ભયાનક પૂરથી બેહાલ પાકિસ્તાન, 1033 લોકોના મોત, 5 કરોડ લોકો બેઘર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-28 19:26:58

પાકિસ્તાનમાં  ભારે વરસાદ અને પૂરના કારણે પરિસ્થિતી કફોડી બની છે. દેશભરમાં અત્યાર સુધીમાં 1033 લોકોના મોત થઈ ચુક્યા છે, જેમાંથી 119 લોકો તો છેલ્લા 24 કલાકમાં જ માર્યા ગયા છે. દેશના સિંધ, ખૈબર પખ્તૂનખ્વા, બલુચિસ્તાન રાજ્યમાં સ્થિતી ચિંતાજનક છે. પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.


પૂરથી 149 પુલ તણાયા


14 જુન બાદ ભારે વરસાદથી દેશભરમાં 149 જેટલા પુલ તણાઈ ચુક્યા છે. આ પુલો તણાવાથી કરોડોની માલ-મિલકતનું નુકસાન થયું છે, એનડીએમએના જણાવ્યા પ્રમાણે 3,161 કિલોમીટર માર્ગો તણાઈ ક્ષતીગ્રસ્ત થયા છે.  ભારે વરસાદથી દેશભરમાં 6 ડેમ તુટી ગયા છે, તેના કારણે 9 લાખ ઘર સંપુર્ણપણે નષ્ટ થઈ ગયા છે. તે ઉપરાંત 7 લાખથી વધુ પાલતુ પશુઓ પણ માર્યા ગયા છે. ભયાનક પૂરથી લગભગ 5 કરોડ લોકો બેઘર બની ગયા છે. પરિસ્થિતી બેકાબુ બનતા પૂરગ્રસ્ત વિસ્તારોમાં સેના ઉતારવામાં આવી છે.


અન્ય દેશોને રાહત કાર્યો અને ફંડ માટે અપીલ


પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે ઈસ્લામાબાદ સ્થિત રાજદુતો અને હાઈકમિશનની સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન, જાપાન, કુવૈત, યુએઈ, તુર્કી, દક્ષિણ કોરિયા,અમેરિકા,જર્મની, બહેરીન, યુરોપીય યુનિયન,ફ્રાંસ, ઓમાન, કતર, બ્રિટેન અને સાઉદી અરેબિયાના રાજનેતાઓ,રાજદુતો તથા હાઈ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ આ બેઠકમાં  દેશમાં પૂરની ભયાવહ સ્થિતી અંગે માહિતી આપી હતી. તેમણે આ દેશો સમક્ષ રાહત કાર્યો  અને આર્થિક મદદની અપીલ કરી હતી.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.