થિક મદદની અપીલ કરી હતી.




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .